કહેવાય છે કે લાઇફ પાર્ટનર વગર જીંદગી જીવવી ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ આજના સમયમાં ઘણી બધી છોકરીઓ છે જે સિંગલ રહીને પોતાની લાઇફ જીવવાનું પસંદ કરે છે. સમયની સાથે છોકરીઓના વિચારોમાં ખૂબ જ ફેરફાર આવ્યો છે પરંતુ શું તમે ક્યારેય એના આ નિર્ણય પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે. આજે અમે તમને જણાવીશું શું કારણ છે જેના લીધે મોટાભાગની મહિલાઓ એકલી રહેવાનું પસંદ કરે છે.
પ્રોફેશનને આપે છે મહત્વ
લગ્ન બાદ ક્યાંકને ક્યાંયક છોકરીઓના પ્રોફેશન પર અસર પડે છે. એમના ઘરની સાથે ઓફિસનું કામ જોવાનું હોય છે. લગ્ન બાદ છોકરાઓની લાઇફમાં વધારે ફેરફાર નથી આવતા. પરંતુ છોકરીને એના નામથી લઇને ઘર પરિવાર બધું જ બદલાઇ જાય છે. સાથે સાથે નવા પરિવારને પણ સમજવાનું હોય છે. એમની જવાબદારી એટલી વધી જાય છે કે એ પોતાના કરિયર પર ધ્યાન આપી શકતી નથી.
એકલામાં મળે છે સુકૂન
ઘણા બધી છોકરીઓ એવી છે જેને એક સમય બાદ એકલા રહેવામાં જ સુકૂન મળે છે. એ એકલી રહીને પણ ખુશ રહેવાનું પસંદ કરે છે. વક્તની સાથે એમનામાં એટલી મેચ્યોરિટી આવી જાય છે કે એને કોઇ એન્ટરટેન કરે એ પસંદ પડતું નથી.
આઝાદી
છોકરીઓ બાળપણથી જ એવું સાંભળીને મોટી થાય છે કે લગ્ન બાદ સાસરિયા વાળાના હિસાબથી રહેવું પડશે. જેના કારણે એની અંદર પોતાની આઝાદીને લઇને ડર પહેલાથી જ રહે છે.
પસંદગીનો છોકરો ના મળવો
ઘણી બધી છોકરીઓ એટલે સિંગલ રહેવાનું પસંદ કરે છે કારણ કે એમને એમની પસંદગીનો છોકરો જ મળતો નથી. કેટલીક છોકરીઓ પસંદ ના પડે તો પણ ઘર વાળાના દબાણથી લગ્ન કરી લે છે.
છોકરીઓનું સિંગલ રહેવા પાછળનું એક બીજું કારણ એ પણ છે કે એ સ્વતંત્ર રહેવા ઇચ્છે છે. લગ્ન બાદ છોકરો ગમે ત્યારે ક્યાંય પણ ફરવા જઇ શકે છે પરંતુ છોકરીઓને ખૂબ વિચારવું પડે છે. બીજા લોકો પાસેથી પરવાનગી લેવાની હોય છે.