ગણતરીની સેકન્ડમાં લિફ્ટ ગાઉન્ડ ફ્લોરથી ટૉપ ફ્લોર પર પહોંચાડી દે છે. તેમાં વળી અરીસાનું શું કામ? વાસ્તવમાં તેની પાછળ ઘણું મોટું કારણ છે. એન્જીનિયર્સ અને એલીવેટર બનાવતી કંપનીઓએ ઘણું સમજી વિચારીને આવી ડિઝાઇન તૈયાર કરી હોય છે.
વાસ્તવમાં જે યુગમાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઇ તે દરમિયાન જ ઊંચી ઇમારતોનું નિર્માણ શરૂ થયુ. જેમ-જેમ બિલ્ડિંગ લાંબી થતી ગઈ લિફ્ટની જરૂરિયાત ઉભી થવા લાગી પરંતુ જયારે લિફ્ટમાં સવાર થઈને ટોપ ફ્લોર પર જવા લાગ્યા તો અહેસાસ થયો કે તેમનો ઘણો સમય વેડફાઈ રહ્યો છે.
લોકોનું કહેવું હતું કે લિફ્ટ ઘણી ધીરે કામ કરે છે જેના લીધે તેમનો સમય બરબાદ થાય છે. ત્યાં જ કેટલાક લોકોનું તો એ પણ કહેવું છે કે તેમને દર વખતે ડર સતાવે છે કે ક્યાંક લિફ્ટ તૂટી ન જાય ક્યાંક તે એલીવેટરના કારણે કોઈ અકસ્માતનો શિકાર ન થઇ જાય.
કન્સ્ટ્રક્શન કંપની અને લિફ્ટ બનાવતા નિષ્ણાતોને આ વાતને લઈને ચિંતિત થઇ ગયા કે આ સમસ્યાનો શું ઉપાય કરવામાં આવે? કેવી રીતે લિફ્ટની સ્પીડ વધારી શકાય અને તેમના મનમાંથી ડર પણ દૂર કરી શકાય ત્યારે જ એક જ્ઞાની માણસના મનમાં એક વિચાર આવ્યો.
આ જ્ઞાની માણસે જણાવ્યું કે જો લિફ્ટમાં અરીસો લગાવી દેવામાં આવે તો લોકો પોતાને જોવામાં મશગૂલ થઇ જશે તેમનું ધ્યાન ભટકશે તો તેમને ખબર પણ નહીં પડે કે લિફ્ટની સ્પીડ શું છે. આ વિચાર સફળ થયો. લિફ્ટમાં અરીસો લગાવ્યા બાદ લોકોએ તેમને જણાવ્યું કે લિફ્ટ હવે ઝડપથી ઉપર-નીચે જાય છે. જો કે હકીકતમાં એલિવેટરની સ્પીડમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો ન હતો.