ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચારઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે.
રાજ્યના હવામાન વિભાગે ભરઉનાળે ફરી માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. જેને લઇ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે.રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, તાપી, રાજકોટ અને અમરેલીમાં માવઠું પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને વચ્ચે બનાસકાંઠા જિલ્લાનું વાતાવરણ પલટાયું છે.
કમ્પેરેટીવ એક્ઝામની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર 7 હજાર જગ્યાએ પર ભરતી કરવા જઈ રહી છે. પાપ્ત વિગતો મુજબ પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યા પર ભરતી કરાશે. તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં માહિતી આપી છે. પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યા ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યુ છે.
રાજ્ય સરકારે ફરી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટને મંજૂરી આપી તે પ્રોજેક્ટ અંતર્ગત 5 ખાનગી કંપનીઓને જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, જેનાથી સરકારને રૂપિયા 300 કરોડની માતબર આવક થશે જમીન ફાળવણીનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ગ્રીન હોઈડ્રોજન પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં જમીનની ફાળવણી કરાશે તેમજ પ્રથમ તબક્કામાં 1.99 લાખ હેક્ટર જમીનની ફાળવણી કરવાનો નિર્ણય લેવાયો છે તેમજ રિલાયન્સને 74 હજાર 750 હેક્ટર જમીન ફાળવવામાં આવશે જ્યારે અદાણીને 84 હજાર 486 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવશે તેમજ ટોરેન્ટને 18 હજાર હેક્ટર જમીન ફાળવવામાં આવશે.
લોકસભાની ચૂંટણી આડે હવે એકાદ વર્ષનો સમય બાકી છે, ત્યારે ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. લોકસભાની તમામે તમામ 26 બેઠકો જીવવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વચ્ચે હવે લોકસભાની ચૂંટણી પહેલા કમલમ કાર્યાલયના સંચાલન માટે કમિટી બનાવવામાં આવી છે. કાર્યાલય સંચાલન અને પ્રવાસ અંગેની કમિટીમાં 5 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, જૂનાગઢ શહેર પ્રભારી ચંદ્રશેખર દવે, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ, વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ, સંગઠનમંત્રી નાથુભા સરવૈયાનો સમાવેશ કરાયો છે. તેઓ જિલ્લા તાલુકા અને મંડળના કાર્યપ્રણાલીની સમીક્ષા કરશે અને ભાજપને એક્ટિવ કરશે. વર્તમાન ભાજપના સંગઠનની કામગીરી અંતર્ગતની પણ સમીક્ષા કરશે.
રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક જ ઘરમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યો હતો. સવારે ઉઠીને ચા પીધી જે બાદ તેઓ ફરવા ગયા અને ફરીને પરત ઘરે આવ્યા બાદ અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા. ત્યારે નરેશભાઈ અચાનક ઢળી પડતા પરિવારજનો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. જે બાદ નરેશભાઈની બોડીને ઘરે લાવ્યા બાદ તેમનાં વેવાણ જોવા માટે આવ્યા હતા. તે સમયે તેમનાં વેવાણ આશાબેન જેઓની ઉંમર આશરે 50 વર્ષ જેઓ નરેશભાઈની બોડી જોઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેઓને પરિવારજનો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે તેઓને પણ મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક જ પરિવારમાં એક દિવસે બે વ્યક્તિઓનાં મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રમખાણો, હિંસા અને આગચાંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલના નિયમિત જામીન મજૂર કર્યા છે. મહત્વનું છે કે, આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.
ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદનો કમઠાણ સર્જાયો છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે જ્યારે પાટણ અને બનાસકાંઠામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં વીજળી પડતા 23 વર્ષીય જગદીશ પ્રજાપતિનું મોત થયું છે જ્યારે પાલનપુરમાં વીજળી પડતા 15 વર્ષીય તરૂણનું મોત થયું છે.
