ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; .પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પીઢ નેતા પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની જૈફ વયે નિધન થયું છે, મોહાલીની હોસ્પિટલમાં બાદલે અંતિમ શ્વાસ લીધાં હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 26-27 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોમસી વરસાદની અસર વર્તાશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 26 અને 27 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો આ દરમિયાન અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. અન્ય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે.
દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્વોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSએ લોરેન્સ બિશ્નોઈને કચ્છ લાવી હતી અને માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં કોર્ટ સમક્ષ તેના રિમાન્ડની માંગણી કરી હતી
રાજ્યમાં હોર્ટ એટેકના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે. વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત થયું છે. નિહાલ ત્રિવેદીને હાર્ટએટેક આવતા મૃત્યુ થયું છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસો.એ શ્રદ્ધાંજલિ આપી છે. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે.
ભાવનગર તોડકાંડમાં પોલીસની મહત્વની કાર્યવાહી સામે આવી છે જેમાં યુવરાજસિંહના સાળા શિવુભાને ત્યાથી વધુ રોકડ રિકવર કરાઈ છે. તમને જણાવી દઈએ કે, પોલીસે આરોપી શિવુભાને ત્યાથી વધુ રૂ. 25.50 લાખ કબજે લીધા છે. પિયા 25.50 લાખની રોકડ શિવુભાના મિત્રને ત્યાથી મળી આવી છે. આ રકમ શિવુભાના મિત્ર સંજય જેઠવાને ત્યાંથી મળી આવી છે. વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305થી હાર્ડડિસ્ક પણ કબજે લેવાઈ છે. યુવરાજસિંહના સાળા શિવુભા ગોહિલ છે જેમની ભાવનગરના વિક્ટોરીયા પ્રાઈમ કોમ્પ્લેક્ષમાં ઓફિસ છે. પોલીસ FIR મુજબ શિવુભાની ઓફિસે પૈસા માટે બેઠક થઈ હતી જેમાં પ્રકાશકુમાર બારૈયા તથા પ્રદીપ બારૈયા પાસેથી પૈસા કઠાવવા ઓફિસે બેઠકો થઈની વિગતો છે.
રાજકોટ યાર્ડનાં જીરૂનાં મોટા બ્રોકરને ત્યાં સેબીનાં દરોડા પડ્યા છે. ત્યારે ધીરૂદાસાને ત્યાં સેબીનાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય 3 એક્સપોર્ટર્સને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અયોધ્યા ચોકની ટાઈમ સ્કવેર બિલ્ડિંગમાં અલગ-અલગ ટીમે તપાસ શરૂ કરી છે. સૌરાષ્ટ્રનાં વેપારીઓ, ખેડૂતો અને એક્સપોર્ટર્સમાં ચર્ચા જાગી છે. જેમાં 150 ફૂંટ રિંગ રોડ બિલ્ડિંગમાં ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે એક્સપોર્ટર વેપારી તથા અન્ય બે મોટા બ્રોકર કે ટ્રેડર્સને ત્યાં સેબીએ તપાસ હાથ ધરી છે. ત્યારે તપાસમાં હજુ પણ મોટી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે. સતત વધતા જીરૂનાં ભાવને કારણે સેબી સક્રિય થયું છે. જીરૂનાં ભાવ રૂપિયા 8 હજારની સપાટીએ પહોંચતા સટ્ટો અને સિન્ડિકેટ બન્યાની શંકાનાં આધારે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
RTE અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તમને જણાવી દઈએ કે, રાજ્યભરમાંથી RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે. સાથો સાથ આરટીઈ અંતર્ગત પ્રવેશને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક અપાઈ છે જે 27 એપ્રિલ સુધી ઓનલાઈન અપલોડ કરી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જેમને વધુ 27 એપ્રિલ સુધી તક આપવામાં આવી છે.
