તાજેતરમાં જ ભારતી એરટેલ વોડાફોન આઇડિયાને Jio ના કારણે સતત થઇ રહેલા નુકસાનને ઓછું કરવા માટે નંબર પર ફ્રી ઇનકમિંગ સર્વિસ બંધ કરી દીધી છે. જેના કારણે હવે ગ્રાહકોને પોતાના નંબર પર મિનિમમ રિચાર્જ બેલેન્સ રાખવું જરૂરી થઇ ગયું છે અને જો ગ્રાહકોએ આવું ના કર્યું તો તમારો ફોન નંબર બંધ થઇ જશે અને એની તમામ સેવાઓ રોકી દેવામાં આવશે. જો તમે આવી કોઇ સ્થિતિથી બચવા ઇચ્છો છો તો તમારે તમારા નંબર પર મિનિમમ રિચાર્જ કરાવવું જ પડશે તો એવામાં અમે તમને આજે જણાવી રહ્યા છીએ કેવી રીતે દરરોજ એક રૂપિયાથી ઓછામાં તમે તમારા ફોનમાં ફ્રી ઇનકમિંગ કોલ્સનો ફાયદો ઊઠાવી શકો છો.
તમને જણાવી દઇએ કે મોટાભાગે યૂઝર્સની પાસે હાલ એકથી વધારે સિમ કાર્ડ હોય છે. જેમાંથી યૂઝર્સ માત્ર એક સિમ કાર્ડનો ઉપયોગ કોલિંગ અને ડેટા માટે કરે છે. બીજા સિમ કાર્ડનો ઉપયોગ યૂઝર્સ માત્ર ઇનકમિંગ માટે કરે છે અને એની પર રિચાર્જ કરાવતા નથી અને જેના કારણે કંપનીને ખૂબ નુકસાન થાય છે. જેને જોતા કંપનીએ મિનિમમ બેલેન્સ પેક લોન્ચ કરી દીધું છે.
જો કોઇ પણ યૂઝર્સ પોતાના નંબરને 30 દિવસો સુધી મિનિમમ રિચાર્જ પેક્સની સાથે રિચાર્જ કરાવતા નથી તો એમના આઉટગોઇંગ કોલ્સ બંધ કરી દેવામાં આવશે અને 45 દિવસ બાદ ઇનકમિંગ કોલ્સ પણ બંધ કરી દેવામાં આવશે. આ મિનિમમ રિચાર્ડ માત્ર એ લોકોએ કરાવવું પડશે જે પોતાના નંબર પર કોઇ પણ રિચાર્જ કરાવતું નથી અને એ જ લોકોને પોતાનો નંબર બંધ થવાનું જોખમ રહેશે.
તાજેતરમાં જ એરટેલે 23 રૂપિયા વાળો નવો રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. જેની વેલિડિટી 28 દિવસની છે. એટલે કે દરરોજ 1 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં ઇનકમિંગ કોલ્સનો ફાયદો મળે છે. જણાવી દઇએ કે આ પેકમાં તમને બીજો કોઇ ફાયદો મળશે નહીં એને રિચાર્જ કરાવ્યા બાદ તમારો ફોન નંબર પહેલાની જેમ ચાલતો રહેશે.