દેશમાં જેમ જેમ કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ રાજધાની દિલ્હીમાં પણ કોરોનાને લીધે દિનપ્રતિદિન પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.
દિલ્હીના કોરોના કેસમાં ચિંતાજનક વધારો
આજે કેસના આંકડાએ 11 હજારના માર્કને વટાવી દીધો
મોતના આંકડા પણ વધી ચિંતાજનક
દિલ્હીમાં કોરોનાની નવી લહેરના લીધે જ્યાં રોજબરોજ રેકોર્ડ તૂટી રહ્યા છે, સોમવારે કોરોના કેસના આંકડાઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા. છેલ્લા 24 કલાકમાં, રાજધાનીમાં કુલ 11491 નવા કેસ મળી આવ્યા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. આ અગાઉ ગઈકાલે,એટલ એટલે કે 11 એપ્રિલ (રવિવાર) ના રોજ, 10774 લોકોને સંક્રમણની પુષ્ટિન થઈ હતી.
72 લોકોના મોત નીપજયાં
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે કોરોનાથી 72 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો કે, 7665 દર્દીઓ સાજા પણ થયા. છેલ્લા 24 કલાકમાં, 92,397 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી 65,564 આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા છે, તે જ સમયે, રેપિડ એન્ટિજન કિટથી સાથે 26,883 તપાસ કરવામાં આવી હતી. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 1,56,50, 640 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી ચૂક્યું છે. ચેપગ્રસ્તની લોકોની સંખ્યા વધીને 7, 36, 688 થઈ ગઈ છે. તેમાંથી 6, 87, 238 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણનો રેટ 10.00 થી 12.44 ટકા થઈ ગયો છે.
આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં દિલ્હીમાં 11,355 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુ દર વધીને 1.54 ટકા થઈ ગયો છે. 38,095 એક્ટિવ કેસ છે. તેમાંથી 19,354 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલોમાં 6940 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, 5068 પલંગ હજી ખાલી છે. 241 દર્દીઓ કોવિડ સેન્ટરોમાં દાખલ છે, જ્યારે 5279 પથારી ખાલી છે. કોવિડ આરોગ્ય કેન્દ્રમાં 82 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તે જ સમયે, 13 બેડ ખાલી છે.
14 હોસ્પિટલોને કોવિડ સ્પેશિયલ જાહેર કરવામાં આવી
તે જ સમયે, કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે 14 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે. તે જ સમયે, 19 ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા આઇસીયુ બેડ અને 82 હોસ્પિટલોમાં 60 ટકા આઇસીયુ બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યા હતા. તે જ સમયે છ સરકારી હોસ્પિટલોમાં 593 પથારી કોવિડ દર્દીઓ માટે નિયમિત કરાઇ છે.