દેશમાં પાંચ મહત્વના રાજ્યોમાં ચૂંટણી પરિણામો આવી રહ્યા છે. ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઇતિહાસ બદલ્યો છે. કેટલાક વર્ષો જૂનાં રેકોર્ડ પણ તૂટયા છે.
ઉત્તરાખંડમાં રોટલિ ફેરવવાનો ફોર્મ્યુલા ફેલ
UP અને ઉત્તરાખંડમાં રેકોર્ડ તૂટયા
પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત હારે તેવી શક્યતા
ઉત્તરાખંડમાં પણ ભાજપ રચશે ઇતિહાસ
ઉત્તરાખંડ રાજ્યનો ઇતિહાસ જોઈએ તો ઉત્તરાખંડમાં દર પાંચ વર્ષમાં કોઈ નવી જ સરકાર બને છે માટે આ વખતે ત્યાં કોંગ્રેસ સરકાર બનવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો.
એવું પણ કહેવાતું હતું કે રોટી જો તવા પરથી બદલાય નહીં તો બળી જાય. માટે ત્યાં સરકારો બદલાતી રહે છે. પણ આ વખતે જનતાનો મૂડ કંઇક અલગ જ હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે અમે વધુમાં વધુ સીટો પર જીતી રહ્યા છીએ અને જ્યાં અમે હારી રહ્યા છીએ ત્યાં પણ કટોકટીનો મુકાબલો છે.
પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત હારે તેવી શક્યતા
પણ ખરેખર તો ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે અને હરીશ રાવત પોતે જ હાર તરફ જઈ રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત હારે તેવી શક્યતા
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પોતે ચૂંટણી હારે તેવી શક્યતા દેખાઈ રહી છે.
65 ટકા વોટિંગ થયું
ઉત્તરાખંડમાં 70 વિધાનસભા સીટો છે તેમાં આ વખતે ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. જે એક સારો આંકડો માનવામાં આવે છે. માટે મતદાન તરફ પણ નિરસતા નથી દેખાઈ અને હવે પરિણામોમાં પણ ભગવો લહેરાતો દેખાઈ રહ્યો છે.
45 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ
ઉત્તરપ્રદેશમાં આ વખતે ભાજપે તમામ જૂનાં રેકોર્ડબ્રેક કરી દીધા છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 45 વર્ષમાં ભાજપને સૌથી વધુ મત, 45 ટકા જનમત સાથે ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે. હવે ઘણુંખરું સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે પણ યોગી સરકાર જ ઉત્તરપ્રદેશમાં ફરી આવશે. કારણ કે ભાજપ 250 કરતાં વધુ સીટો પર બહુમતી મેળવવા તરફ આગળ વધી રહ્યું છે.
જો યોગી જીતી જશે તો...
યુપીમાં જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને યોગી આદિત્યનાથ સીએમની ખુરશી પર બેસશે, તો પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરનારા ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે, જે ફરી એક વાર સત્તા પર બિરાજશે. સાથે જ યોગી મુખ્યમંત્રી બન્યા તો, 2007 બાદ પહેલીવાર એવુ બનશે, જે એક સીએમ રહેતા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.
નોઈડાનું મિથક તોડી નાખશે
તેની સાથે સાથે યોગી આદિત્યનાથ જીતની સાથે એ પણ મિથક તોડી દેશે, જે પણ મુખ્યમનંત્રી નોઈડા આવે છે, તે ફરી સત્તામાં પાછા આવતા નથી. પણ સીએમ યોગીએ પાંચ વર્ષના કાર્યકાળમાં કેટલીય વાર નોઈડાનો પ્રવાસ કર્યો હતો, તેમણે આ મિથકને નજરઅંદાજ કરીને વિપક્ષ પર આકરાં પ્રહારો કર્યા હતાં.
નોઈડાનો પ્રવાસ કરનારા જીતી શકતા નથી
આ મિથકની શરૂઆત 1988માં થઈ હતી, જ્યારે સીએમ તરીકે બહાદુર સિંહ નોઈડા આવ્યા અને સંયોગ જોવો, તેમની ખુરશી જતી રહી, ત્યાર બાદ એનડી તિવારી સીએમ બન્યા અને 1989માં નોઈડા સેક્ટર 12માં નહેરુ પાર્કમાં ઉદ્ધાટન કરવા પહોંચ્યા અને તેમની પણ ખુરશી જતી રહી. બાદમાં કલ્યાણ સિંહ અને મુલાયમ સિંહની સાથે પણ એવું જ થયું. ત્યાર બાદ અંધવિશ્વાસ તો છાપરે ચડીને પોકારવા લાગ્યો. સીએમ તરીકે રાજનાથ સિંહ પણ નોઈડા જતા ડરવા લાગ્યા હતા. અને એક ફ્લાઈઓવરનું ઉદ્ધાટન કરવાની જગ્યાએ દિલ્હીમાંથી કર્યું હતું. બાદમાં 2007માં માયાવતી અને 2012માં અખિલેશે સત્તા સંભાળી અને સમગ્ર કાર્યકાળમાં નોઈડાથી અંતર બનાવી રાખ્યું હતું. જો કે, 2017માં યોગી સીએમ પદ પર આવ્યા અને એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર નોઈડા આવ્યા તથા પાંચ વર્ષનો કાર્યકાળ પુરો પણ કર્યો.