ધારાસભ્યોના પરિવારને કંઇ થશે તો જવાબદાર સરકાર રહેશે- શિંદે
એકનાથ શિંદેએ 38 ધારાસભ્યોની સહી સાથે લખ્યો પત્ર
મહારાષ્ટ્રમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને કારણે રાજકીય સંકટમાં ગરમાવો આવ્યો છે, ત્યારે ઉદ્ધવ સરકારે બળવાખોર ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પરત ખેંચી છે.જેને લઇ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને DGPને પત્ર લખ્યો છે. આ પત્ર શિંદેએ 38 બળવાખોર ધારાસભ્યોની સહી સાથે લખ્યો છે. જેમાં ધારાસભ્યોના પરિવારને કાંઈ થવા પર સરકારને જવાબદાર ઠેરવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Rebel Shiv Sena MLA Eknath Shinde writes to CM Uddhav Thackeray, Maharashtra Home Minister, DGP Maharashtra regarding "Malicious withdrawal of security of family members of the 38 MLAs"
"The government is responsible for protecting them and their families," he tweets pic.twitter.com/f4riPwx4xM
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી સરકારે બળવાખોર શિવસેના ધારાસભ્યોના પરિવારોની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને DGP મહારાષ્ટ્રને પત્ર લખીને જણાવ્યું હતું કે '38 ધારાસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષા દુર્ભાવનાપૂર્ણ રીતે પાછી ખેંચી લેવામાં આવી છે.' તેના માટે જવાબદાર છે.
એકનાથ શિંદેના આરોપો પર સંજય રાઉતે કહ્યું, અમે કોઈની સુરક્ષા હટાવી નથી
બળવાખોર ધારાસભ્યોના પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવાના એકનાથ શિંદેના આરોપો પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, અમે કોઈની સુરક્ષા હટાવી નથી, લોકોમાં ગુસ્સો છે. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર પર આવો દેખીએ છીએ કે, કોનામાં કેટલો છે. હું કોઈ હવમાં વાત નથી કરતો. તેમણે વધુમાં ઉમેર્યું કે,હું દેવેન્દ્ર ફડણવીસ કહું છે, આ મામલે તેઓ દૂર રહે નહીંતર ફસાઈ જશે
બળવાખોર ધારાસભ્યોએ વધુ નિર્ણય એકનાથ શિંદે પર છોડ્યો
બીજી તરફ બળવાખોર ધારાસભ્યોએ આગળના નિર્ણયની જવાબદારી એકનાથ શિંદે પર છોડી દીધી છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય સદા સરવણકરે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ એકનાથ શિંદેને તમામ જવાબદારી સોંપી છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તેનું તમામ ધારાસભ્યો પાલન કરશે. સરવણકરે કહ્યું, 'અમે એક વ્યક્તિ (શિંદે) પર નિર્ભર છીએ અને અમે અહીં આવ્યા છીએ અમે તેમને તમામ જવાબદારી સોંપી છે. શિંદેજી જે પણ નિર્ણય લેશે, અમે તેની સાથે જઈશું.