રાજીનામાના દબાણ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભારતને લઇને વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતે સાંસ્કૃતિક અતિક્રમણ માટે નકલી અયોધ્યાનું નિર્માણ કર્યું છે. જ્યારે અસલી અયોધ્યા નેપાળમાં છે.
આ સાથે જ તેમણે કહ્યું કે, ભગવાન રામ ભારતીય નહીં નેપાળી છે. આપને જણાવી દઇએ કે, પહેલા પણ કહી ચૂક્યા છે કે, ભારત તેમને સત્તામાંથી દૂર કરવા માટે ષડયંત્ર રચી રહ્યું છે.
#Nepal PM #Oli makes a shocking statement. Say that #Ram is not from India, he is from #Ayodhya. Ayodhya village lies in Thori, the western part of Birgunj. Says, India has encroached on our cultural facts by setting up fake Ayodhya. pic.twitter.com/2Wpqx8h28M
નેપાળના વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઓલીએ કહ્યું કે ભારતે 'નકલી અયોધ્યા' બનાવીને નેપાળના સાંસ્કૃતિક તથ્યોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે ભગવાન રામનું શહેર અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં નહીં પણ નેપાળના બાલ્મિકી આશ્રમની નજીક છે.
રામ ભારતીય નહીં નેપાળી છે
Real Ayodhya lies in Nepal, not in India. Lord Ram is Nepali not Indian: Nepali media quotes Nepal Prime Minister KP Sharma Oli (file pic) pic.twitter.com/k3CcN8jjGV
વાલ્મીકિ રામાયણના નેપાળી અનુવાદ કરનાર નેપાળના આદિકવી ભાનુભક્તની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલતા ઓલીએ કહ્યું કે આપણે હજી પણ આ ભ્રમણા હેઠળ છે કે સીતાના જેમની સાથે લગ્ન થયાં છે તે રામ ભારતીય છે. પરંતુ તે ભારતીય નહીં પણ નેપાળી છે.
ભારતે આપણે ડૂબાડ્યા છે
આપને જણાવી દઈએ કે, ભારત વિશે નેપાળની ચીડ વધી રહી છે. તે દરેક બાબતે ભારત પર તીર શોધવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ અગાઉ નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટીએ પૂર વિશે નવો રાગ આલાપ્યો હતો. એનસીપીએ કહ્યું છે કે ભારતે નેપાળ અને ભારતની સરહદ પર રસ્તો બનાવીને આપણને ડૂબાડી દીધા છે. જો કે, હકીકત એવી છે કે દર વર્ષે અચાનક મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે ઉત્તર બિહારમાં જાન-માલનું મોટું નુકસાન થાય છે.