દુનિયામાં જ્યારે કોરોના સંકટ આવ્યુ ત્યારે ભગવાન બનીને હેન્ડ સેનેટાઇઝર છવાઇ ગયુ હતું. ડૉક્ટર્સથી લઇને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ વેગેરેની સલાહ આપતા હતા. કોરોના સંકટ બાાદથી સેનેટાઇઝરનો ઉપયોગ વધી ગયો છે અને તેની માગ પણ ખાસી વધી ગઇ છે.
સેનેટાઇઝરનો ઉપયોગ ધ્યાનથી કરો
દુર્ઘટનામાં એક વ્યક્તિનુ નિપજ્યુ મોત
કોરોનામાં સેનેટાઇઝરનુ વેચાણ વધ્યુ
જો કે સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. PTIની ખબર મુજબ નાસિક જિલ્લામાં 30 ઓગસ્ટે અનિલ સૂચક નામના વ્યક્તિ સાથે એક દુર્ઘટના ઘટી. જેનાથી તે 68 ટકા જેટલો દાજી ગયો અને તેને દવાખાનામાં દાખલ કર્યો. 1 સપ્ટેમ્બર તેનુ નિધન થઇ ગયુ.
પોલિસનું જો માનીએ તો અનિલ ભાઇ સાથે આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે તે બોટલમાં સેનેટાઇઝર ભરી રહ્યો હતો, ગેસના ચૂલાની આગના સંપર્કમાં આવી જવાથી ભડકો થયો હતો અને અનિલ ગંભીર રીતે દાજી ગયો હતો.
સેનેટાઇઝરમાં આલ્કોહોલની માત્રા ઘણી આવે છે જેથી આગ લાગવાની સંભાવના રહે છે. જ્યારે પણ સેનેટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે સાવધાની રાખો કારણકે તેનાથી દુર્ઘટના ઘટવાનો ચાન્સ રહે છે.
જ્યારે પણ સેનેટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે ધ્યાન રાખો કે ગેસ, દીવો, મિણબત્તી જેવી વસ્તુઓ આસપાસ ન હોય. તો બીજી તરફ તે પણ યાદ રાખવા જેવી વસ્તુ છે કે, જ્યારે આપણે હાથ પર સેનેટાઇઝર ઘસીએ છીએ ત્યારે સુકાઇ જવા પર આલ્કોહોલ ઉડી જાય છે જેથી આગ લાગવાનો ખતરો ટળી જાય છે.
ડૉક્ટર્સ થોડા થોડા સમયે સેનટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન આપણે પોતે જ રાખવું જોઇએ જેથી કોઇ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે.