ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે.
ગુજરાતમાં ગરમીની સાથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગ દ્વારા 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ 26 એપ્રિલે અમદાવાદમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથો સાથ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષાનુ પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે. વિગતો મુજબ ધોરણ 10 અને 12ના પરિણામો મે મહિનામાં જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનામાં ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે. વધુમાં તમને જણાવી દઈએ કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનામાં ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે જ્યારે ધોરણ 10 અને 12ની 90 લાખથી વધુ ઉત્તરવહીનું મૂલ્યાંકન પૂર્ણ થયું છે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી અને ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.
ભાવનગરમાં તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળા અને આરોપી કાનભા ગોહિલને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે કોર્ટે કાનભા ગોહિલનાં 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે કાનભાના મિત્રના ઘરેથી 38 લાખ કબ્જે કર્યા છે.ભાવનગરમાં ડમીકાંડ મામલે વધુ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં ધો. 10 અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઝડપાયા છે. ઝડપાયેલ તમામ શખ્શોએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાર્કિંગની સુવિધા માટે ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. આઈપીએલ જોવા આવતા પ્રેક્ષકોના વહાનોને પાર્કિંગ માટે ફરજીયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ ગાડીના પાર્કિગને લઈ માહિતી આપવામાં આવશે તેમજ પાર્કિગ સ્થળની ઓનલાઈન માહિતી મળતા પ્રેક્ષકોને પણ રાહત થશે. પાર્કિંગ સ્થળેથી સ્ટેડિયમ સુધીના સ્થળે જવા માટે ફ્રિ શટલની પણ સુવિધા મળશે અત્રે તમને જણાવી દઈએ કે, ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના પ્રશ્નો દૂર કરવા પોલીસની ઓનલાઈન રજિસ્ટ્રેશનની આ પહેલ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે આવવાના છે. પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈ સમગ્ર દમણને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવ્યુ છે. દમણમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તિરંગા કલરની લાઈટોથી ઈમારતો ચમકી ઉઠી છે. દમણના ઐતિહાસિક કિલ્લા તેમજ બીચનો અદભુત નજારો માણવા લોકો બહાર નીકળી રહ્યા છે. દમણમાં અદભૂત નજારો જોઈને પ્રવાસીઓ પણ લાઈટિંગની સેલ્ફી લઈને મજા માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમો મેડિકલ કોલેજ અને સ્ટેડિયમનું લોકાર્પણ કરશે. તેમજ દમણના સુદર સી ફેસ રોડ સહિત અંદાજે 4 હજાર 500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી દમણમાં 16 કિલોમીટર લાંબો રોડ શો કરશે .ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ દમણમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ આજુબાજુ રહેલ લોકોને થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. યુવકને તાત્કાલી આજુબાજુનાં લોકો દ્વારા સારવાર અર્થે ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે 42 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જે બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર માતમ છવાઈ ગયો છે.
ભાવનગર ડમી ઉમેદવારકાંડમાં પોલીસ સક્રિય થઈ છે. ડમીકાંડમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 40 સામે ફરિયાદ થયા બાદ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તોડકાંડની તપાસમાં પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ હાલ 7 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજસિંહ જાડેજા સામે વધુ એક ગુનો દાખલ કરાશે. તેમની સામે ખંડણી બાદ હવે અપહરણનો ગુનો પણ દાખલ કરાશે. તોડકાંડ મામલે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રિકવર કરાયા છે. આ મામલે ભાવનગર રેન્જ આઇ.જી વિગતવાર માહિતી આપી શકે છે.
