મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પોતાના ઉપર લાગેલા હિતોના ટકરાવ મામલાને રદ કરતા દાવો કર્યો છે કે, તેમને ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સથી ન તો કોઇ ફાયદો ઉઠાવ્યો છે અને ના તો તે નિર્ણય લેવાની કોઇ પ્રક્રિયામાં ભાગીદાર છે.
સચિન તેંડુલકરે રવિવારના BCCIના લોકપાલ ન્યાયમૂર્તિ ડી.કે જૈને મોકલેલી નોટિસનો જવાબ દાખલ કર્યો જેમાં 14 પોઈન્ટનો ઉલ્લેખ કર્યો છે. તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણને મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘના સદસ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર નોટિસ મોકલાઇ હતી. ફરિયાદ અનુસાર લક્ષ્મણ અને તેંડુલકરને IPL ફ્રેન્ચાઇજી ટીમો ટીમો ક્રમશઃ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સના ‘સહાયક સદસ્ય' અને BCCIના ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય તરીકે 2 ભૂમિકા નિભાવવા જેવી કથિત રીતે હીતોના ટકરાવનો મામલો ગણાવાયો હતો.
પોતાના જવાબમાં તેંડુલકરે લખ્યુ કે, નોટિસ મેળવાનાર (સચિન) બધી ફરિયાદોને રદ કરે છે. તેમના જવાબની કોપી PTI પાસે છે જેમાં લખ્યુ છે કે, નોટિસ મેળવનારે સંન્યાસ લીધા બાદ મુંબઈ ઈન્ડિયન્સ IPL ફ્રેન્ચાઈજી ટીમના આઈકોનની ક્ષમતામાં કોઇપણ વિશેષ આર્થિક લાભ/ફાયદો નથી લીધો અને તે કોઈપણ ભૂમિકામાં ફ્રેન્ચાઇજી માટે કાર્યરત નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનારા ખેલાડીએ કહ્યુ કે, તે કોઈપણ પદ પર નથી, અને ના તો તેણે કોઈ નિર્ણય લીધો છે, જે ફ્રેન્ચાઇઝી શાસન કે મેનેજમેન્ટ અંતગર્ત આવતો હોય. આથી BCCIના નિયમો હેઠળ અહીં હિતોનો ટકરાવ નથી થયો.
ક્રિકેટ સલાહકાર સમિતિમાં તેમની ભૂમિકાના સવાલ પર સચિને કહ્યું કે, 2015માં BCCI સમિતિના સદસ્ય રૂપમાં નિયુક્ત કરાયા હતા અને નિયુક્તિ મુંબઇ ઇન્ડિયન્સની સાથે તેમની ભાગીદારી ઘણા વર્ષો પછી થઇ છે. તેમણે કહ્યુ કે, નોટિસ મેળવનાર 2015માં ક્રિકેટ સલાહકાર સમિતિ (COA)માં નિયુક્ત થયો હતો. માનનીય નૈતિક અધિકારીએ આ વાતમાં પ્રશંસા કરશે કે તેમને COAમાં શામેલ થતા પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના ‘આઈકોન’ જાહેર કરાયા હતા. આ તથ્ય સાર્વજનિક જાણકારીમાં છે.
જ્યારે વીવીએસ લક્ષ્મણએ આ નોટિસ બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીમા પોતાના પદ પર કાર્યરત રહેવા માટે BCCIની ક્રિકેટ એડવાઝરી કમિટિમાંથી પોતાનુ પદ છોડી દેવા માટે રાજી થયો છે.