ભારતીય બેંકો સાથે કરોડો રૂપિયોની ઠગાઈ કરીને એન્ટિગુઆ ફરાર થયેલા મેહુલ ચોક્સી વિરૂદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.
સીબીઆઈની અપીલ બાદ ઈન્ટરપોલે મેહુલ ચોક્સી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. તો અગાઉ પણ જ્યારે મેહુલ ચોક્સીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મેહુલ ચોક્સીએ કોર્ટમાં જણાવ્યું હતુ કે હાલ તેની તબિયત સારી ના હોવાથી ત્રણ મહિના માટે તે ભારત નહીં આવી શકે.
થોડા દિવસો પૂર્વે એક અહેવાલમાં ખુલાસો થયો હતો કે નીરવ મોદીના ભારત છોડ્યા પહેલાં આવકવેરા વિભાગે એક અહેવાલ શેર કર્યો હતો.
જે અહેવાલમાં નિરવ મોદી દ્વારા બનાવટી ખરીદી સ્ટોક વધારીને રજૂઆત કરવી સંબંધીઓને શંકાસ્પદ ચુકવણી અને શંકાસ્પદ લોન માટે નીરવ મોદીને ચેતવણી આપવામાં આવી હતી.
આ ચેતવણી એજન્સીએ નીરવ મોદીના પી.એન.બી ગોટાળાના 8 મહિના પહેલા આપી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે આ મહત્વપૂર્ણ આવક તપાસણી અહેવાલ કોઈ અન્ય તપાસ એજન્સી સાથે શેર કરવામાં ન આવ્યું હતો.
આવકવેરા વિભાગે ભાગેડુ હીરા કારોબારી નિરવ મોદી અને મહેુલ ચોકસી પર 10 હજાર પાનાના આવકપત્રક તપાસ અહેવાલને 8 જૂન 2017માં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.