રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધીરે ધીરે અનલોક થતાં લોકો નિશ્ચિંત બન્યા છે પરંતુ આ સમાચાર વાંચવા જૂરૂરી છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને નર્મદા નિગમના 50 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત
કુલ 2800 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા
CISFના 22 જવાનો પણ કોરોના સંક્રમિત થયા હતા
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ધીરે ધીરે અનલોક થતાં લોકો નિશ્ચિંત બન્યા છે પરંતુ આ સમાચાર વાંચવા જૂરૂરી છે. માર્ચ મહિનાથી કોરોનાને કારણે ઘરમાં પુરાઈ રહેલા લોકો ફરવા નીકળી પડ્યા છે ત્યારે તેમણે આ ન્યૂઝ ખાસ વાંચવા જેવા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમના 50થી વધુ કર્મચારી કોરોનાગ્રસ્ત થતતા ખળભળાટ મચી ગયો છે. પ્રવાસન વિભાદ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રમોટ કરવામાં આવે છે અને આ ફરવા લાયક સ્થળ પણ છે પણ કોરોનાના કહેરમાં અહીંના કર્મચારીઓ પણ કોરોનાથી મુક્ત રહી શક્યા નથી. બાળકો સાથે જો તમે ત્યાં જતા હોય તો જરા વિચાર કરી લેજો.
SOU અને નર્મદા નિગમના 50 કર્મચારીઓ સંક્રમિત
SOU પર ટેસ્ટિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. staue of unity ના 2800 કર્મચારીઓને ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 50 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત નીકળ્યા હતા. CISFના 22 જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે.
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1326 નવા કેસ સાથે કુલ આંક 1,13,662 પર પહોંચ્યો છે. તો આજે 1,205 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 94,010 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3213 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 68,828 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,88,811 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16439 છે.
સુરતમાં 300 અને સુરેન્દ્રનગરમાં 71 દર્દી સાજા થયા
રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.71% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,205 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 156, સુરતમાં 300, જામનગરમાં 114, વડોદરામાં 108 અને રાજકોટમાં 122 બાદ સુરેન્દ્રનગરમાં 71 સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
આજે છોટા ઉદેપુરમાં 2 કેસ જ્યારે ડાંગમાં એક પણ કેસ નહીં
આજે મહાનગરો સુરતમાં 281, અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 124, રાજકોટમાં 146 કેસ બાદ જામનગરમાં 151 કેસ અને મહેસાણમાં 32 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ છોટા ઉદેપુરમાં 2, અરવલ્લીમાં 3 અને પોરબંદરમાં 5 કેસ નોંધાયા છે જ્યારે ડાંગમાં એક પણ કેસ નહીં.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા