LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે.
લોકરક્ષકદળની ભરતીની રાહ જોતા યુવાનો આનંદો
ઉમેદવાર OJAS વેબસાઇટ પર ભરી શકશે ફોર્મ
LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
લોકરક્ષકદળની ભરતી પરીક્ષાને લઇ મહત્વના સમાચાર આવઇ રહ્યા છે. લોકરક્ષકદળની ભરતીની રાહ જોતા યુવાનોની આતુરતાનો અંત આવ્યો છે. LRD ભરતી પ્રક્રિયા આજથી શરૂ કરી દેવાંમાં આવી છે. ભરતી માટે ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે.LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે આ પહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા દિવસ અગાઉ પોલીસ ભરતીને જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે ભરતીના અરજી માટે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે આવનાર 100 દિવસમાં ભરતી પૂર્ણ થશે તેવી જાહેરાત પહેલાથી જ કરી દેવામાં આવી છે. 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે આજથી એટલે કે 23 ઓકટોબરથી 9 નવેમ્બર સુધી ઉમેદવાર અરજીકરી શકશે
પ્રશ્ન પેપરનો સમય બે કલાક અને ગુણ તેમજ પ્રશ્નો 100 માર્કસના રહેશે
જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.
શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે
ગુજરાત સરકારની પોલીસ અને LRDભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્ય સરકારે પરીક્ષાર્થી વિધાર્થીઓની માંગને સ્વીકારી લેતા યુવા પરિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.રાજ્યસરકારના વિભાગે પોલીસ અને LRDની સીધી ભરતી માં 15 અને 8 ગણાનો નિર્ણય બદલ્યો છે અને શારીરિક કસોટી પાસ કરતાં સીધી લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે
સાથે જ યુવાનો આશા રાખી રહ્યાં છે કે, આ ભરતી પ્રક્રિયા કોઇ પણ વિઘ્ન કે વિવાદ વિના પારદર્શક રીતે પૂર્ણ થાય. સરકારે 100 દિવસમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની જાહેરાત કરી છે. ત્યારે ઉમેદવારો પણ પોતાને આગામી 100 દિવસ માટે એકદમ ફીટ અને તૈયાર રાખવા માટે મહામહેનત કરી રહ્યાં છે.આરામ ત્યજીને પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.
લોકરક્ષક ભરતીમાં લેખિત પરીક્ષાનો સમય ૨ કલાક છે. સો પ્રશ્નો, સો માર્કસ, બે કલાક.
ભરતી પારદર્શિતાથી થશે
પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે,નોકરીમાં લાગવગથી અને નાણાંના જોરે નોકરી અપાવવાની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી છે. પોલીસ ભરતી માટે જો કોઈ નોકરીની અપાવવાની મધલાળ આપે અને બદલામાં નાણાની માગણી કરે તો આવા લોકોની વાતનું રેકોડિંગઆપવા પણ જણાવ્યું છે.