આમ તો દરેક વ્યક્તિએ હંમેશા સકારાત્મક વિચારો જ રાખવા જોઇએ. કોરોના વાયરસ મહામારીના સમયને પણ સારા અને પોઝિટિવ વિચારો સાથે સ્વીકારો. આ સારો સમય છે. પરિવાર સાથે રહેવા અને ખુદને સમય આપવા માટે. પરિવાર વચ્ચે પોઝિટીવિટી વધારવા માટે રોજ પરિવારના એક એક સભ્ય એક સાથે ધ્યાન ધરો. ધ્યાનમાં સારી વાતો પર ફોકસ કરો. તમારી અંદર એ વિચાર લાવો કે તમે ભયથી મુક્ત છો.
કોરોના મહામારીમાં કરો આ કામ
પોતાની જાતને અને પરિવારને આપો સમય
ધ્યાનમાં બેસો અને સારી વાતો પર ફોકસ કરો
યોગના રસ્તે ભયથી અભય તરફ જઇ શકાય છે. તેથી નિયમિત ધ્યાન ધરવાની જરુર હોય છે. નિયમિત અભ્યાસથી અભયની પ્રાપ્તિ થાય છે. જ્યારે પણ ધ્યાન લગાવો ત્યારે મનમાં વિચારો કે તમને કઇ વસ્તુથી ભય લાગે છે. તે દુર કરવાનુ વિચારો. ધ્યાન માટે નરમ અને મુલાયમ આસન હોવુ જોઇએ, જેની પર બેસીને તમને આરામ અને સુકુનનો અનુભવ થાય. બહુ સમય સુધી બેસી રહેવા છતાં પણ થાક કે અકળામણનો અનુભવ ન થાય. જમીન પર નરમ આસન બિછાવીને દિવાલના સહારે પીઠ ટેકવીને પણ બેસી શકો છો. બેસવામાં પરેશાની થતી હોય તો ખુરશી પર બેસીને કે ઉભા રહીને પણ ધ્યાન લગાવી શકો છો.
ક્યારે કરવું જોઇએ.
રોજ 10થી 15 મિનિટ ધ્યાન લગાવવુ જોઇએ. ધ્યાન માટે સવારનો સમય સારો હોય છે. ખાલી પેટ હોય તો તમે સાંજે પણ ધ્યાન કરી શકો છો.
આ છે ધ્યાનના ફાયદા
તેનાથી માનસિક અને શારિરીક બંને પ્રકારના ફાયદા થાય છે. મન શાંત થાય છે અને તણાવ ઘટે છે. ઉર્જામાં વૃધ્ધિ થાય છે અને સંબંધોમા સુધારો આવે છે. સાંસરિક કાર્યોને સારી રીતે કરી શકાય છે. ધ્યાનના અભ્યાસથી આપણા મગજના તરંગો સામાન્ય હોવાથી હળવાશ અનુભવાય છે. સારી ઉંઘ આવે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અને પાચન પ્રણાલીમાં સુધારો થાય છે. શરીરનું દર્દ ઘટે છે. આ સાથે કેટલાક આધ્યાત્મિક લાભ પણ મળે છે.
સાવધાની
ધ્યાન લગાવતી વખતે કોઇ વ્યક્તિ તણાવમાં ન હોવી જોઇએ. તમારી આંખો બંધ, મન શાંત અને સ્થિર હોવુ જોઇએ. તમારુ ધ્યાન ભ્રમર પર કેન્દ્રીત કરો. ખાસ વાત એ છે કે ધ્યાનમાં ઉંઘો નહી, સાક્ષી ભાવમાં રહો.