હકીકતમાં કેટલીક શરતો એવી હતી જે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરના લગ્નને આડે આવી ગઇ હતી.
અને આ રીતે અભિષેક અને કરિશ્માના લગ્ન તુટી ગયા હતા
મીડિયા રિપોર્ટસમાં દાવો, લગ્ન તૂટવા પાછળ બે મોટા કારણ
બંને પક્ષો તરફથી કેટલીક શરતો આડે આવી ગઇ હતી
….તો અભિષેક અને કરિશ્માના લગ્ન થતા-થતા તુટી ગયા હતા
અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરની જોડી એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત જોડી હતી. અમિતાભ બચ્ચનના 60મા જન્મ દિવસે અભિષેક અને કરિશ્માની સગાઇ પણ થઇ હતી. પરંતુ વાત લગ્ન સુધી પહોંચતા આ બંને અલગ થયા હતા. કહેવાય છે કે અભિષેક અને કરિશ્માના પ્રશંસકો આ લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. પરંતુ પછી કઈક એવુ થયુ કે અભિષેક અને કરિશ્માના લગ્ન થતા પહેલા તેનો સંબંધ હંમેશા-હંમેશા માટે તુટી ગયો હતો? મીડિયા રિપોર્ટસ મુજબ જેની પાછળ બે મોટા કારણ છે.
હકીકતમાં અમુક શરતો એવી હતી, જે અભિષેક અને કરિશ્માના લગ્નના આડે આવી ગઇ હતી. મીડિયા રિપોર્ટસ મુજબ કરિશ્મા કપૂરની માં બબીતાએ બચ્ચન પરિવારની સામે એવી શરત મુકી હતી કે લગ્ન પહેલા બચ્ચન પરિવાર થોડી પ્રોપર્ટી અભિષેકના નામે કરી નાખે. જો કે, બચ્ચન પરિવારે બબીતાની આ શરત સીધી ફગાાવી દીધી હતી.
જયા બચ્ચનની શરતે પણ બંનેના સંબંધો પર ગ્રહણ લગાવ્યું હતુ
કહેવાય છે આ ઘટનાની નકારાત્મક અસર કપૂર અને બચ્ચન પરિવાર બંને પર પડી હતી. એટલું જ નહીં, એક શરત જયા બચ્ચનની પણ હતી જેણે અભિષેક અને કરિશ્માના સંબંધો પર ગ્રહણ લગાવી દીધુ હતુ. અહેવાલ મુજબ, જયાની ઈચ્છા હતી કે લગ્ન બાદ કરિશ્મા કપૂર ફિલ્મોમાં કામ ના કરે. પરંતુ આ વાત કરિશ્મા કપૂરને મંજૂર ન હતી.