ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી છે કે, લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે.
ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી છે કે, લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે.રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે બપોરે સાડા 12થી 1:30 વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. ગુજરાતમાં 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. જોકે બાદમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું. આજે સવારે 11 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓ કેન્દ્ર આગળ હાજર થઈ ગયા હતા. તલાટી પરીક્ષા માટે જિલ્લા,તાલુકા કક્ષાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.
સુરત શહેરમાં વધુ 1 વ્યક્તિ દ્વારા અંગદાન કરવામાં આવ્યું છે. 64 વર્ષીય શૈલેષભાઈનું બ્રેઈન ડેડ થતા અંગદાન કરાયું હતું. શૈલેષભાઈનાં અંગદાનથી 5 વ્યક્તિને નવું જીવનદાન મળ્યું છે. લીવર, કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. લીવર સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. લીવર વાપીનાં વ્યક્તિમાં કિરણ હોસ્પિટલાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. દાનમાં આવેલી બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે. સુરત અને દક્ષિમ ગુજરાતમાંથી અત્યાર સુધી 1122 અંગો અને ટીસ્યુનું દાન મળ્યું છે. અંદાન કરનારની દિકરીએ જણાવ્યું હતું કે, મારા પપ્પાને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમને અચાનક જ બ્રેઈન ડેડ થઈ ગયું હતું. ત્યારે તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા જે બાદ ડોનેટ લાઈફનાં ફાઉન્ડર નિલેશભાઈનો અમે સંપર્ક કર્યો અને તેઓએ અમને અંગદાનનું મહત્વ સમજાવ્યું. જે બાદ અમને એવું લાગ્યું કે આજે મારા પપ્પા નથી. પરંતું એમના થકી બીજાની જીંદગી બચતી હોય તો આપણે તે પગલું લેવું જોઈએ. અને આજે અમે સહ પરિવારની સહમતીથી આ નિર્ણય લીધો. અને મારા પપ્પાના અંગદાન તરફથી મંજૂરી આપી. જેથી કરીને લીવર, ચક્ષુદાન, કીડની આપવાનો લાભ મળ્યો. આજે મારા પપ્પા નથી પરંતું પપ્પા થકી બીજા કોઈની જે જીંદગી બચે છે. જેથી અમે ખૂબ ભાગ્યશાળી છીએ.
દાહોદ જીલ્લા પંચાયત ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા મયુર પારેખે શિક્ષક પાસે બદલીનાં ઓર્ડર બાબતે રૂપિયા એક લાખની લાંચની માંગણી કરી હતી. ત્યારે એસીબીએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષક પાસે લાંચની માંગણી કરતા શિક્ષકે આ બાબતે દાહોદ એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે આજે પૈસા આપવા માટે DPEO દ્વારા શિક્ષકને જીલ્લા પંચાયત કચેરી ખાતે શિક્ષણાધિકારીની કચેરીમાં બોલાવ્યા હતા. શિક્ષક પાસેથી લાંચની રકમ સ્વીકારતા DPEO ને દાહોદ એસીબીએ ઝડપી પાડી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
રાજ્યમાં વધતી જતી મોંઘવારી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. વિગતો મુજબ ગુજરાતમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. માહિતી મુજબ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,810થી 2,860 રૂપિયાએ પહોંચ્યો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 35 રૂપિયાનો વધારો થયો છે તો પામતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1, 710થી 1,760 રૂપિયાનો વધારો થયો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં 45 લાખ ટન મગફળીનુ ઉત્પાદન છતાં ભાવમાં વધારો થયો છે.