અમદાવાદ નરોડા ગામ હત્યાકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નરોડા ગામ હત્યાકાંડ મામલે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે રચેલી SIT ગુજરાત હાઈકોર્ટમાં પડકારશે. SIT સ્પેશ્યલ કોર્ટના ચુકાદાની કોપીનો અભ્યાસ કરી રહી છે. ચુકાદાની કોપીનો અભ્યાસ કર્યા બાદ તેને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મજબૂત અને વિશ્વસનીય પૂરાવા હોવાથી SITના ચુકાદાને HCમાં પડકારાશે. મહત્વનું છે કે, સ્પે.જજ એસ.કે બક્ષીએ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.ગોધરાકાંડ બાદ નરોડા ગામમાં 11 વ્યક્તિઓની હત્યા થઈ હતી. જે હત્યા કેસમાં માયાબેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. ત્યારે ગત ગુરુવારે (20 એપ્રિલ, 2023) સ્પેશ્યલ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસનાં સ્પેશ્યલ જજ એસ બક્ષીએ ચુકાદો સંભળાવ્યો. ચુકાદો આવતા જ આરોપીઓ હર્ષનાં આંસુ સાથે કોર્ટ સંકુલ બહાર નીકળ્યા હતા. 21 વર્ષ બાદ ગુરુવારે સ્પેશ્યલ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સ્પેશ્યલ કોર્ટમાં 7 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો.
અવારનવાર વિવાદમા આવેલી અને પંકાઈ ગયેલી લલ્લુજી એન્ડ સન્સ કંપની ફરી એકવાર વિવાદના ચકડોળે ચડી છે. આ વખતે લલ્લુજી એન્ડ સન્સ કંપનીને કારણે ગુજરાત યુનિવર્સિટીને કરોડો રૂપિયાનો ધુમ્બો લાગતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગુજરાત યુનિવર્સિટીને લલ્લુજી એન્ડ સન્સને કારણે 37 કરોડથી વધુનો ચૂનો લાગ્યો છે. જેનું 2020થી લઈ કોન્ટ્રાક્ટ ધરાવતા લલ્લુજી એન્ડ સન્સે કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.લલ્લુજી એન્ડ સન્સે યુનિવર્સિટીનું જાણીતુ કન્વેન્શન સેન્ટર 3 વર્ષ ચલાવ્યું હતું. પણ યુનિવર્સિટીને પૈસા ન આપ્યા હોવાનું ઉઘાડું પાડ્યું છે. જેમાં લલ્લુજી એન્ડ સન્સ પાસે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને ભાડુ માત્ર 2 વર્ષનું જ ચૂકવ્યું છે.યુનિવર્સિટીને વાર્ષિક 12 કરોડ રૂપિયા આપવાના હતા. જે મામલે સહમતી દર્શાવ્યા બાદ 3 વર્ષ સુધી રૂપિયા ન ચૂકવ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ 3 વર્ષ સુધી કન્વેન્શન સેન્ટરમાં ધંધો કરી કમાણી રોળી લીધા બાદ યુનિવર્સિટીને ચૂકવણું કરવામાં હાથ ઊંચા કરી દીધા છે. સરકારી મિલકતમાંથી કોન્ટ્રાક્ટર માલામાલ થયા બાદ યુનિવર્સિટીનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે.
આફ્રિકન દેશ સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી શરુ કર્યું છે. ઓપરેશન કાવેરી હેઠળ 500 ભારતીયોને બહાર કાઢીને સુદાનના બંદરે લાવવામાં આવ્યાં છે. ભારતના આ કામમાં ફ્રાન્સે ખૂબ મોટી મદદ કરી છે. સોમવારે વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. "સુદાનમાં ફસાયેલા આપણા નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન કાવેરી ચાલી રહ્યું છે. આશરે 500 ભારતીયો બંદર સુદાન પહોંચી ગયા છે જ્યારે અન્ય લોકો માર્ગ પર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આગળ લખ્યું કે આપણા જહાજો અને વિમાન તેમને સ્વદેશ પરત લાવવા માટે તૈયાર છે. અમે સુદાનમાં અમારા તમામ ભાઈઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દેશના 100 કરોડ લોકોએ ઓછામાં ઓછી એક વખત સાંભળ્યો છે. તેમજ 23 કરોડ લોકો તેને નિયમિત રીતે સાંભળે છે. મન કી બાત પર આઈઆઈએમ રોહતક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે. આ અભ્યાસ પ્રસાર ભારતીના કહેવાથી કરવામાં આવ્યો હતો. આઈઆઈએમના ડિરેક્ટર ધીરજ શર્મા અને પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા હતા. હિન્દીની સાથે ઘણી પ્રાદેશિક ભાષાઓમાં ડેટા સંગ્રહ કરવામાં આવ્યો હતો. મન કી બાતનો 100મો એપિસોડ 30 એપ્રિલે પ્રસારિત થવાનો છે.
