દિલ્હીમાં આવેલું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ટૂરિસ્ટ્સ વચ્ચે ઘણું ફેમસ છે અને દિલ્હીના ટોપ ટૂરિઝમ એટ્રેકેશન્સમાંથી એક છે. આ સિવાય અક્ષરધામ મંદિર એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આ દેશના સૌથી મોટા હિંદુ મંદિર પરિસરમાંથી એક છે. જે વાસ્તુકળાને જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે તેને તૈયાર થવા માટે 5 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અક્ષરધામની ખાસિયત એ જ છે કે તેની સુંદરતા અને ભવ્યતા જોઇને તમારી આંખો જરૂરથી પહોળી થઇ જશે. દિવાલો પર કરવામાં આવેલી કોતરણીમાં શુદ્ઘતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
દુનિયાનું સૌથી મોટું હિંદુ પરિસર હોવાના કારણે દિલ્હીના અક્ષરધામ મંદિરનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ શામેલ કરવામાં આવ્યુ છે. મંદિરની પહોળાઇ 316 ફૂટ અને ઉંચાઇ 141 ફૂટ છે. આ આખું પરિસર 86342 સ્કેવર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રાચીન વાસ્તુકળાની સ્ટાઇલમાં બનાવવામાં આવેલા આ મંદિરના એક-એક પત્થર પર કલાકારોએ પોતાના હાથથી કોતરણી કરી છે અને આ મંદિરનું નિર્માણ કરવામાં લગભગ 11000 કારીગરો જોડાયા હતા.
અક્ષરધામના મુખ્ય મંદિરના ચારેય તરફથી એક ઝરણું બનાવવામાં આવ્યુ છે જેણે નારાયણ સરોવર કહેવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સરોવરમાં રહેલુ પાણી દેશભરના તે 151 ઝરણા અને નદીઓમાંથી ભેગું કરવામાં આવ્યુ છે જેના પર સ્વામિનારાયણનું આશીર્વાદ હોય અને સાથે જ સરોવરની ચારેય તરફ 108 ગૌમુખ લાગ્યા છે જે 108 દેવી-દેવતાઓને પ્રતિનિધિત્વ કરે છે.
અક્ષરધામ મંદિરની અદંર 3000 ફૂટ લાંબો પરિક્રમા પથ તૈયાર કરવામાં આવ્યો છે જેને રાજસ્થાનથી મંગાવવામાં આવેલા લાલ પત્થરથી બનાવવામાં આવ્યો છે. આ પરિક્રમા પથમાં 2 માળની બિલ્ડિંગ બનેલી છે જેમાં 1152 પિલ્લર અને 145 બારીઓ છે.
અક્ષરધામ મંદિરના પરિસરમાં એક મોટો બગીચો છે. આ બગીચોને ગાર્ડન ઑફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. અહીં ભારતના પ્રસિદ્ઘ અને વીર દિગ્ગજોની પ્રતિમાઓ મુકવામાં આવી છે.