અમરેલીના રાજૂલામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ડુંગર ગામે 200થી વધુ વ્યક્તિઓને ઝેરી ભોજનની અસર થઈ હતી, 30 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતાં. લગ્ન પ્રસંગના જમણવારમાં જમ્યા પછી આ તમામ વ્યક્તિઓેને ઝાડા-ઉલટીઓ થતા અસરગ્રસ્તોને રાજુલા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પાપ્ત વિગતો મુજબ લગ્ન પ્રસંગના જમણવારમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. જે ભોજન 2500થી વધુ લોકોએ લીધું હતું. જેમાંથી 200 જેટલા લોકોને આ ભોજનની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ડૂગર ગામે મુસ્લિમ પરિવાર રફીક ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી
સુરતનો સૌથી મોટો ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ છે. ત્યારે હિરા ઉદ્યોગમાં અવાર નવરા છેતરપીંડીની ફરિયાદો સામે આવતી હોય છે. ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ અરિહંત વિલા બિલ્ડીંગમાં ઋષભભાઈ વોરા યુગ મહેતા સાથે તેના ભાગીદારીમાં ઓફિસ ધરાવે છે. રાહીલ મિતેશ માંજની હીરા દલાલ તરીકે કામ કરે છે. ત્યારે રાહિલ 6 વેપારીઓ પાસેથી 1.20 કરોડના હિરા વેપારીને દેખાડવા માટે લઈ ગયો હતો. જે બાદ પેકેટમાં ગુટખાનાં ટુકડા મુકી હીરા કાઢી લેતો હતો.ત્યારે વેપારી પેમેન્ટ કરવા ન આવતા જે બાદ વેપારીએ હીરા દલાલની હાજરીમાં પેકેટ ખોલતા સમગ્ર ભાંડો ફુટી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે મહિધરપુરા પોલીસે હીરા દલાલ આરોપી રાહીલ માંજની વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, રાહીલ માજનીએ રૂષભભાઈ વોરા પાસેથી 30 લાખનાં હીરા વેપારીને દેખાડવા લઈ ગયો હતો. તેમજ તેણે ટોકનમાં 2 લાખ રૂપિયા પણ આપ્યા હતા.
સુરતમાં દબાણો દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણીએ માંગ કરી છે. વાત જાણે એમ છે કે, હવે કુમાર કાનાણી દબાણવાળા પર બગડ્યા છે. ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં કુમાર કાનાણીએ દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વરાછા ઝોન દબાણખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. આ સાથે MLAની ફરિયાદનું ઉપજતું ન હોય તો અમે ફરિયાદ કરવાનું બંધ કરી દઈએ. સુરતનાં વલ્લભાચાર્ય રોડ પર દબાણને મુદ્દે કુમાર કાનાણી મેદાને પડ્યા છે. ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં કુમાર કાનાણીએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે વલ્લભાચાર્ય રોડ પર દબાણને મુદ્દે મનપા સામે સવાલો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું કે. વરાછા ઝોન દબાણખાતાના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં છે. આ સાથે કહ્યું કે, વરાછામાં "એકને ગોળ અને બીજાને ખોળ" જેવી કામગીરી દબાણખાતાની છે. આ સાથે કહ્યું કે, દબાણખાતું અમુક લોકોને સામાન પરત આપી દે છે.