સોલાર સિસ્ટમમાં દરરોજ કેટલીક ચોંકાવનારી ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક અનોખી ઘટના 25 એપ્રિલે બેંગલુરુમાં બનવાની છે. આ દિવસે બેંગલુરુમાં થોડી ક્ષણો માટે પડછાયો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. તે આશ્ચર્યજનક લાગશે, પરંતુ તે થવાનું જ છે. આ ઘટના બપોરે 12.15 વાગ્યાની આસપાસ બનશે. જેને ઝીરો શેડો ડે નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ તેના કેમ્પસમાં આ પ્રસંગે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ અંગે બેંગ્લુરુના લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઇવેન્ટની તૈયારી કરતી વખતે લોકો તસવીરો ટ્વીટ કરી રહ્યા છે.
અતિક-અશરફની હત્યા બાદ ફરી એકવાર પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહનો મૃતદેહ સિવિલ લાઈનમાં હોટલ વિઠ્ઠલના રૂમમાંથી મળી આવ્યો હતો. સોમવારે સવારે હોટલના કર્મચારીઓએ સૌપ્રથમ લાશને ફાંસી પર લટકતી જોઈ. આ પછી CMOને બોલાવવામાં આવ્યા હતા. ઈન્ચાર્જ CMO ડૉ.અશોક કુમાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રયાગરાજ સિવિલ લાઈનમાં હોટલ વિઠ્ઠલના રૂમમાંથી મળી પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. લગભગ 10.30 વાગ્યે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોટલના રૂમ નંબર 106નો દરવાજો માસ્ટર કી વડે ખોલવામાં આવ્યો હતો. ફોરેન્સિક ટીમે રૂમમાંથી પુરાવા એકત્ર કર્યા છે. ડૉ.સુનિલ કુમાર સિંહ મૂળ બનારસના પાંડેપુરના છે. તેઓ પ્રયાગરાજમાં ચેપી રોગો માટે નોડલ ઓફિસર હતા. મૃતદેહની હાલત જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે.
ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો શુભારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલ્યા છે. બીજી તરફ ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલ્યા છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના થયા છે. આ તરફ હવે હવામાન વિભાગે ભક્તોનું ટેન્શન વધારી દીધું છે. દેવભૂમિ ઉત્તરાખંડમાં આજકાલ સર્વત્ર આસ્થાનો પૂર જોવા મળી રહ્યો છે. કેટલાક ગંગામાં ડૂબકી મારીને આગળ વધી રહ્યા છે, તો કેટલાક પાછા ફરતી વખતે ગંગામાં સ્નાન કરવાનું આયોજન કરીને આગળ વધી રહ્યા છે. હરિદ્વાર અને ઋષિકેશને પાર કરતાની સાથે જ રસ્તાઓ પર વાહનોનો લાંબો કાફલો દેખાવા લાગશે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ઋષિકેશમાંથી પસાર થતા સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકને પહોંચી વળવા માટે વ્યવસ્થા છે, પરંતુ આ વ્યવસ્થા સામે શ્રદ્ધાળુઓની સંખ્યા ભારે પડી રહી છે.
દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને IPL 2023માં સતત બીજ મેચ જીત નોંધાવી હતી. દિલ્હીએ હૈદરાબાદને 7 રનથી હરાવ્યું. ડેવિડ વોર્નરના બદલાની આગમાં હૈદરાબાદની જીતની તમામ આશાઓને રગદોળી નાંખી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા. તેના જવાબમાં હૈદરાબાદ 6 વિકેટે 137 રન જ બનાવી શકી હતી.
If @davidwarner31's reaction can sum it up... 😀 👌@DelhiCapitals register their 2⃣nd win on the bounce as they beat Sunrisers Hyderabad by 7 runs. 👏 👏