હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર મામલા વિશે રાજ્યસભા બાદ લોકસભામાં ચર્ચા થઇ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જો આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે ગૃહમાં કડક કાયદો બનાવવા પર સહમતિ બને છે તો સરકાર તેના માટે તૈયાર છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહ આ પ્રકારની ઘટનાઓની નિંદા કરે છે અને જ્યારે પણ જરુર હશે ત્યારે તેના પર ચર્ચા થશે.
હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર મામલા વિશે રાજ્યસભા બાદ લોકસભામાં ચર્ચા થઇ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સંસદ ઇચ્છે તેવો કડક કાયદો બનાવવા સરકાર તૈયાર
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહ આ પ્રકારની ઘટનાઓની નિંદા કરે છે
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સરકારની તરફથી કહ્યું કે તેના માટે કાયદામાં કોઇ બદલાવ કરવાની જરુર હશે તો તે પણ કરવામાં આવશે. સંસદમાં હૈદરાબાદની ઘટનાને લઇને જેટલી ચર્ચા કરવા ઇચ્છો છો તેટલી કરવામાં આવે. તેના પર કઠોર કાર્યવાહી કરવા માટે સરકારે જે પણ કરવાની જરુર હશે તે કરશે. રાજનાથ સિંહે કહ્યું કે જો આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે ગૃહમાં કડક કાયદો બનાવવા પર સહમતિ બને છે તો સરકાર તેના માટે તૈયાર છે.
हैदराबाद की जो यह घटना घटित हुई है, मैं समझता हूं कि इससे बड़ा कोई और अमानवीय कृत्य नही हो सकता।
सारा देश इस घटना को लेकर शर्मसार हुआ है। सभी आहत हुए हैं। जो भी अपराधी है उनके खिलाफ कठोरतम कार्यवाही करने के लिए जो भी Provision करना होगा, यह सरकार वह Provision करने को तैयार है। pic.twitter.com/W3wzRgoMFf
અનુપ્રિયા પટેલે કહ્યું- રાજય અને કેન્દ્ર સરકાર આવી ઘટનાઓ રોકવામા નિષ્ફળ
લોકસભામાં ચર્ચા દરમિયાન અપના દળની અનુપ્રિયા પટેલે કહ્યું કે હૈદરાબાદમાં જે ઘટના થઇ તેની પોલીસમાં રિપોર્ટ કરાવવામાં પીડિતાના પરિવારજનોને ઘણી સમસ્યાઓથી પસાર થવું પડ્યું. રાજ્યના મુખ્યમંત્રીને ત્રણ દિવસ લાગ્યા તપાસ ટીમના ગઠન કરવામાં. અનુપ્રિયા પટેલે કહ્યું કે જ્યારે પણ આવી ઘટના થાય છે તો આપણે હંમેશા ગૃહમાં ચર્ચા કરીએ છીએ. આવી ઘટનાની નિંદા કરીએ છીએ અને કઠોર કાર્યવાહીની માંગ પણ કરીએ છીએ પરંતુ થતું કંઇ જ નથી. તેઓએ કહ્યું કે આવી ઘટનાઓને રોકવામાં રાજ્ય સરકારો નિષ્ફળ થઇ રહી છે. અને કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ રહી છે. આ મામલામાં એવી કાર્યવાહી થવી જોઇએ કે દેશમાં કડક સંદેશ મળે.
રાજ્યસભા સાંસદ જયા બચ્ચને આપ્યું આ નિવેદન
ત્યારે રાજ્યસભામાં પણ આ મામલે ચર્ચા થઇ. રાજ્યસભામાં હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર મામલા પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે હૈદરાબાદમાં જે પ્રકારની ઘટના થઇ છે તેમા સામેલ લોકોને પબ્લિકના હવાલે કરી દેવા જોઇએ.