રાજ્યમાં હવે આપઘાતના બનાવો વધતા હોય તેવું જણાઈ રહ્યું છે ગઈકાલે આપઘાતની બે ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટમાં નિવૃત્ત મામલતદારની પુત્રીએ આપઘાત કર્યો છે તો બીજી તરફ વલસાડના સેલવાસમાં સિટી બસમાં નોકરી કરતી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે.રાજકોટમાં નિવૃત્ત મામલતદારની પુત્રીએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. MBBSની ડિગ્રીના એક સર્ટિફિકેટમાં વિલંબ થતા આપઘાત કર્યોની વિગતો છે. હેતલ ભોજાણી નામની યુવતીએ જાહેરમાં આપઘાત કર્યો છે. વિગતો મુજબ યુવતીએ જાહેરમાં અગ્નિ સ્નાન કરીને જીવન ટૂકાવ્યું છે. ઋષિ વાટીકાનો બનાવ છે તેમજ દિકરીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સેલવાસમાં સિટી બસમાં નોકરી કરતી યુવતીએ આપઘાત કર્યો છે. સરસ્વતી નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અત્રે તમને જણાવી દઈએ કે, યુવતી પર બસમાં ટિકિટના પૈસાની ચોરીનો આરોપ લાગ્યો હતો. યુવતીના આપઘાત બાદ સ્માર્ટ સિટી બસ પ્રોજેક્ટના કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે, આરોપને લઈને યુવતીને નોકરીમાંથી બરતરફ કરાઈ હતી અને સંચાલકે યુવતી સાથે ગેરવર્તન કર્યું હોવાનું સામે આવ્યું હતું
કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક પ્રવાસી બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 40 લોકો સવાર હતા. પાપ્ત માહિતી મુજબ કેરળના મલપ્પુરમ જિલ્લામાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થઈ ગયો છે.મળતી માહિતી મુજબ, પુરાપુઝા નદી પર થુવલ થેરમ પર્યટન સ્થળ પર સાંજે લગભગ 7 વાગ્યે એક પ્રવાસી બોટ પલટી ગઈ હતી. પ્રવાસી બોટમાં ઘણા બાળકો સવાર હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ ઉપરાંત ઘણા માછીમારો અને સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. નદીમાંથી 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.વડાપ્રધાન મોદીએ કેરળ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે તેમજ વડાપ્રધાને અકસ્માતમાં મૃત્યું થયેલ લોકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
#WATCH केरल के मलप्पुरम ज़िले के तनूर के पास एक पर्यटक नौका के पलट जाने से 6 लोगों की मृत्यु हो गई। बचाव अभियान जारी है। pic.twitter.com/Z8o73JC1Jz
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને આડે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે. પીએમ મોદી પણ રાજ્યમાં ધુઆધાર ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. રવિવારે પીએમ મોદીએ શિવમોગામાં જનસભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે તેઓ રાજ્યના વિકાસ દ્વારા રાજ્યના લોકોનું ઋણ ચૂકતે કરશે. મોદીએ કહ્યું કે શિવમોગાની આ ભૂમિ પરથી, હું આખા કર્ણાટકને ખાતરી આપવા માંગુ છું, એક વાસ્તવિક ગેરંટી આપવા માંગુ છું કે તમે મને જે પ્રેમ આપ્યો છે, તમે મને જે આશીર્વાદ આપ્યા છે ... હું કર્ણાટકનો વિકાસ કરીશ અને તેને વ્યાજ સાથે તમને પરત કરીશ.
I want to give you the original guarantee for your love & blessings; I will develop Karnataka and refund it with interest: PM in Shivamogga
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સામે કાર્યવાહીની માંગ સાથે દિલ્હીમાં 'કુસ્તીબાજો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. એક બાજુ લાંબા સમયથી વિરોધ છતાં બૃજભૂષણ શરણ સામે પગલાં ન લેવાતા પહેલવાનોમાં આક્રોશનો જ્વાળા ભભૂકી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવે ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતના આગેવાનો કુસ્તીબાજોના ખુલ્લા ટેકામાં આવ્યા છે. પરિણામે કુસ્તોબાજોનો અવાજ અને માંગ બુલંદ બની છે. ખેડૂત સંગઠનના આગેવાનો અને ખાપના આગેવાનો જંતર મંતર મેદાન ખાતે પહોંચ્યા હતા. જ્યા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના બીકેયુ સભ્યોએ લંગર પણ પીરસ્યું હતું.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો બરોબરનો માહોલ જામી રહ્યો છે અને ચૂંટણી અંતિમ પડાવમાં પહોંચી છે. જેને લઈને જોરશોરથી પ્રચાર, પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. જે સોમવારે 8 મેના રોજ બંધ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. જે દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.ભારત જોડે યાત્રાનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ભારત અને કર્ણાટકને એક કરવા અને નફરતનો અંત લાવવા માંગીએ છીએ જેથી યાત્રાના વિસ્તારો ખૂંદયા હતા. સભા સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, આ વખતે કર્ણાટકમાંથી ડબલ એન્જિનિયરિંગ ચોરી થઈ જશે! વધુમાં તેઓએ ઉલ્લેખ કરતા કહ્યું કે કોન્ટ્રાક્ટર એસોસિએશનને વડાપ્રધાનને પત્ર લખીને આરોપ સાથે કહ્યું કે અહીં દરેક જગ્યાએ 40 કમિશન ચાલી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે સીએમની ખુરશી અઢી હજાર કરોડમાં ખરીદી શકાય છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
#WATCH | "What's happening in Manipur is because of hate politics. If Manipur is burning today it is because of hate politics. And we started the Bharat Jodo Yatra against this hate politics," says Congress leader Rahul Gandhi in Anekal, Karnataka pic.twitter.com/Ps0lsm9m7Q
SCO સમિટમાં ભાગ લેવા માટે ગોવા આવેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને ભારતીય વિદેશ મંત્રીએ ઠપકો આપ્યો હતો. એસ જયશંકરે આતંકવાદ ઉદ્યોગના પ્રમોટર, સંરક્ષક અને પ્રવક્તા તરીકે પાકિસ્તાનની સ્થિતિનો જવાબ આપ્યો. બિલાવલ સાથે હેન્ડશેક કરવાને બદલે તેમણે દૂરથી અભિવાદન કર્યું. આ દરમિયાન બંને દેશો વચ્ચે તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બિલાવલ ભુટ્ટો સાથેની બોલાચાલી પર મીડિયામાં ચાલી રહેલી તમામ ચર્ચાઓનો વિદેશ મંત્રી એસ. જયશંકરે બેફામ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે બિલાવલ ભુટ્ટો વિદેશ મંત્રી તરીકે SCOમાં આવ્યા હતા. જો મારી પાસે સારો મહેમાન છે, તો હું સારો યજમાન છું.એસસીઓની મીટિંગ બાદ જયશંકરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાન અને બિલાવલ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે SCO મીટિંગમાં બિલાવલ સાથે વિદેશ મંત્રી જેવું વર્તન કરવામાં આવ્યું હતું. તે આતંકવાદી ઉદ્યોગનો પ્રવક્તા છે. પાકિસ્તાનની કોઈ વાત પર વિશ્વાસ કરી શકાય નહીં. આતંકનો ભોગ બનેલા અને કાવતરાખોરો સાથે બેસીને વાત કરી શકતા નથી.
IPL 2023 મા આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રોમાંચક મુકાબલો ખેલાયો હતો. Ipl ની 16 મી સીઝનની 51મી મેચમાં ગુજરાત ટાઈટન્સે જોરદાર જીત હાંસલ કરી હતી. ગુજરાત ટાઈટન્સે લખનૌને 56 રનથી હરાવી અને સતત આઠમી જીત પોતાને નામ કરી હતી. ટોસ હાર્યા બાદ ગુજરાતની ટીમના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા ઉતર્યા હતા. જેમાં 20 ઓવરમાં ખેલાડીઓએ જાણે રનનો વરસાદ કર્યો હોય તેમ 227 રન કર્યા હતા. ત્યારબાદ લખનૌના ખેલાડીઓ સાત વિકેટ એ માત્ર 171 જ રન કરી શક્યા હતા.
Cyclone Mocha ને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે, ચક્રવાત મોચાની અસર આ અઠવાડિયે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોવા મળે તેવી સંભાવના છે. બંગાળની ખાડી અને દક્ષિણપૂર્વમાં નીચલા અને મધ્યમ ઉષ્ણકટિબંધીય સ્તરોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાઈ રહ્યું છે. તેની અસરને કારણે આ જ વિસ્તારમાં 8મી મે સુધીમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની ધારણા છે. ચક્રવાતનું નામ 'મોચા' ( Cyclone Mocha ) રાખવામાં આવશે, જે નામ યમન દ્વારા સૂચવવામાં આવ્યું છે.IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 9 મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં નીચા દબાણનો વિસ્તાર બનવાની અને ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMD વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, હવામાન પ્રણાલી ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે અને મંગળવાર અથવા બુધવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ આગળ વધશે.