દેશની દિગ્ગજ વિમાન કંપની ઇન્ડિગોએ ફ્લાઇટ ઓપરેશન સેન્ટરને સોમવાર-મંગળવારે મોડી રાતે ઇદ-મુબારક કહેતા પાકિસ્તાને ભારત વિમાનો માટે પોતાનો એર વે ખોલી નાંખ્યો. પાકિસ્તાનના રસ્તાથી સૌથી પહેલા ઇન્ડિગોની ફ્લાઇટે ભારતમાં પ્રવેશ કર્યો.
બાલાકોટ પર હુમલા બાદ પાકિસ્તાને પોતાની વાયુસીમાને ભારતીય વિમાનો માટે બંધ રાખ્યો હતો. જો કે હવે અમદાવાદ નજીક તેલમથી ભારતીય વિમાન પાકિસ્તાનમાં પ્રવેશ કરી શકે છે, અથવા બીજા દેશમાં જઇ શકશે. ઇન્ડિગોની દુબઇથી દિલ્હી આવતી ફ્લાઇટથી આ રસ્તાથી પ્રવેશ કર્યો હતો.
ભારતમાં કોઇ પણ વિમાન જ્યારે યૂરોપ-અમેરિકા અથવા ખાડી દેશમાં જાય છે, તો પાકિસ્તાનમાં 11 રસ્તાથી પ્રવેશ કરી શકે છે. જો કે 26 ફેબ્રુઆરી બાદ આ તમામ રસ્તા બંધ કરી દીધા હતા. રવિવારે તેલમ પર પાકિસ્તાનના રસ્તાથી વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશ કરવાનું શરૂ કરી દીધું છે. સૌથી પહેલી એતિહાદની અબૂધાબી-દિલ્હીની ઉડાન રવિવારે સાંજે 5.34 પર અહીંથી પ્રવેશ કરી.
ઇન્ડિગોની આ ઉડાનમાં 180 યાત્રી સવાર હતા. કંપનીએ 14600 કિલો ઇંધણ ભરાયું હતું, કારણ કે એને તેલમથી જવાની પરવાનગી ના મળે તો એ કોઇ અન્ય રૂટ પર લઇ શકે.