બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / red zone has increased in Ahmedabad and Surat
Last Updated: 10:58 AM, 11 January 2022
ADVERTISEMENT
અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે પરંતુ હજી પણ ક્યાંકને ક્યાંક બેદરકારી દાખવી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. પછી તે તંત્ર હોય કે સામાન્ય નાગરિક. અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યા પરંતુ તંત્ર માત્ર કન્ટેઇનમેન્ટ ઝોનના પાટિયા મારીને સંતોષ માની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 177 પહોંચી છે પણ તંત્ર દ્વારા માત્ર પાટિયા માર્યા સિવાય અહીં બીજી કોઇ કામગીરી કરવામાં આવતી નથી. માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકો બેરોકટોક અવરજવર કરી રહ્યા છે તો પછી કન્ટેઇનમેન્ટ ઝોન રાખવાનો શુ મતલબ ?
ADVERTISEMENT
તંત્ર પાટિયા મારીને સંતોષ માનશે ?
કોઇ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનો અર્થ એ છે અહીં કોરોનાના કેસ વધારે છે જેથી સંક્રમણ વધુ ન ફેલાય. આ વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આવે છે. ખાસ જરુરિયાત સિવાય કોઇને અવરજવર કરવા દેવામાં આવતી નથી. પરંતુ અહીં તો લોકો બેફામ અવરજવર કરી રહ્યા છે. આ નિયમોનું ઉલ્લંઘન નથી તો બીજુ શું છે ?શું આ અવર જવર કરતા લોકોથી સંક્રમણ વધારે નહી ફેલાય ? અહીં મોટુ બોર્ડ મુકવાથી કંઇ ન થાય, નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કોની ? 152 ઘરોના 580 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકવામાં આવ્યા છે પણ જો આવી રીતે માત્ર પાટિયા મારીને દેખાડો જ કરવાનો હોય તો માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનનો કોઇ અર્થ નથી રહેતો.
અમદાવાદમાં વધ્યા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
અમદાવાદમાં ત્રીજી લહેરમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. રોજે રોજ શહેરમાંથી લગભગ 2 હજારની આસપાસ કોરોના પોઝિટિવ કેસો બહાર આવી રહ્યા છે જે બહુ મોટી ચિંતાનો વિષય તંત્ર માટે છે. ત્યારે કોરોના બેલગામ થતો અટકાવવા શહેરમાં વધુ 21 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જ્યારે 16 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી મુક્તી આપી દેવામાં આવી છે. પૂર્વ ઝોનમાં વસ્ત્રાલ, હાટકેશ્વર અને નિકોલમાં વિસ્તારમાં વધુ કેસો બહાર આવતા અમુક વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે.ગોદરેજ ગાર્ડન સિટીના તીવોલી ફ્લેટના 48 ઘરો તેમજ કુલ અલગ અલગ 21 વિસ્તારોના 152 ઘરોના 580 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદમાં 10 દિવસમાં 4 ગણા કેસ
સુરતમાં વધ્યા રેડ ઝોન
સુરતમાં પણ કોરોનાએ રફતાર પકડી છે. કેસો એટલા વધી રહ્યા છે કે હવે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. અઠવા ઝોનના 6 વિસ્તારો રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે જ્યારે અઠવાના અન્ય 12 વિસ્તારોને હાઇરિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વરાછા અને ઉધનામાં એક એક વિસ્તાર હાઇરિસ્ક ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે રેડઝોન અને હાઇરિસ્ક ઝોનમાં બિનજરુરી અવરજવર કરવાનું ટાળે.
સુરતમાં અહીં કોરોનાના સૌથી વધુ કેસ
ઝોન કેસ
રાંદેર 392
અઠવા 382
લીંબાયત 247
ઉધના 188
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.