અવારનવાર વિવાદમા આવેલી અને પંકાઈ ગયેલી લલ્લુજી એન્ડ સન્સ કંપની ફરી એકવાર વિવાદના ચકડોળે ચડી છે. આ વખતે લલ્લુજી એન્ડ સન્સ કંપનીને કારણે ગુજરાત યુનિવર્સિટીને કરોડો રૂપિયાનો ધુમ્બો લાગતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગુજરાત યુનિવર્સિટીને લલ્લુજી એન્ડ સન્સને કારણે 37 કરોડથી વધુનો ચૂનો લાગ્યો છે. લલ્લુજી એન્ડ સન્સે યુનિવર્સિટીનું જાણીતુ કન્વેન્શન સેન્ટર 3 વર્ષ ચલાવ્યું હતું. પણ યુનિવર્સિટીને પૈસા ન આપ્યા હોવાનું ઉઘાડું પાડ્યું છે. જેમાં લલ્લુજી એન્ડ સન્સ પાસે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને ભાડુ માત્ર 2 વર્ષનું જ ચૂકવ્યું છે. યુનિવર્સિટીને વાર્ષિક 12 કરોડ રૂપિયા આપવાના હતા. જે મામલે સહમતી દર્શાવ્યા બાદ 3 વર્ષ સુધી રૂપિયા ન ચૂકવ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ 3 વર્ષ સુધી કન્વેન્શન સેન્ટરમાં ધંધો કરી કમાણી રોળી લીધા બાદ યુનિવર્સિટીને ચૂકવણું કરવામાં હાથ ઊંચા કરી દીધા છે. સરકારી મિલકતમાંથી કોન્ટ્રાક્ટર માલામાલ થયા બાદ યુનિવર્સિટીનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. યુનિવર્સિટીના સત્તાધીઓએ પણ રૂપિયા વસૂલવા માત્ર નોટિસ ફટકારી છે. માત્ર નોટિસ ફટકારીને યુનિવર્સિટીના સત્તાધીશોએ સંતોષ માન્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવ્યા હતાં. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ સમગ્ર દમણને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યુ હતું. દમણમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. તિરંગા કલરની લાઈટોથી ઈમારતો લગાવવામાં આવી. દમણના ઐતિહાસિક કિલ્લા તેમજ બીચનો અદભુત નજારો માણવા લોકોની ગતરાતે જ ભીડ જોવા મળી રહી છે. દમણમાં અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ મજા માણતા જોવા મળી રહ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો મેડિકલ કોલેજ અને સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું હતું. તેમજ દમણના સુદર સી ફેસ રોડ સહિત અંદાજે 4 હજાર 800 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
.પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના પીઢ નેતા પ્રકાશ સિંહ બાદલનું 95 વર્ષની જૈફ વયે નિધન થયું છે. મોહાલીની હોસ્પિટલમાં બાદલે અંતિમ શ્વાસ લીધાં હતા. શિરોમણી અકાલી દળ (એસએડી)ના વરિષ્ઠ નેતાને એક અઠવાડિયા પહેલા શ્વાસની તકલીફની ફરિયાદ બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે સાંજે તેમનું અવસાન થયું હતું. દિવંગત પ્રકાશ સિંહ બાદલના અંતિમ સંસ્કાર તેમના બાપદાદાના ગામ બઠિંડાના બાદલ ગામમાં આવતીકાલે કરાશે.
