મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થતાં ચિંતા વઘી છે. શનિવારે રાજ્યમાં કુલ 6281 નવા કેસ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર
શનિવારે આવ્યા 6281 નવા કેસ
શું આ કોરોનાની ત્રીજી લહેર છે?
શનિવારે આવ્યા 6281 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યા છે. શનિવારે રાજ્યમાં 6281 નવા કેસ આવતાં જ મુંબઈમાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે.
महाराष्ट्र स्वास्थ्य विभाग के अनुसार राज्य में पिछले 24 घंटे में #COVID19 के 6,281 नए मामले सामने आए हैं। 2,567 लोग डिस्चार्ज हुए और 40 लोगों की मृत्यु दर्ज़ की गई।
મુંબઈમાં શનિવારે કોરોનાના 697 નવા કેસ આવ્યા છે. ડિસેમ્બર બાદ પહેલીવાર અહીં એવું થયું છે કે એક દિવસમાં આટલા કેસ આવ્યા હોય. મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 6112 નવા કેસ આવ્યા હતા. જ્યારે તેનાથી એક દિવસ પહેલાં ગુરુવારે 5427 કેસ અને બુધવારે 4787 નવા કેસ આવ્યા હતા.
ઔરંગાબાદમાં પણ આવ્યા 156 નવા કેસ
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પણ કોરોનાના 156 નવા કેસ આવ્યા છે. જેનાથી જિલ્લામાં સંક્રમણના કેસની સંખ્યા વધીને 48293 થઈ છે. શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી.
કોરોનાના કારણે જિલ્લામાં થયા 4 મોત
અધિકારી તરફથી મળતી માહિતિ અનુસાર જિલ્લામાં 4 લોકોના મોત થયા છે. જેમાંથી 3 જિલ્લાના ગ્રામીણ ભાગમાં થયા છે અને તેનાથી જિલ્લામાં મોતની સંખ્યા 1250 થઈ છે. અધિકારીના જણાવ્યા અનુસાર એક દિવસમાં 55 રોગીને સારવાર બાદ રાહત અપાઈ છે. જેનાથી જિલ્લામાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 46342 થઈ છે. હાલમાં શહેરમાં 701 લોકોની સારવાર ચાલી રહી છે.
કોરોનાને લઈને સંજય રાઉતે કર્યો આ દાવો
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણને વધતું જોતાં શિવસેના સાસંદ સંજય રાઉતે શનિવારે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે સાર્વજનિક સ્થળોને ખોલવાના પક્ષમાં નથી. તેઓએ કહ્યું કે આ વિપક્ષ હતું જે પ્રતિબંધને હટાવવાની માંગ કરી રહ્યું હતુ.