છેલ્લા કેટલાક મહિનાથી સતત લાઇમલાઇટમાં રહેલા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને આજે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધી મુંબઇ પોલીસને હસ્તક આ કેસની તપાસ હતી. જો કે કેસમાં વળાંક ત્યારે આવ્યો હતો જ્યારે સુશાંતના પિતા કે કે સિંહે આ કેસને લઈને પટનાના એક પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તીની સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે બિહાર સરકારની CBI તપાસની ભલામણને કેન્દ્ર બાદ હવે સુપ્રીમે પણ ગ્રાહ્ય રાખી છે અને આ કેસમાં CBI તપાસની માર્ગ મોકળો થયો છે.
સુશાંત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે CBIને સોંપી
આ બાબતે કેટલાય બોલીવુડ કલાકારોએ આપી હતી પ્રતિક્રિયાઓ
અક્ષય કુમાર, અનુપમ ખેર વગેરે લોકોએ આ નિર્ણયને આવકાર્યો હતો
સુપ્રીમ કોર્ટે સુશાંત કેસની તપાસને CBIને સોંપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો એટલું જ નહિ બિહારના પટનામાં નોંધાયેલી ફરિયાદને પણ માન્ય રાખી હતી. આ નિર્ણયને લઈને ઘણાં બોલીવુડ કલાકારોની પ્રતિક્રિયાઓ સામે આવી હતી જેમાં અક્ષય કુમાર, કૃતિ સેનન વગેરે સામેલ છે.
SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail 🙏🏻 #Prayers
સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવી અક્ષય કુમારની પ્રતિક્રિયા
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને આંચકો આપ્યો છે અને કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને તપાસ સોંપી છે. મહારાષ્ટ્ર સરકાર આ કેસમાં સીબીઆઈ તપાસનો સતત વિરોધ કરી રહી હતી અને કહ્યું હતું કે આ મામલો મુંબઈ પોલીસ પાસે રાખવો જોઈએ. તે જ સમયે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે બોલિવૂડ તરફથી સતત પ્રતિક્રિયાઓ મળી રહી છે. અક્ષય કુમારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ટ્વિટ કરતા કહ્યું કે, "સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુની તપાસ માટે SCએ CBI તપાસનો આદેશ આપ્યો છે. સત્ય હમેશા સમર્થ રહે"
અક્ષય કુમાર સિવાય અનુપમ ખેરે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરી છે. તેણે ટ્વીટ કર્યું, "જય હો..જય હો .. જય હો."
Last 2months have been extremely restless with everything being so blurry. Supreme Court’s order to let the CBI investigate Sushant’s case is a ray of hope that the truth will finally shine🤞🙏🏻 Lets all have faith, stop speculating & let the CBI do their work now!🙏🏻 #CBIForSSR ✊🏻
તે જ સમયે, અભિનેત્રી ક્રિતી સેનને ટ્વીટ કર્યું, "છેલ્લા 2 મહિના બેચેનીથી ભરેલા હતા, એક સાથે બધું ખૂબ અસ્પષ્ટ હતું. સુશાંત સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટના સીબીઆઈ તપાસના આદેશથી આશા દેખાઈ છે. હવે આખરે સત્યનો વિજય થશે. "
ક્રિતી સેનનનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના સંબંધમાં સુપ્રીમ કોર્ટે પટણામાં નોંધાયેલા કેસને મુંબઇ ટ્રાન્સફર કરવા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર ચુકાદો આપ્યો છે. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સીબીઆઈ આ કેસની તપાસ કરશે. કોર્ટે પટણામાં નોંધાયેલ ફરિયાદને પણ જાળવી રાખી છે.
સુશાંત સિંહ રાજપૂતની એકસ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ કંઇક પ્રતિક્રિયા આપી હતી. તેના ટ્વીટર એકાઉન્ટ પર તેણે લખ્યું હતું કે, ''ન્યાય એ સત્યની ક્રિયા છે... અને સત્ય જીતે છે'' અને આ સાથે જ સુશાંતની બહેને કરેલ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યું હતું કે ' દીદી હેવ આપણે ન્યાયના પથ પર છીએ''.