ગત વર્ષના નવેમ્બર મહિનામાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા 700 જેટલાં TRB જવાનોને ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂંકની ફરિયાદ થતાં ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી
અમદાવાદમાં 700 TRB જવાનની કરાશે ભરતી
23 એપ્રિલે TRBની ભરતી અંગેની કામગીરી થશે શરૂ
18000 જેટલા ઉમેદવારો ફોર્મ ભરાયા હતા
અમદાવાદમાં 700 TRB જવાનની ભરતીની કામગીરી 23 એપ્રિલેથી શરૂ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોને ડિસીપ્લીન, નિયમિતા,પ્રામાણિકતાની ટ્રેનિંગ અપાશે. સૌ પ્રથમ 800 મીટરની રનિંગ ટેસ્ટ લેવાશે જે બાદ લેખિત પરીક્ષા લેવાશે.
700 TRBની ભરતી થશે
ગત વર્ષના અંત મહિનામાં ટ્રાફિક પોલીસમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે એક મોટો નિર્ણય લેવાયો હતો જેમા ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારમાં સપડાયેલા TRB જવાનો સામે કડક કાર્યવાહી કરી અંદાજે 700 જેટલા TRB જવાનોને છૂટા કરી દેવાયા હતા. જે બાદ તરત જ બીજી તરફ નવા 700 TRB જવાનોની ભરતી પણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. TRB જવાનોની ભરતી માટે 33900 જેટલા ફોર્મની અરજીઓ આવી છે. 20,148 જેટલી ઈન ક્રાઇટ એરિયા છે. જેમા 18000 જેટલા પુરુષો અને 20146 જેટલી મહિલાઓ છે. જેમાથી લગભગ 13,752 જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી. છેલ્લે કુલ 18000 જેટલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.
કઈ રીતે કસોટી કરી શકાશે પાસ
અમદાવાદમાં 700 ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશેજેને લઈને શારીરિક કસોટી લેવામાં આવશે.જેમાં પુરુષ ઉમેદવાર માટે 800 મીટર દોડ તથા મહિલા ઉમેદવાર માટે 400 મીટર દોડની પરીક્ષા લેવામાં આવશે.પુરુષ ઉમેદવારોને આ દોડ 190 સેકન્ડમાં તથા મહિલા ઉમેદવારોએ આ દોડ 105 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.આ સાથે પુરુષ ઉમેદવારોને 6 પુશઅપ અને 10 દંડની પરીક્ષા પણ આપવાની રહેશે.
પગાર કેટલો ચૂકવાશે?
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક બ્રિગેડને દૈનિક રૂ.300નો પગાર ચુકવવામાં આવશે.તથા આ પગાર અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા પગાર ચુકવવામાં આવશે.ત્યારે નવા ભરતી થનાર TRB જવાનો લોકો સાથે શાંતિપૂર્ણ વ્યવહાર, સોફ્ટ સ્કિલ, સિગ્નલ સહિતની માહિતી માટે ટ્રેનિંગ આપવામાં આવશે.