BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ શનિવારે તેમની બહુ રાહ જોવાતી ટીમની ઘોષણા કરી હતી. આ એલાનની સાથે જ પાર્ટીએ ઘણા જુના ચહેરાઓને મુક્ત કર્યા અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને જવાબદારી સોંપી.
BJP અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ નવી ટીમની કરી જાહેરાત
પશ્ચિમ બંગાળમાંથી ઉઠ્યા વિરોધના સૂર
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના ટીએમસીથી ભાજપમાં જોડાયેલા મુકુલ રોયની પાર્ટીમાં જે નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં રાષ્ટ્રીય ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પરંતુ પશ્ચિમ બંગાળના ભાજપના નેતા રાહુલ સિંહા નડ્ડાની આ નવી ટીમને લઇને ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે. રાહુલ સિંહા અગાઉ ભાજપના રાષ્ટ્રીય સચિવના પદ પર હતા, જે આજે પરત લેવામાં આવ્યું છે.
ટ્વીટ કરી વ્યક્ત કરી વ્યથા
પાર્ટીના આ પગલા પર રાહુલ સિંહાએ લખ્યું કે, 'મેં 40 વર્ષ લડવૈયા તરીકે ભાજપની સેવા કરી હતી અને આજે મને ટીએમસી નેતાઓનો સમાવેશ કરવા માટે રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું ...'
નવી ટીમની કરાઇ જાહેરાત
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ શનિવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી હતી. પોતાની 69 સભ્યોની ટીમમાં નડ્ડાએ ઉત્તરપ્રદેશને પણ ઘણું મહત્વ આપ્યું હતું. આ ટીમમાં ઉત્તરપ્રદેશના 11 લોકોને સ્થાન મળ્યું છે. જૂની ટીમમાં સામેલ રહેલા 7 પદાધિકારીઓને ફરીથી સ્થાન મળ્યું છે. ઘૌરહરાથી સાંસદ રેખા વર્મા પહેલી વાર પાર્ટીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. લખીમપુર જિલ્લાના પસગાવાં બ્લાકના મોહમ્મદીની રહેવાસી રેખા વર્માની ગણતરી કડક નેતાઓમાં કરવામાં આવે છે.
યોગી સરકારમાં નાણામંત્રી રહેલા રાજેશ અગ્રવાલને ભાજપના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજ્યસભા સદસ્ય અરુણ સિંહ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તથા શિવપ્રકાશ રાષ્ટ્રિય સહ સંગઠન મહામંત્રી પદે કાયમ છે. તેમની સાથે ચાયલથી સાંસદ વિનોદ સોનકર તથા બસ્તીથી સાંસદ હરીશ દ્વિવેદીને રાષ્ટ્રિય મંત્રી, અમિત માલવીને આઈટી અને સોશ્યલ મિડીયા વિભાગ, ફતેહપુર સીકરીથી સાંસદ રાજકુમાર ચાહરને ખેડૂત મોર્ચાના રાષ્ટ્રિય અધ્યક્ષ તથા રાજ્યસભા સદસ્ય ડો. સુધાંશુ ત્રિવેદી, સૈય્યદ જફર ઈસ્લામની સાથે સુપ્રીમ કોર્ટના એડવોકેટ ગૌરવ ભાટિયાને રાષ્ટ્રિય પ્રવક્તા બનાવાયા છે. દરેકને સીએમ યોગી આદિત્યનાથ સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલે અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના એકમાત્ર સાંસદને સ્થાન
ગુજરાતના એકમાત્ર સાંસદ ભારતીબેન શિયાળની પસંદગી કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ભારતીબેન શિયાળ ગુજરાતના ભાવનગર જિલ્લાના એક સક્રિય રાજનેતા છે. તેઓ વર્તમાનમાં સાસદ સભ્ય છે. તેઓ ગુજરાત વિધાનસભાના પૂર્વ સભ્ય છે. 2012માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર જિલ્લાના તળાજાથી વિધાનસભા માટે ચૂંટાયા હતા. વ્યવસાયે તેઓ એક આયુર્વેદિક સલાહકાર છે. રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભાવનગર(લોકસભા મત વિસ્તાર)થી 16મી લોકસભાના સભ્ય બનવા માટે 2014માં સામાન્ય ચૂંટણી જીતી.