સૂડાનમાં ફસાયેલા ભારતીયોનાં પહેલો જથ્થો ભારતીય નૌસેનાનાં વહાણમાં સાઉદી અરબથી બહાર લઈ જવા માટે રવાના થયો છે. વિદેશમંત્રાલયે આ અંગે આજે માહિતી આપી હતી. ભારતે હિંસાગ્રસ્ત સૂડાનથી પોતાના નાગરિકોને નિકાળવા માટે સોમવારે ઓપરેશન કાવેરી શરૂ કર્યું હતું . વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ INS Sumedha પર સવાર ભારતીયોનાં ફોટોને ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. સૂડાનથી લઈ જવા બદલ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે 'સૂડાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો ઓપરેશન કાવેરી અંતર્ગત રવાના થયો છે. INS સુમેધા 278 લોકોની સાથે પોર્ટ સૂડાનથી જેદ્દા જઈ રહ્યું છે.' અત્રે ઉલ્લેખનિય છે કે સૂડાનથી આવી રહેલા આ લોકોમાં અનેક બાળકો પણ શામેલ છે. હિંસાથી પ્રભાવિત સૂડાનમાં ફંસાયેલા ભારતીયોને સુરક્ષિતરૂપે નિકાળવાની યોજના અંતર્ગત ભારતે જેદ્દામાં 2 C-130J સૈન્ય પરિવહન વિમાન અને પોર્ટ સૂડાનમાં INS સુમેધાને તૈનાત કરેલ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાહુલની અરજી પર ગુરુવારે સુનાવણી થવાની સંભાવના છે. 20 એપ્રિલે સુરત કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાની અરજીને ફગાવી દીધી હતી.23 માર્ચના રોજ, સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે એક ચૂંટણી રેલીમાં મોદી અટક પર ટિપ્પણી કરવા બદલ ગાંધીને તેમની સામે દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ તેમને લોકસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા. ત્યારબાદ તેણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટનો સંપર્ક સાધ્યો હતો અને તેના સજાના આદેશને પડકાર્યો હતો. રાહુલ ગાંધીને જામીન મળી ગયા હતા, પરંતુ તેમની સજા પર સ્ટે માટેની તેમની અરજી 20 એપ્રિલે નામંજૂર કરવામાં આવી હતી.
ભારતીય કુશ્તી મહાસંઘ WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ દ્વારા કથિત ધોરણે યૌન શોષણનો શિકાર થયેલી એક સગીરા સહિત સાત મહિલા પહેલવાનોને પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે. દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ મંગળવારે આ અંગે દાવો કર્યો છે. પુનિયાએ દિલ્હીનાં જંતર મંતરમાં મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે આરોપ છે કે WFIનાં કેટલાક લોકોએ ફરિયાદીઓ સાથે સંપર્ક કર્યો હતો અને તેમને પૈસાની ઓફર કરી હતી. ઓલંપિક મેડલ વિજેતા પુનિયાએ કહ્યું કે, 'મને નથી ખબર કે આ કેવી રીતે થયું પરંતુ જે છોકરીઓએ ફરિયાદ કરી છે તેમના પર દબાણ મૂકવામાં આવી રહ્યું છે. WFI અધિકારી તેમના ઘરે જઈ રહ્યાં છે અને પૈસાની ઓફર કરી રહ્યાં છે. જો એ છોકરીઓને કંઈ થાય છે તો પોલીસ અને સરકારની જવાબદારી રહેશે. મને નથી ખબર કે નામોનો ખુલાસો કઈ રીતે થયો છે.'
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હી દારૂ નીતિ મામલે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, બુચી બાબુ, અર્જુન પાંડે અને અમનદીપ ધલને આરોપી બનાવવામાં આવ્યા છે. આ પહેલા સિસોદિયાના નામનો ઉલ્લેખ કોઈ ચાર્જશીટમાં નહોતો. કોર્ટે ચાર્જશીટના મુદ્દાઓ પર દલીલો માટે 12 મેની તારીખ નક્કી કરી છે.સીબીઆઈ દારૂ નીતિમાં કથિત ગેરરીતિઓની તપાસ કરી રહી છે. 26 ફેબ્રુઆરીએ કેન્દ્રીય તપાસ એજન્સીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસના સંબંધમાં ઇડી સિસોદિયાની પણ પૂછપરછ કરી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારમાં સિસોદિયા મુખ્ય કાવતરાખોર છે.
ગુજરાત ટાઇટન્સે મંગળવારે તેના ઘર આંગણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 55 રનથી હરાવ્યું હતું. IPL-2023માં ઘરઆંગણે ચાર મેચમાં ગુજરાતની આ બીજી જીત છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલની અડધી સદી બાદ ગુજરાતે અભિનવ મનોહર અને ડેવિડ મિલરની તોફાની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. બાદ મુંબઈ નવ વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી.
Back-to-back victories for @gujarat_titans 👏🏻👏🏻#GT complete a 55-run win over #MI to jump to number 2️⃣ on the Points Table 👌🏻👌🏻