વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનના નવા વેરિએન્ટને લઇ ચિંતા કરી વ્યક્ત
છેલ્લા થોડાક સમયની અંદર ભારતમાં કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. તેમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. તેને લઈને મેડિકલ એક્સપર્ટમાં ચિંતા છે. તેમનું માનવું છે કે, કોવિડના કેસોમાં અચાનક આવેલા ઉછાળાના કારણે ઓમિક્રોન વાયરસ BA.2ના ત્રણ નવા સબ વેરિએન્ટ છે. તેમાં ત્રણમાંથી BA.2.75 વેરિએન્ટ પર સૌથી વધારે નજર રાખવાની જરૂર છે. દેશમાં હાલના સમયમાં આવી રહેલા ઓમિક્રોનના કેસોમાં બીજા વેરિએન્ટની સરખામણીએ 18 ટકા વધારે ફેલાઈ રહ્યો છે.
ઓમિક્રોનના BA.2.75 સબ વેરિએન્ટ ઉપરાંત તેના BA.2.74 અને BA.2.76 પણ કોરોનાના કેસો વધવા માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટના હવાલે જણાવામાં આવ્યું છે કે, છેલ્લા 10 દિવસમાં BA.2.76ના 298 કેસ, BA.2.74 ના 216 કેસ અને BA.2.75 ના 46 કેસની ઓળખાણ થઈ છે. બાકીના બંને કેસ ભલે વધારે હોય, પણ વૈજ્ઞાનિકોની નજર BA.2.75 પર વધારે છે. ઓમિક્રોન વાયરસ આમ તો કોરોનાના ડેલ્ટ જેવા વેરિએન્ટની સરખામણીએ વધારે સંક્રામક છે, પણ તે જીવલેણ માનવામાં આવે છે. પણ ઓમિક્રોનનું આ નવુ રૂપ વધારે ખતરનાક છએ. તે માણસના શરીરના ડિફેન્સ સિસ્ટમને માત આપવામાં વધારે ચકોર છે. જે લોકો વેક્સિન લગાવી ચુક્યા છે, તેમને પણ ચપેટમાં લઈ શકે છે.
અમેરિકા, કેનેડા અને જાપાનમાં પણ BA.2.75 સબ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર્, કર્ણાટક અને જમ્મુ કાશ્મીરમાં તેના કેસો આવ્યા છે. ભારતમાં કોરોનાના પ્રસાર પર નજર રાખવા માટે કેન્દ્ર સરકાર તરફથી બનાવામાં આવેલી INSACOG ના વૈજ્ઞાનિકો પણ તેના પર નજીકથી નજર રાખી રહ્યા છે. એક વૈજ્ઞાનિકો જણાવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર માટે BA.2 વેરિએન્ટ જવાબદાર હતો. જ્યારે જૂનમાં તેના કેસો ફરીથી વધવા લાગ્યા હતા. પ્રયોગથી જાણવા મળે છએ કે, આ વેરિએન્ટના વાયરસમાં 80થી વધારે બદલાવ થઈ ચુક્યા છે.
તેમણે કહ્યું કે, જોવા મળ્યું છે કે, BA.2 વેરિએન્ટની નવી પેઢીના આ વાયરસ વધારે સંક્રામક અને મજબૂત થઈ ગયા છે. જે ત્રીજી લહેર દરમિયાન આપણા શરીરમાં બનેલી ઈમ્યુનિટીની માત આપી રહ્યું છે. તેના જ કારણે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જો કે સારી વાત એ છે કે, BA.2ની પેઢીનો વાયરસ છે. જેના વિરુદ્ધ આપણી અંદર પ્રોટેક્શ અને ટી સેલ્સ ઈમ્યુનિટી હોય છે.