TAT પાસ ઉમેદવારોએ આજે ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી. તેમજ TAT પ્રમાણપત્રની સમય મર્યાદા વધારવા મુદ્દે ભરતી અટવાઈને પડી છે. જે બાબતે શિક્ષણમંત્રીને રજૂઆત કરી હતી.
TAT પાસ ઉમેદવારોની ભરતી કરવા શિક્ષણમંત્રીને રજૂઆત
સરકાર દ્વારા કોઈ ઠરાવ કરવામાં ન આવતા ભરતી અટવાઈ
ધોરણ 9થી12ની 10 હજાર ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માગ
TAT પાસ ઉમેદવારોની ભરતી કરવા માટે ફરી શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. તેમજ TATના પ્રમાણપત્રની સમયમર્યાદા વધારવા મુદ્દે પણ ઉમેદવારો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે સરકાર દ્વારા કોઈ ઠરાવ કરવામાં ન આવતા ભરતી પ્રક્રિયા અટકી છે. ત્યારે ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે કે TAT ના પ્રમાણપત્ર સબંધિત ઠરાવ પસાર કરી ભરતી પ્રક્રિયા કરવામાં આવે. ત્યારે ધોરણ 9 થી 12 માં 10 હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માંગ કરવામાં આવી છે. આ બાબતે અગાઉ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ઠરાવ પસાર કરી ઉમેદવારોને આશ્વાસન આપ્યું હતું. ત્યારે આશ્વાસન આપ્યું હોવા છતાં પણ ઠરાવ પસાર ન થતા ભરતી અટવાઈ છે.
ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી
આ બાબતે ટાટ પાસ ઉમેદવાર નિલેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે અમે ટાટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવ્યા હતા. અને આ રજૂઆત અમે છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે. અમારી ટાટ ભરતી ટાટ વેલીડીટીના ઠરાવના કારણે અટકી છે. જ્યારે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હતા. ત્યારે તેઓએ માર્ચ 2022 માં ટાટ પ્રમાણ પત્રની વેલીડીટી વધારવામાં આવી છે. પરંતું આજ સુધી તેને ઠરાવ થયો નથી. તેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ ઠરાવ ઝડપથી કરવામાં આવે અને અમારી અટકી પડેલી ભરતી પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી અમારી ઉમેદવારોની માંગણી છે.