હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, આજે સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા
રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં એપ્રિલમાં અષાઢી માહોલ જામ્યો છે. સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.આજે સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 2 મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે 3 મેના રોજ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 3 મેના રોજ દાહોદ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ,બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવ્યાના સમાચાર મળ્યા હતા. બ્રેઇન સ્ટોક આવતા અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ હાલ અનુજ પટેલની સ્થિતિ સુધારા પર છે. અનુજ પટેલ બ્રેઈન સ્ટોક થતાં તાત્કાલીક સારવાર માટે રવિવારે 2.45 વાગે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની સર્જરી કરવામાં આવી હતી તેમજ હાલ તેમની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે તેમ કેડી હોસ્પિટલે જણાવ્યું હતું
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. એક કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોય એવો વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સામે શિસ્તભંગ બદલ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ચીફ ઓફિસર ઉંઘતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં વડોદરાના યુવકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યાની ઘટના સમયે 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ હાજર હતા.મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેતો ભાસ્કર હરીશભાઈ જેટ્ટી (22) બેંગ્લોરની રેવા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. ગત શુક્રવારે કોલેજના કેમ્પસમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધારે વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.
રાજ્યના વિવિધ તાલુકાઓમાં ગઈકાલે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમદાવાદ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, વલસાડ, મહેસાણા, અમરેલી, પાટણ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.રાજકોટ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લોધિકા તાલુકાના અને પડધરી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પડધરી તાલુકાના ઈડર તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. લોધિકાના લક્ષ્મી ઈટાળા પામભર ઈટાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનાં કારણે તલી, મગ સહિતનો ઉનાળુ પાકને નુકશાન જવાની ભીંતી સેવાઈ રહી છે.
ગુજરાતમાં કોરોનાના નવા 121 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 44 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 14 કેસ, મહેસાણામાં 11 કેસ, બનાસકાંઠામાં 5 કેસ તેમજ સુરત ગ્રામ્યમાં 6 કેસ, ગાંધીનગર ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે તેમજ વલસાડમાં 4 કેસ, આણંદમાં 3 કેસ, વડોદરા ગ્રામ્યમાં 3 કેસ સામે આવ્યા છે. ભરૂચમા 2 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં એક કેસ નોંધાયો તેમજ ભાવનગર શહેરમાં એક કેસ, ગાંધીનગર શહેરમાં એક કેસ અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્યમાં એક-એક કેસ નોંધાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'નાં 100માં એપિસોડમાં મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઘણીવાર હું ભાવુક થઈ ગયા બાદ ફરીથી મન કી બાત કાર્યક્રમનું રેકોર્ડીંગ કરવું પડ્યું હતું. મહત્વનું છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતનાં 100મો એપિસોડ કર્યો હતો. જેને લઈ 'મન કી બાત'ના જીવંત પ્રસારણ માટે દેશભરમાં ચાર લાખ બૂથ લેવલ સેન્ટર બનાવવામાં આવ્યા હતા. આ તમામ જગ્યાએએ રેડિયો કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. મન કી બાત નાં 100માં એપિસોડમાં પીએમ મોદીએ ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ એટલે કે ચાલતા રહો-ચાલતા રહો-ચાલતા રહોની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે અમે ચરૈવેતિ ચરૈવેતિની ભાવના સાથે 'મન કી બાત'નો 100મો એપિસોડ પૂરો કરી રહ્યા છીએ. દરેક એપિસોડમાં દેશવાસીઓની સેવા અને શક્તિએ અન્ય લોકોને પ્રેરણા આપી છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે. એક રીતે 'મન કી બાત'નો દરેક એપિસોડ આગામી એપિસોડ માટે મેદાન તૈયાર કરે છે. 'મન કી બાત' હંમેશા સદ્ભાવના, સેવા-ભાવના અને ફરજની ભાવના સાથે આગળ વધી છે.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. આવી સ્થિતિ વચ્ચે કર્ણાટકના મૈસૂરમાં ફરી એકવાર પીએમ મોદીની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. મૈસુર ખાતે રોડ શો દરમિયાન વડાપ્રધાનના કાફલા પર વાહનની આગળ મોબાઈલનો ઘા કરવામાં આવ્યો હતો. જેને લઈને આફરાતફરી મચી ગઇ હતી. જોકે એસપીજી જવાનોએ તરત જ તે મોબાઈલને કારમાંથી ફેંકી દીધો હતો.મહત્વનું છે કે છેલ્લા ત્રણ મહિનામાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. ત્રીજી વખત પીએમની સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. જેમાં મોબાઈલ જાણીજોઈને ફેંકવામાં આવ્યો હતો કે ફૂલ ફેકતી વખતે મોબાઈલ ભૂલથી પડી ગયો હતો. આ દિશામાં પોલીસે તપાસ લંબાવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાજપના જ સમર્થક દ્વારા ભૂલથી અકસ્માતે ફોન ફેંકાયો હતો. આ મામલે પોલીસે પુષ્ટિ કરી છે.
#WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB
પંજાબના લુધિયાણામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જિલ્લાના ગ્યાસપુરા વિસ્તારમાં ઝેરી ગેસ લીક થવાથી ચાર બાળકો સહિત 10 લોકોના મોત થયા છે. 11 લોકો હજુ પણ બેભાન હાલતમાં છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચ્યા બાદ વિસ્તારને સીલ કરી દીધો છે. કોઈને પણ ઘટનાસ્થળે જવાની પરવાનગી નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. NDRFની ટીમે પણ મોરચો સંભાળ્યો છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યુ ટીમ દરેક ઘરની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
Punjab: Death toll rises to 11 in Ludhiana gas leak incident
યુક્રેન અને રશિયાનાં યુધ્ધ વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હમણાં તાજેતરમાં જ યુક્રેનનાં નેતા ભારત આવ્યા બાદ ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યા હતા. તેમને ભારત પાસે મદદ માટે આજીજી કરી રહી હતી. રશિયાએ આવું કર્યું છે. ચારેય દિશામાંથી મિસાઈલો પાણીની જેમ વરસી રહી છે. પરંતુ હવે લાગે છે કે, તેનો વિચાર બદલાઈ ગયો છે. તેથી જ તેઓએ એવી ભૂલ કરી છે જેના માટે કોઈ માફી નથી. યુક્રેને આર્ટવર્કના નામે હિંદુ દેવી કાલીની અભદ્ર તસવીર પોસ્ટ કરી હતી. ભારતના લોકોમાં ભારે ગુસ્સો હતો. હિન્દુ સંગઠનોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પછી ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી.
અભિનેતા સલમાન ખાનને બાળકો પ્રત્યેનો ઘણો પ્રેમ છે એ બધા જાણે છે. તે ઘણીવાર તેની ભત્રીજીઓ અને ભત્રીજાઓ સાથે સમય વિતાવે છે. આશ્ચર્યની વાત એ છે કે 'દબંગ' સ્ટારે એકવાર પોતાનું બાળક રાખવાનું વિચાર્યું હતું. એવામાં તાજેતરમાં જ્યારે ભાઈજાનને એક વાતચીત દરમિયાન તેમના લગ્નના આયોજન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'લગ્ન માટે પ્લાનિંગ હતું પણ એ વહુ માટે નહિ પણ બાળક માટે હતું.' સલમાન ખાને કહ્યું, “આ પ્લાન હતો. પણ એ મારે પત્ની માટે નહીં પણ બાળક માટે જોઈતી હતી પરંતુ કાયદા મુજબ ભારતમાં આવું ન થઈ શક્યું હોત. હવે જોઈએ કે શું કરવું અને કેવી રીતે કરવું. જ્યારે સલમાને આ જવાબ આપ્યો તો શોમાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.