કોરોનાને લઈને થેયલી બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી છે કે દેશના રિકવરી રેટમાં ઘટાડો આવ્યો છે.
દેશમાં રિકવરી દર ઓછો થઈ ગયો છે
આપણા રિકવરી રેટ અને સ્વાસ્થ્યના ઢાંચા પર અસર પડી રહી છે
63 જિલ્લામાં છેલ્લા 28 દિવસોમાં એક પણ મામલા સામે નથી આવ્યા
દેશમાં કોરોના સંક્રમણના નવા મામલામાં દર રોજ વધારો થઈ રહ્યો છે. જેના કારણે આપણા રિકવરી રેટ અને સ્વાસ્થ્યના ઢાંચા પર અસર પડી રહી છે. કોરોનાને લઈને થેયલી બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપી છે કે દેશના રિકવરી રેટમાં ઘટાડો આવ્યો છે. ત્યારે રસીકરણની સ્પીડ વધી છે. ઉલ્લેખીય છે કે શુક્રવારે ભારતમાં એક દિવસમાં કોવિડ 19માં 1,31, 968 નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1, 30, 60, 542 થઈ ગઈ. ત્યારે 780 વધારે લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1, 67, 642 થઈ ગઈ આ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં હાલમાં 9, 79, 608 લોકોની સારવાર ચાલી રહી છે. અને 1, 19, 13, 292 લોકો સંક્રમણ મુક્ત થયા છે.
દેશમાં રિકવરી દર ઓછો થઈ ગયો છે.
ત્યારે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય 24મી બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે દેશમાં રિકવરી દર ઓછો થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે 1, 19, 13, 292 ,સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ જે એક સમયમાં ગત 2-3 મહિનામાં 96-97 ટકા થઈ ગયો હતો. હવે ઘટીને 91.22 ટકા થઈ ગયો છે.
અત્યારે 0.46 ટકા ગંભીર દર્દીઓ વેન્ટિલેટર પર છે
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અમારી પાછલી બેઠકના સમયે સમગ્ર દેશમાં 1, 53, 847 મોત થયા હતા. અને અત્યાર સુધી 1, 67, 642 મોત થઈ ચૂક્યા છે. તે સમયે 123 મોત થઈ રહ્યા હતા. આજે દરેક દિવસે 780 મોત થઈ રહ્યા છે. ઉચ્ચ સ્તરીય સમિતિએ હર્ષવર્ધનને કહ્યું કે અત્યારે 0.46 ટકા ગંભીર દર્દીઓ વેન્ટિલેટર પર છે. 2.31 આઈસીયૂમાં છે અને 4.51 ઓક્સિજન સપોર્ટેડ બેડ પર છે.
63 જિલ્લામાં છેલ્લા 28 દિવસોમાં એક પણ મામલા સામે નથી આવ્યા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોવિડના ઉચ્ચ સ્તરીય સમૂહ મંત્રીઓની 24મી બેઠકમાં કહેવામાં આવ્યું છે કે અમારા મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. હવે આ 1.28 ટકા પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આજે 9 વાગે નવીનતમ આંકડા જણાવે છે કે ભારતમાં 9, 43, 34, 262 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગત 24 કલાકમાં આપણે 36, 91, 511 ડોઝ આપ્યા છે. ગત અઠવાડિયામાં એક દિવસમાં 43 લાખ ડોઝ આપ્યા જે કદાચ આખી દુનિયામાં ક્યાંય નથી આપવામાં આવ્યા.
મંત્રીએ દાવો કર્યો છે કે 149 જિલ્લામાં ગત 7 દિવસોમાં કોરોનાના મામલા નથી આવ્યા. 8 જિલ્લામાં ગત 14 દિવસોમાં એક પણ મામલા નથી આવ્યા. ત્યારે 3 જિલ્લામાં ગત 21 દિવસોમાં એક પણ નવા કેસ નથી આવ્યા અને 63 જિલ્લામાં ગત 28 દિવસોમાં એક પણ મામલા નથી આવ્યા.