દેશમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે તો સામે ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં 341 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ ગયા છે. વિવિધ રાજ્યોમાં પ્રતિબંધો લાગુ પાડવામાં આવી રહ્યા છે.
દેશમાં વધી રહ્યો છે ઓમીક્રોનનો ખતરો
341 લોકો સંક્રમિત
ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાં પ્રતિબંધો
દેશમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે તો સામે ઓમીક્રોનના કેસ પણ વધી રહ્યા છે ત્યારે હવે દેશમાં 341 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થઈ ગયા છે.
કોરોનાનો ખતરો જોતાં વડાપ્રધાન મોદીએ પણ અધિકારીઓ સાથે મિટિંગ કરીને કેટલાક નિર્દેશો કર્યા હતા. મિટિંગ બાદ PM મોદીએ પૂરેપૂરી જાણકારી લીધી હતી. પ્રધાનમંત્રી મોદીની મિટિંગ બાદ કેટલાક્ રાજ્યોમાં પ્રતિબંધો લગાવવા આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં રાત્રિ કર્ફ્યૂ
ઉત્તરપ્રદેશમાં ઓમિક્રોનના કેસ વધે એ પહેલા જ આગોતરા પગલાંના ભાગરૂપે સરકારે પગલાં લીધા છે અને નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે જે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈ સવારના 5 વાગ્યા સુધી રહેશે.
લગ્નમાં 200 થી ઓછા લોકોને પરમીશન
આ ઉપરાંત હવેથી યુપીમાં લગ્નોમાં માત્ર 200 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે જેથી વધારે મોટા મેળવડા અને જમાવડા ન થાય અને ઓમિક્રોનના ભાવિ ખતરા સામે રક્ષણ મેળવી શકાય.
મધ્યપ્રદેશમાં પણ omicon નો એક પણ કેસ નહીં છતાં નાઈટ કર્ફ્યૂ
ઉત્તરપ્રદેશ સિવાય મધ્યપ્રદેશમાં પણ નાઈટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જો કે ત્યાં પણ એક પણ કેસ હજુ સુધી omicron variant નો નથી નોંધાયો છતાં ત્યાં શિવરાજ સરકાર દ્વારા નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો. MP માં પણ રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરનાર સામે આઈપીસીની 188 કલમ હેઠળ ગુનો નોધાશે
મહારાષ્ટ્રમાં આજે કોવિડ-19ની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ આ વર્ષે નાતાલ અને નવા વર્ષની ઉજવણી પ્રતિબંધ મુકાય તેવી સંભાવના છે. આ સાથે હોટલ, રેસ્ટોરન્ટ, લગ્ન સમારંભ, પાર્ટીઓમાં ભીડ નિયંત્રિત કરવા માટે નવી માર્ગ દર્શિકા તૈયાર કરવામાં આવશે. રાજ્યના પિંપરી ચિંચવાડના મ્યુનિસિપલ કમિશ્નરે નવા આદેશમાં જણાવ્યું હતું કે, કોવિડ અંગે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતાં કોઈ પણ વ્યકિત સામે આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોધવામાં આવશે. અને તેમાં ઓછામાં ઓછી 6 મહિનાની જેલની સજા અથવા 1000 રૂપિયા અથવા બંનેનો દંડ છે.
પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આપ્યા આ આદેશ
પીએમ મોદીએ અધિકારીઓને એવા જિલ્લાની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો કે જ્યાં હજુ સુધી વેક્સિનેશનમાં કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે અધિકારીઓને કહ્યું કે તેઓ રાજ્ય સાથે વેક્સિનેશન સંબંધિત સમસ્યાઓ અંગે વાતચીત કરે અને વધારેમાં વધારે લોકોનું વેક્સિનેટેડ કરવામાં મદદ કરે.
ભારત માટે સાચવવા જેવો સમય તો હવે આવ્યો છે. 21 દિવસ પહેલા એટલે કે 2 ડિસેમ્બરે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો ત્યારથી આજે કુલ કેસનો આંકડો 300ને પાર પહોંચતા હવે ભારત માટે ખરો સમય આવ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરકાર સતર્ક છે. બીમારીના અટકાવ અને પ્રબંધન માટે કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરો સહયોગ આપી રહી છે. તત્કાળ અને પ્રભાવી કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં ઝડપ, વેક્સિનેશનમાં ઝડપ લાવવી તથા સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે ઓમિક્રોનથી બચવા માટે આપણે સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. સાંજના લગભગ 7 વાગ્યે શરુ થયેલી બેઠક એક કલાક સુધી ચાલી હતી તેમાં પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનનો સ્ટોક વધારવા તથા દેશભરમાં વેક્સિનેશન વધારવા સંબંધિત નિર્દેશ આપ્યો હતો.
દિલ્હીમાં ફરી કોરોના આઉટ ઓફ કંટ્રોલ
દિલ્હીમાં ફરીથી કોરોના નિયંત્રણ બહાર જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં સતત 100 થી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. તો ઓમીક્રોનના કેસ દિલ્હીમાં બીજા નંબરે છે. એક સમયે દિલ્હીમાં સૌથી વધારે ઓમિક્રોનના કેસ જોવા મળ્યા હતા. દિલ્હીમાં એક તરફ ઠંડી અને બીજી તરફ પ્રદૂષણ પણ લોકોને હેરાન પરેશાન કરી મુકવા માટે વધી ગયું છે.
તેલંગાણામાં સ્વૈચ્છિક લોકડાઉન
મહારાષ્ટ્ર-દિલ્હી બાદ તેલંગાણા અને ગુજરાતમાં પણ ઓમીક્રોન વેરીયન્ટનો ખતરો વધ્યો છે. ગુજરાતમાં કોરોના કેસ હવે 30 કરતાં વધારે થઈ ગયા છે આજે એક જ પરિવારના 6 કેસ આવ્યા બાદ ટેન્શન વધ્યું છે. તેલંગાણામાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.