ગીર સોમનાથમાં વર્ષ 2018-19માં ખેડૂતો પાસેથી વીમા કંપનીએ 68 કરોડની તગડી રકમ વીમાનાં પ્રીમિયમ પેટે વસૂલી હતી. હવે જ્યારે ખેડૂતોને નુકસાની વળતર ચૂકવવાનો વારો આવ્યો ત્યારે માત્ર 2 કરોડ 36 લાખ ચૂકવ્યા. તે પણ માત્ર 33 ગામના ખેડૂતોને એકને ગોળ અને બીજાને ખોળની નીતિ વીમા કંપનીએ અપનાવી છે.
ગત ચોમાસા દરમિયાન ગીર સોમનાથમાં અતિવૃષ્ટિ થતા આ જિલ્લાનાં ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાની સ્થિતિ ઉભી થઇ હતી. સરકારના રેકર્ડ મુજબ ગીર સોમનાથ જિલ્લામાં 90 ટકા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો.
મુખ્યમંત્રીએ આ જિલ્લામાં મુલાકાત કરીને ખેડૂતોને ગયેલી મોટી નુકસાની નજરે નિહાળી જમીન ધોવાણ અને પાકની નિષ્ફળતા સ્વીકારી હતી. જિલ્લામાં કુલ 281 ગામોએ પાક વિમાનું પ્રિમિયમ ભર્યું હતું. જે પૈકી માત્ર 33 ગામોને જ વીમો ચૂકવાયો અને એ પણ માત્ર 3થી 4 ટકા જેવી નજીવી રકમ ચુકવતા ખેડૂતો રોષે ભરાયા છે.
ગીર સોમનાથના સૂત્રાપાડા વેરાવળ તાલાળા કોડીનાર ઊના અને ગીરગઢડા એમ કુલ 6 તાલુકા આવેલા છે. આ 6 તાલુકામાં 1 લાખ 10 હજાર જેટલા ખેડૂતો હજારો હેક્ટર જમીનમાં ખેતી કરે છે. ભારે વરસાદને કારણે આ વર્ષે તબાહી મચી હતી. અનેક ગામો બેટમાં ફેરવ્યા હતા. જિલ્લાભરના ખેડૂતો ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગીર વિસ્તારની મુલાકાત લઈ સહાયની જાહેરાત કરી હતી. મહિનાઓ બાદ ખેડૂતોને સહાય પણ ચૂકવાય હતી.
જો કે પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત ભારતીય કક્ષા જનરલ ઇનસોરન્સ કંપની દ્વારા ગીર સોમનાથના 281 ગામોમાંથી 2 ટકા લેખે પ્રિમયમ કલેક્ટર કર્યા હતા. વીમો ચુકવવાની વાત આવી ત્યારે આ કંપની દ્વારા ગીરસોમનાથના 6 તાલુકાના 33 ગામોના ખેડૂતોને જ સહાય ચુકવી છે.
ગીરસોમનાથના મદદનીશ ખેતી વાડી અધિકારી વિનય પરમારે આ મામલે નિવેદન આપ્યું હતું. 33 ગામના ખેડૂતોને વીમો ચુકવાયો છે. એક કરોડ ચૂકવવાના હતા પરંતુ 3.53 લાખ કરોડ ચૂકવ્યા છે. સુત્રાપાડાના 5 ગામોને વેરાવળ 9 ગામોને ગીર ગઢડા 7 ગામને વીમો ચૂકવાયો છે.
ગીર વિસ્તારમાં ચોમાસાના કારણે ખેતીનો પાક નિષ્ફળ ગયો હતો. 100થી વધુ ગામો બેટમાં ફેરવ્યા હતા. સરકાર દ્વારા વીમાની યોજનાઓ કર્યા પછી પણ આ કંપનીઓ ખેડૂતોને તેમનો હક આપતા નથી.