અમદાવાદના વાસણામા સરકારી જમીન પરના સરકારી જમીન પરના તળાવને ખાનગી ગણાવી તેનો વેંચાણ કરાર પણ થઇ ગયાની ચોંકાવનારી ઘટના બની છે
નવતર કિસમની છેતરપીંડી
અમદાવાદની આંખ ખોલતી ઘટના
સરકારી જમીના તળાવનો જ સોદો
અમદાવાદમાં જમીન-મકાન-દુકાન અને ખાનગી પ્લોટ પચાવી પાડવાની ઘટનાઓ અન્વાર-નવાર સામે આવતી રહેતી હોય છે.પરંતુ છેતરપિંડીનો એક નવો નુસખો સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ,એક સરકારી તળાવને જ ખાનગી પ્લોટ જાહેર કરી છેતરપીંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ કેસમાં ભરવાડ સમાજના બે યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં એકની ધરપકડ થઇ છે.અને એક ફરાર થઇ ગયો છે.
આખું સરકારી તળાવ જ વેંચી નાખ્યું
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા ગોપાલપૂરામાં એક અજીબ-ઓ-ગરીબ છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.ખાનગી પ્લોટમાં પેશકદમીથી પચાવી પાડવો,કે બળજબરીથી મકાન પચાવી પાડવાની ફરિયાદો તો આવતી જ હોય છે.પણ,સરકારી જમીન પરનું તળાવ ખાનગી ગણાવી તેનો વેંચાણ કરાર પણ થઇ ગયાની ઘટનાએ ચોંકાવી દીધા છે.
એક છે છેતરપીંડીનો 'માસ્ટર માઈન્ડ'
વાસણાનાગોપાલપુરાના સરકારી તળાવને ખાનગી પ્લોટ બતાવી ચિરાગ ભરવાડ અને મુકેશ જક્ષી ભરવાડ નામના શખ્સોએ વેચાણ કરાર કરી નાખ્યો હતો.આ અંગે ફરિયાદ નોંધાતા વાસણા પોલીસે મુકેશ જક્ષી ભરવાડની ધરપકડ કરી છે.મહત્વપૂર્ણ છે કે ફરાર આરોપી ચિરાગ ભરવાડ અગાઉ પણ છેતરપિંડીના કેસમાં પકડાઈ ચુક્યો છે.હવે પોલીસ એ શોધી રહી છે કે, આ ભરવાડ યુવકોએ બીજા કેટલાને આવી રીતે 'ચૂનો'લગાવી કઈ-કઈ જગ્યાનો વેંચાણ કરાર કરી નાખ્યો છે. આરોપી મુકેશ જક્ષીની પૂછપરછમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આ મોરલા કેવી કળા કરી ગયા છે તે બહાર આવી શકે છે.હાલ તો ફરાર એવા ચિરાગ ભરવાડને પોલીસ શોધી રહી છે અને ચિરાગની આગળની 'હિસ્ટરી'ના સંદર્ભમાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.