ભારતીય સેનાનુ નામ સાંભળતા જ આપણુ મન ગૌરવથી ભરાઈ જાય છે. પરંતુ શું તમને ખબર છે કે એવી ઘણી વાત છે, જેનાથી સામાન્ય નાગરિકો અજાણ છે. આજે અમે એવી વાતો તમને જણાવવા જઇ રહ્યાં છે.
જાણો, ભારતીય સેનાની કાર સાથે જોડાયેલી ખાસ વાત
સેનાની કારના નંબર કેવીરીતે લખવામાં આવે છે
નંબર પ્લેટ પર એરો લગાવવાનો શું થાય છે અર્થ
ભારતીય સેનાની કાર માટે છે અલગ કાયદો
આજે અમે તમને ભારતીય સેનાની કાર સાથે જોડાયેલી ખાસ વાત જણાવીશું. તમને કદાચ ખબર નહીં હોય કે દેશમાં કાર માટે બનાવવામાં આવેલો કાયદો સેનાની કાર પર લાગુ થતો નથી. સેનાની કાર માટે સંરક્ષણ મંત્રાલયે અલગ કાયદો બનાવ્યો છે. આ સાથે આ વાહનોની સંપૂર્ણ વિગતો પણ સંરક્ષણ મંત્રાલયની પાસે હોય છે.
આ રીતે લખવામાં આવે છે સેનાની કારના નંબર
તમે જોયુ હશે કે ભારતીય સેનાની કારના નંબર પ્લેટ પર આગળ એક તીરનુ નિશાન બનેલુ હોય છે. ત્યારબાદ બાકીના નંબર લખેલા હોય છે. આ તીર ઉપરની તરફ બનેલુ હોય છે. એક રિપોર્ટ મુજબ, આ તીરનુ નિશાન સૌથી પહેલા અથવા પછી ત્રીજા નંબરે હોઇ શકે છે. ત્યારબાદ સેનાને જે વર્ષમાં આ કાર મળી તે વર્ષના અંતિમ બે અંક લખેલા હોય છે. ત્યારબાદ બેસનો કોડ લખેલો હોય છે અને પછી સીરિયલ નંબર આપવામાં આવે છે.
નંબર પ્લેટ પર એરો લગાવવાનો છે આ ખાસ અર્થ
સેનાની કારના નંબર પ્લેટ પર લગાવેલા તીરના નિશાનને બ્રૉડ એરો કહે છે. નંબર પ્લેટ્સ પર આ પ્રકારના તીરના નિશાનનો પ્રયોગ બ્રિટીશ કૉમનવેલ્થમાં હજી પણ થાય છે. આ તીરના નિશાનને નંબર પ્લેટ પર એટલે લગાવવામાં આવે છે, કારણકે જો કોઈ દુર્ઘટનામાં ગાડી પલટી જાય તો તેનો નંબર સરળતાથી વાંચી શકાય.