પૂર્વ ઇન્ડિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત તમામ ક્રિકેટર્સ પોતાના દેશ પ્રતિના લગાવ અને સમર્પણ માટે જાણીતા છે. ભારતીય સેના પ્રતિ તેમનો લગાવ પણ કોઇનાથી છૂપાયેલો નથી. તમને જણાવી દઇએ કે મહેન્દ્ર સિંહ ધોનીને વર્ષ 2011માં ઇન્ડિયન ટેરીટોરિયલ આર્મીના લેફ્ટિનેટ કર્નલની ઉપલબ્ધિ આપવામાં આવી હતી આથી ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રાષ્ટ્રધ્વજ અંગે વધુ સજાગ છે. પરંતુ આ જ વચ્ચે પ્રસિદ્ઘ બ્લોગિંગ પ્લેટફોર્મ - Quora પર ચર્ચા ઉઠી છે કે વિરાટ કોહલી જેમ મહેન્દ્ર સિંહ ધોનીના હેલ્મેટ પર તિરંગો કેમ નથી?
ધોની વિષેની એક વાત તેના ચાહકોને સદાય વિચારમાં મૂકી દે છે કે કોહલી કે સચિનની જેમ ધોની તેના હેલમેટ પર કેમ તિરંગો નથી લગાવતો? ધોનીની દેશભક્તિ પર કોઈ શંકા ઊઠાવી શકે તેમ જ નથી પરંતુ ધોની આવુ કેમ કરે છે તે જાણીને તમને ધોની પ્રત્યે માન અનેકગણુ વધી જશે.
વિકેટકીપર તરીકે ધોનીને સ્ટમ્પ પાછળ અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેણે સતત પોતાની પોઝિશન બદલતા રહેવું જોઈએ છે. તે ઘણીવાર પોતાના હેલમેટને હેટથી બદલી નાંખે છે. એ વાત સમજી શકાય છે કે ધોની અવારનવાર કોઈને પોતાની હેલમેટ લાવવા લઈ જવા ન જણાવી શકાય. આથી તે પોતાનું હેલમેટ પાછળ ગ્રાઉન્ડ પર મૂકી દે છે.
દેશનો રાષ્ટ્રધ્વજ એ આપણા સન્માનનું પ્રતીક છે અને નિયમ મુજબ તેને ગ્રાઉન્ડ પર મૂકી ન શકાય. આથી તમે કાં તો ત્રિરંગા વાળુ હેલમેટ ગ્રાઉન્ડ પર ન મૂકો અથવા તો હેલમેટ પર ત્રિરંગો ન લગાવો. આથી ધોની તેના હેલમેટ પર ત્રિરંગો નથી લગાવતો.
આપણા દેશમાં ક્રિકેટર્સ ખાસ કરીને યુવાનોને ઘણા પ્રભાવિત કરે છે. તેમના કોઈપણ એક્શનની યુવાનો પર ઊંડી અસર પડે છે. એવામાં ધોની તેના આવા જ અભિગમ અને એક્શનથી સતત ચાહકોનું દિલ જીતી રહ્યો છે.