ગુજરાતનું સફેદ રણ લોકોને આકર્ષવા માટે જાણીતું છે. પણ આ વખતે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. આ પાછળ કાતિલ ઠંડી અને લગ્નગાળા જેવા કારણો અપાઈ રહ્યા છે પરંતુ દેશમાં ગુજરાતની NRC અને CAA મુદ્દે પરિસ્થિતિને કારણે નેશનલ જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
રણોત્સવમાં પ્રવાસીઓની સખ્યમાં થયો ઘટાડો
ટેન્ટસિટીમાં રહેવાના મોંઘાદાટ ભાડા
ધોરડો સુધી પુરતા વાહન-વ્યવહારનો અભાવ
કચ્છમાં સામાન્ય વર્ગના સહેલાણીઓ માટે શરૂ કરાયેલો કચ્છનો રણોત્સવ છેલ્લા કેટલાક વર્ષોથી હાઈપ્રોફાઈલ અને મોંઘોદાટ બની જતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષની તુલનાએ આ વખતે 50 ટકા જેટલા પ્રવાસીઓ ઓછા આવ્યા છે. નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં માત્ર 1.59 લાખ પ્રવાસીઓ આવ્યાં. જ્યારે ગત વર્ષે 3.52 લાખ પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત લીધી હતી.
કાતિલ ઠંડીનું બહાનું
તંત્ર દ્વારા કાતિલ ઠંડી અને લગ્નગાળા જેવા બહાના આપીને હાથ ઉંચા કરી લેવામાં આવ્યાં છે. કચ્છમાંથી જ કોઈ સ્થાનિક પરિવાર રણોત્સવની મૂલાકાત લેવાનું વિચારે તો રાત્રિ રોકાણ વગર અહીની મૂલાકાત 2 હજારથી 2500 રૂપિયામાં પડે છે. વ્યક્તિદીઠ પ્રવેશ ફી રૂા. 100 છે જ્યારે વાહન રાખવાની ફી રૂા. 50 જેટલી છે. એટલે પ્રવાસીઓને આ સ્થળે ફરવા આવવું મોંઘુ પડી રહ્યું છે.