Same Sex Marriage:સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગેની સુનાવણીના છઠ્ઠા દિવસે સુપ્રીમ કોર્ટનું વલણ થોડું નરમ દેખાયું હતું. જણાવી દઈએ કે કોર્ટે સંમત થયા કે આ વિષય સંસદના અધિકારક્ષેત્રમાં આવે છે અને કોર્ટે કેન્દ્ર સરકારની એ દલીલ પણ સ્વીકારી હતી કે આવા લગ્નને માન્યતા આપવાથી અન્ય ઘણા કાયદાઓનો અમલ મુશ્કેલ બનશે. બે દિવસ અગાઉ 5 ન્યાયાધીશોની બેન્ચે સરકારને પૂછ્યું કે શું તે સમલૈંગિક યુગલોને સામાજિક સુરક્ષા આપવા માટે કોઈ કાયદો બનાવવા માંગે છે અને આ વાત પર ન્યાયાધીશોનું માનવું હતું કે પતિ-પત્ની તરીકે સાથે રહેતા સમલૈંગિક યુગલોને સંયુક્ત બેંક ખાતું ખોલવાની સુવિધા આપવી જોઈએ. જો કે આ મામલે આગામી સુનાવણી 3 મેના રોજ થશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા દરમિયાન ઈન્દોરમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો અને આ કેસની તપાસમાં જોડાયેલી પોલીસે હવે 60 વર્ષના આરોપીની ધરપકડ કરી લીધી છે. રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપનાર આરોપી દયા સિંહની ક્રાઇમ બ્રાન્ચે રાસુકા (NSA) હેઠળ ધરપકડ કરી છે. નોંધનીય છે કે દયા સિંહ 60 વર્ષનો છે અને તે બેતુલનો રહેવાસી છે. મળતી જાણકારી અનુસાર ક્રાઇમ બ્રાન્ચે બુધવારે ઉજ્જૈનમાંથી દયા સિંહની ધરપકડ કરી હતી. આ સાથે જ એમ પણ જાણવા મળ્યું છે કે રાસુકા હેઠળ વોરંટ ઈસ્યુ થયું હતું ત્યારથી તે ફરાર હતો.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં મંદિર નિર્માણનું કામ રાત-દિવસ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થઈ જશે. આ તરફ હવે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, વર્ષોથી રામલલાના દર્શન કરવા માટે તડપતા ભક્તોની ઈચ્છા પૂરી થવાની છે. યોગી સરકારમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે, ત્યારબાદ ભક્તો મંદિરમાં પૂજા કરી શકશે.
યુપીનાં માફિયા અતિક-અશરફ હત્યા કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અતિક-અશરફ હત્યા કેસની તપાસ સુપ્રીમ કોર્ટના જજની દેખરેખ હેઠળ કરાવવાની માંગ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે માફિયા બ્રધર્સની હત્યા પર સવાલ પૂછ્યો કે, અતીક-અશરફને એમ્બ્યુલન્સમાંથી સીધા હોસ્પિટલની અંદર કેમ ન લાવવામાં આવ્યા? . સુપ્રીમ કોર્ટના પ્રશ્નના જવાબમાં યુપી સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, અમે આ મામલાની તપાસ માટે એક SITની રચના કરી છે અને ભૂતપૂર્વની દેખરેખ હેઠળ એક કમિશનની રચના કરીને મામલાની તપાસ કરી રહ્યા છીએ. રોહતગીના આ નિવેદન પર અરજદારે વિક્ષેપ પાડ્યો અને કહ્યું, હું 2017 થી થયેલા એન્કાઉન્ટરોની તપાસની પણ માંગ કરી રહ્યો છું.
સર્વોચ્ચ અદાલતે નફરત ફેલાવનારા ભાષણ અંગે કડકાઈ દાખવી છે. તેના 2022 ના આદેશનો વ્યાપ ત્રણ રાજ્યોથી આગળ લંબાવતા, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નફરતભર્યા ભાષણ આપનારાઓ સામે કોઈપણ ફરિયાદ વિના સુઓ મોટો સંજ્ઞાન લેવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણોને "દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરતો ગંભીર ગુનો" ગણાવ્યો હતો.
શુક્રવારે સાંજે 4 વાગ્યે પહેલવાનોએ પ્રેસ કોન્ફેરેન્સમાં FIR નોંધવા અંગે વાત કરી અને કહ્યું કે આ તો શરૂઆત છે. તેમનું ધ્યેય છે કે બૃજભૂષણ સિંહને સજા મળે. અને હવે બૃજભૂષણ શરણસિંહે ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે' જો તેમનાં રાજીનામાં પછી પહેલવાનો પોતાનું પ્રદર્શન રોકશે તો હું રાજીનામું આપવા તૈયાર છું.'
લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ મોહાલીમાં રનનો વરસાદ કર્યો. કેએલ રાહુલની કેપ્ટનશીપવાળી ટીમે આઈપીએલના ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. હાઈ સ્કોરિંગ મેચમાં પંજાબના કિંગ્સ વિરોધી બોલરો સામે ટકી શક્યા ન હતા. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા નિર્ધારિત 258 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા શિખર ધવનની આગેવાની હેઠળની ટીમ 19.5 ઓવરમાં 201 રન બનાવીને પેવેલિયન પરત ફરી અને મેચ 56 રનથી હારી ગઈ. લખનૌ સુપર જાયન્ટ્સની 8 મેચમાં આ પાંચમી જીત છે જ્યારે પંજાબ કિંગ્સની આઠ મેચમાં ચોથી હાર છે. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સને 10 પોઈન્ટ મળ્યા છે અને તે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે.
Marcus Stoinis was adjudged Player of the Match for his match winning knock of 72 off 40 deliveries as @LucknowIPL win by 56 runs.