એનર્જી એટલે કે ઉર્જા બે પ્રકારની હોય છે. એક સકારાત્મક અને બીજી નકારાત્મક. તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે કે નહી તે આ રીતે જાણો
વાસ્તુ પ્રમાણે જાણો ઘરમાં રહેલી ઉર્જા
નેગેટીવ એનર્જીને ઓળખો
પોઝીટીવ એનર્જી લાવવા માટે કરો ઉપાય
જેમ કોઇ વ્યક્તિમાં પણ પોઝીટીવ અને નેગેટીવ વાઇબ્સ હોય છે તેમ ઘરમાં પણ પોઝીટીવ અને નેગેટીવ વાઇબ્સ હોય છે. ઘરમાં જો પોઝીટીવ વાઇબ્સ હોય તો સુખ અને શાંતિ બની રહે છે જ્યારે નકારાત્મક ઉર્જા હોય તો મુશ્કેલીઓ વધતી જાય છે. કેટલાક સંકેત તમને કહી આપશે કે તમારા ઘરમાં નેગેટીવ વાઇબ્સ છે કે નહી.
આ રીતે ખબર પડશે
પરિવારનો કોઇ સદસ્ય અચાનક ગંભીર બિમારીનો શિકાર થઇ જાય અને ઇલાજ કરાવ્યા બાદ પણ જો તે સાજી ન થાય તો ઘરમાં નકારાત્મક ઉર્જા છે.
નોકરી કે વ્યાપારમાં તમે સંપૂર્ણ મહેનતથી કામ કરો છો પણ છેલ્લા સમયમાં તમારુ કામ અટકી જાય છે અને હાથમાં આવેલી તક છીનવાઇ જાય છે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે.
દરેક સમયે આળસમાં રહેવુંસ કોઇ કામ પર ફોકસ ન કરી શકવું,, સામે ઘણી તક હોય તેમ છતાં તેનો ફાયદો ન ઉઠાવી શકવો અને વિચારવાની ક્ષમતા ગુમાવી બેસો છો તો તેનો અર્થ ઘરમાં જ શોધો.
વારંવાર મગજમાં નકારાત્મક વાતો આવવી, મન અશાંત રહેવુ, ઘરમાં પ્રવેશતાની સાથે જ રોવાનુ મન થવુ અને આત્મહત્યાના વિચારો કરવા
ઘરની નકારાત્મકતા દૂર કરવાના ઉપાય
ઘરના મુખ્ય દરવાજો જ્યાંથી તમે એન્ટ્રી લો છો તેને હંમેશા સાફ રાખો જેથી નકારાત્મકતા ઘરમાં પ્રવેશી ન શકે. ઘર અંદરથી જ નહી પરંતુ બહારથી પણ સાફ સફાઇ કરવી જોઇએ.
તમે ઇચ્છો તો ગુરુવાર સિવાય બાકીના બધા દિવસ પાણીમાં સમુદ્રી મીઠુ નાઁખીને પોતુ કરી શકો છો. તે નકારાત્મક ઉર્જા ભગાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
ઘરમાં પૂજા પાઠ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સવાર સાંજ પૂજા કરો અને ઘીનો દિવો કરો. કોઇ શુભ તિથી જોઇને ઘરમાં સત્યનારાયણની પૂજા કરવી જોઇએ.