ઈટાલીના એક ગામમાં 4 માર્ચે આવી જ એક ઘટના બની હતી. લોકોએ પોતાના ઘરમાં પાણી માટે નળ ખોલ્યો ત્યારે તેમાંથી પાણીની જગ્યાએ રેડ વાઈન વહેવા માંડ્યો હતો. લોકોને પહેલાં તો પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહોતો પણ સ્મેલ અને ટેસ્ટના આધારે ખબર પડી કે આ તો રેડ વાઈન જ છે.
ઇટાલીના ગામની અનોખી ઘટના
નળ ખોલતા જ વહેવા લાગી રેડ વાઇન
લોકોએ સેંકડો બોટલો ભરી લીધી
ત્યારે લોકોએ તેની સેંકડો બોટલો ભરી લીધી હતી. આવું એટલે બન્યું હતું કે નજીકમાં આવેલી એક વાઈનરી (વાઈન બનાવવાની જગ્યા)ની પાઈપનું જોડાણ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી પાણીની પાઈપલાઈન સાથે થઈ ગયું હતું.
લોકોના ઘરમાં વાઈન વહેવા માંડ્યો
જેના પગલે લોકોના ઘરમાં વાઈન વહેવા માંડ્યો હતો. ગામની એક વ્યક્તિનું કહેવું હતું કે આ કોઈ પબ્લિસિટી સ્ટંટ છે કે ખરેખર ટેકનિકલ ખામી છે તેની તપાસ થવી જોઈએ, જોકે આ ઘટના બાદ વાઈન બનાવતી કંપનીએ ફેસબુક પર લોકોની માફી પણ માગી હતી.
જાણો રેડવાઇનના ફાયદા
લંડનની કિંગ્સ કૉલેજના કૈરોલિન લે રૉયે કહ્યુ કે, ''જે લોકો સંતુલિત માત્રામાં રેડ વાઇનનું સેવન કરવાથી તેમના આંતરડામાં સારા બેક્ટેરિયાની વિવિધતા જોવા મળી છે, જે આંતરડાં સારા હોવાનો સંકેત આપે છે.''
‘ગેસ્ટ્રોએન્ટોલજી’ નામની જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત થયું છે. આ રિસર્ચમાં રેડ વાઈન, બીયર અને સ્પિરિટ્સની અસર આંતરડાંમાં રહેલા બેક્ટેરિયા પર કેવી પડે છે તેની તપાસ કરી હતી. રિસર્ચમાં રેડ વાઈનની આંતરડાં પર સકારાત્મક અસર જોવા મળી હતી. તેમજ રેડ વાઈનથી ખરાબ કોલેસ્ટ્રોલ અને મોટાપાની સમસ્યમાં પણ ઘટાડો થાય છે.
Red wine flows from water taps in Italian village after a technical fault at a local winery pic.twitter.com/I6rf2O7DkU
રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને કોલેસ્ટ્રોલ વધી જાય છે
આ રિસર્ચમાં શામેલ રેડ વાઈન પીતા લોકોમાં આંતરડાંમાં સારા બેક્ટેરિયાની વિવિધતા વધુ જોવા મળી હતી. આ બેક્ટેરિયાની વિવિધતા આંતરડાંના સ્વાસ્થ્યને દર્શાવે છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો મુજબ, આ બેક્ટેરિયામાં વિવિધતા વધુ હોવાથી બીમારીઓ સામે લડવાનું વધારે રક્ષણ મળે છે. આંતરડાંમાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયા વચ્ચે સંતુલન ના રહે તો વજન વધી જાય છે, રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને કોલેસ્ટ્રોલ વધી જાય છે.
આતંરડા માટે ફાયદાકારક છે
રિસર્ચ અનુસાર, આ સાથે જ રેડ વાઇનમાં વધારે માત્રામાં પૉલીફિનોલ્સને કારણે થાય છે. ઉલ્લેખનીય થે કે, પોલીફિનોલ્સ એક એવુ કેમિકલ છે જે સ્વાભવિક રીતે ઘણા ફળો અને શાકભાજીમાંથી મળે છે, તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ સહિત તમામ લાભદાયક તત્વો હોય છે જે આતંરડા માટે ફાયદાકારક છે.
ડિપ્રેશન દૂર કરે છે
યુનિવર્સિટી ઓફ બફેલો દ્વાર કરાયેલ રિસર્ચમાં સામે આવ્યું છે કે,રેડ વાઈનમાં રહેલું રેજ્વેરાટ્રોલ તત્ત્વ ડિપ્રેશન અને ચિંતાને ઓછી કરવામાં મદદ કરે છે.