લોકોને સરળતાથી માત્ર 1 રૂપિયામાં માસ્ક મળી રહે, તે માટે સરકારે જાહેરાત કરી હતી. અમદાવાદના અમુલ પાર્લર પર રિયાલીટી ચેક કરતા થયો ચોંકાવનારો ખુલાસો
1 રૂપિયામાં મળશે માસ્ક પણ ક્યાં?
અમુલ પાર્લર પર નથી માસ્કનો જથ્થો
દરેક અમુલ પાર્લરે હજુ નથી પહોંચ્યા માસ્ક
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે માસ્કને લઈ સરકારની નબળી કામગીરી સામે આવી છે. કોરોનાથી આપણને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જ બચાવી શકે છે. તેવામાં લોકોને સરળતાથી માત્ર 1 રૂપિયામાં માસ્ક મળી રહે, તે માટે સરકારે જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે, અમુલ પાર્લર પર લોકોને 1 રૂપિયામાં માસ્ક મળી જશે. પરંતુ હાલની સ્થિતમાં માસ્ક મળે છે કે નહીં તે પણ અગત્યું છે. વીટીવીએ 1 રૂપિયાના માસ્ક પર રિયાલિટી ચેક કર્યું. પરંતુ કોઈ પાર્લર પર 1 રૂપિયાનું માસ્ક મળતું નથી.
એવું લાગે કે, બચ્ચન સાહેબની એડ જોઈને સરકારે દો ગજની દૂરી સાથે 1 રૂપિયાના માસ્કની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ એ ભૂલી ગયા કે જે જગ્યા પર માસ્ક મળશે. ત્યાં લોકડાઉન પછી 1 રૂપિયાવાળા માસ્ક જ નથી આવ્યા. વીટીવી ન્યૂઝે રાજ્ય સરકારની જાહેરાત બાદ અમદાવાદ શેહરના અમૂલ પાર્લર પર રિયાલિટી ચેક કર્યું.
શહેરના પોશ એરિયા ગણાતા જજીસ બંગલો પાસે આવેલ અમૂલ પાર્લરની મુલાકાતે પહોંચી. તો જે જાણવા મળ્યું તે ચોંકાવનારું હતું.. જજીસ બંગલોથી વીટીવીની ટીમ વસ્ત્રાપુરમા આવેલા અમુલ પાર્લરની મુલાકાતે પહોંચી. તો અહીં પણ એવું જ જાણવા મળ્યું કે, છેલ્લા ઘણા સમયથી માસ્કનો સ્ટોક જ નથી આવ્યો.
આ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યા બાદ યુનિવર્સિટી, ગુલબાઈ ટેકરા, સહતિના અનેક વિસ્તારોમાં પણ અમુલ પાર્લરોની મુલાકાત કરી. અહી પણ 1 રૂપિયા વાળા માસ્ક તો ન મળ્યા. પરંતુ લોકો સરકાર સામે રોષ ઠાલવતા ચોક્કસથી નજરે પડ્યા.
સરકારે મોટા ઉપાડે 1 રૂપિયાના માસ્કની જાહેરાત તો કરી દીધી છે. કે દરેક લોકોને માસ્ક મળી શકે. પરંતુ હકીકત એ છે કે, અમુલ પાર્લરો પર માસ્ક જ ઉપલબ્ધ નથી. એટલે કે, સરકાર જાહેરાત કરવામાં જાણે છે. પરંતુ કહીકત તો એ છે કે, સરકાર જાહેરાત કર્યા બાદ રિયાલિટી ચકાસતી નથી. કે લોકોને 1 રૂપિયાના માસ્ક મળે છે કે નહીં.