આસામમાં એક બાજૂ ભયંકર પુરની સ્થિતિ છે, બીજી બાજૂ મહારાષ્ટ્રમાંથી બળવો કરીને ગયેલા શિવસેનાના ધારાસભ્યો અને મંત્રીઓ ગુવાહટીમાં રોકાયા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય દંગલ, બળવાખોર નેતાઓ ગુવાહટીમાં રોકાયા હતા
આસામમાં હાલ પુરની ભયંકર સ્થિતિ
એકનાથ શિંદેએ કરી મોટી જાહેરાત
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવાએ હવે નવો વળાંક લેતાની સાથે બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શિંદેના જૂથના બળવાખોર ધારાસભ્યોને આજે ગોવા કે સુરત લઈ જવાય તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓને આવતીકાલે સીધા મુંબઈ લઈ જવાય તેવી શક્યતાઓ છે. બીજી તરફ બળવાખોર નેતા એકનાથ શિંદે જણાવ્યું હતું કે, અમે ફ્લોર ટેસ્ટમાં હાજર રહીશું.
आसाम मधील पूरग्रस्त बांधवांच्या मदतीसाठी शिवसेनेचे सर्व आमदार तसेच सहयोगी आमदारांच्या वतीने आसाम मुख्यमंत्री मदत निधीत 51 लाख रुपयांची मदत करण्याचा निर्णय.#ShivsenaMaharashtraWithAssam
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 29, 2022
એકનાથ શિંદે આસામ રાહત કોષમાં આપશે 51 લાખ રૂપિયા
શિવસેનાના બળવાખોર નેતા અને જૂથના અન્ય ધારાસભ્યોએ આસામમાં પુરથી પીડિત લોકોને મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 51 લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે. એકનાથ શિંદેએ ટ્વિટ કરીને આ પ્રકારની જાણકારી આપી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવોએ હવે નવો વળાંક લીધો
રાજ્યપાલે આખરે આવતીકાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ગઈકાલે માત્ર ભાજપ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોએ ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. ત્યારે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પૂર્ણ થશે.બીજી તરફ, એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો આજે સાંજ અથવા આવતીકાલ સુધીમાં મુંબઈ પરત ફરી શકે છે. શિંદેએ કહ્યું છે કે તેઓ આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં ભાગ લેશે.
આસામમાં પુરની ભયંકર સ્થિતિ
આપને જણાવી દઈએ કે, આસામમાં પુરના કારણે હજૂ પણ 28 જિલ્લાના 24.92 લાખ લોકો પ્રભાવિત છે. આસામમાં સોમવારે વધુ પાંચ લોકોના મોત થયા હતા. જો કે, રવિવારથી પુરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે. ઉપરાંત બારપેટા, કછાર, દુર્રાંગ, કરમીગંજ અને મોરીગાવ જિલ્લાના અલગ અલગ સ્થાન પર ચાર બાળક સહિત પાંચ લોકો ડુબાઈ ગયા હતા. રાજ્યમાં આ વર્ષે પુર અને ભૂસ્ખલનના કારણે 126થી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે.