નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. જેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં નાણાકીય વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ દરમિયાન કેટલીય મોટી જાહેરાતો કરવામાં આવી છે. જો કે, નાણામંત્રી તરફથી ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેની લાંબા સમયથી ટેક્સપેયર્સ રાહ જોઈ રહ્યા હતા.ત્યારે હવે આ બજેટને લઈને સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે.
અમિત શાહ
આ બજેટ પર અમિત શાહે જણાવ્યું છે કે, બજેટનો આકાર વધારીને 39.49 લાખ કરોડ કરવું, કોરોનાકાળમાં પણ ભારતની ઝડપથી વધતી અર્થવ્યવ્સથાને દર્શાવે છે. Fiscal deficitનો લક્ષ્યાંક 6.9 ટકાથી ઘટીને 6.4 ટકા કરવું બહું મોટી સિદ્ધી કહેવાય. મને વિશ્વાસ છે કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારત fiscal deficitને 4 ટકાથી નીચે લાવવામાં સફળ રહેશે.
बजट का आकार बढ़ाकर 39.45 लाख करोड़ करना, कोरोनाकाल में भी भारत की तेज़ी से बढती अर्थव्यवस्था को दर्शाता है।
Fiscal deficit का लक्ष्य 6.9% से घटाकर 6.4% करना बहुत बड़ी उपलब्धि है, मुझे विश्वास है कि @narendramodi के नेतृत्व में भारत fiscal deficit को 4% से नीचे लाने में सफल होगा।
વધુમાં અમિત શાહે જણાવ્યુ હતું કે, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલું આ બજેટ દૂરદર્શી બજેટ છે. જે ભારતની અર્થવ્યવસ્થાની સ્કેલ બદલનારૂ બજેટ સાબિત થશે. આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે સ્વતંત્રતાના 100માં વર્ષ માટે નવા ભારતનો પાયો નાખશે. તેના માટે પીએમ મોદી અને નિર્મલા સીતારમણને અભિનંદન આપું છું.
કોંગ્રેસ પાર્ટીની પ્રતિક્રિયા
બજેટ પર કોંગ્રેસ ટ્વિટ કરીને લખ્યું છે કે, મોદી સરકારની અનર્થનીતિએ દેશમાં દેવું વધારવાનું જ કામ કર્યું છે. મોદીનોમિક્સે અર્થવ્યવસ્થાને તબાહ કરી છે. દેશ માટે મોદી સરકારની અનર્થનીતિ હાનિકારક સાબિત થઈ છે.
રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, બજેટમાં યુવાનો, ખેડૂતો અને MSME માટે કંઈ નથી.
M0di G0vernment’s Zer0 Sum Budget!
Nothing for
- Salaried class
- Middle class
- The poor & deprived
- Youth
- Farmers
- MSMEs
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ગરીબને વધારે ગરીબ બનાવવા અને રોજગાર છીનવી લેનારૂ આ બજેટ છે. ક્રિપ્ટોકરન્સીને આ લોકો માનતા જ નહોતા. હવે નવું લઈને આવ્યા છે. એની સાથે તેમણે નાતો બંધાઈ ગયો છે. તેને લઈને હજૂ સુધી કોઈ કાયદો પણ નથી બન્યો. ખેડૂતોની આવક ક્યાં બમણી થઈ. રોજગાર માટે કંઈ બોલ્યા નહીં, લોકો ત્રસ્ત છે. પહેલા જે 4 કરોડ ઘર કહ્યા તે તો હજૂ બન્યા નથી, ત્યાં હવે 80 લાખ ફરીથી બોલી દીધું છે.
શશિ થરૂર
બજેટમાં ન તો મનરેગાનો કોઈ ઉલ્લેખ છે ન તો ડિફેન્સ માટે કંઈ છે, શશિ થરૂરે બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. આ બજેટમાં કંઈ ખાસ નથી. બહુ નિરાશાજનક બજેટ છે. આ બજેટના ભાષણમાં ન તો મનરેગાનો કોઈ ઉલ્લેખ છે અને તો ડિફેંસ માટે કઈ ખાસ છે. જનતાની સમસ્યાને દૂર કરવા માટે આ બજેટમાં કંઈ ખાસ નથી.
નીતિન ગડકરી
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવાાં આવેલું બજેટ દેશમાં આધુનિક ઈંફ્રાસ્ટ્ર્ક્ચરને વધારનારુ બજેટ છે. આ બજેટ નવા ભારતનો પાયો નાખનારુ અને 130 કરોડ ભારતવાસીઓની ઉત્તમ જીંદગી માટે છે. તેમણે કહ્યુ કે, દેશના વિકાસ માટે ઈંફ્રાસ્ટ્રક્ચર વિકાસ ખૂબ જ જરૂરી છે. તેની સાથે રોડ, રેલ, વિજળી, સ્વાસ્થ્ય, શિક્ષણ અને ખેતી સાથે જોડાયેલ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલુ રોકાણ માઈલસ્ટોન સાબિત થશે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભૂમિ સુધારાને ડિજીટલીકરણ ભારતની ગ્રામિણ અર્થવ્યવસ્થાને બદલી દેશે અને આ ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા નવા અવસરો પેદા કરવામાં એક લાંબો રસ્તો નક્કી કરશે, હું આ વખતની બજેટ જાહેરાતનું દિલથી સ્વાગત કરુ છું.
મમતા બેનર્જી
બજેટ પર નિરાશા જાહેર કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, બેરોજગારી અને મોંઘવારીથી કચડાઈ રહેલી જનતા માટે બજેટ શૂન્ય છે. સરકાર મોટા શબ્દોમાં ખોવાયેલી છે. જેનો કોઈ અર્થ નથી. આ એક પેગાસસ સ્પિન બજેટ છે.
BUDGET HAS ZERO FOR COMMON PEOPLE, WHO ARE GETTING CRUSHED BY UNEMPLOYMENT & INFLATION. GOVT IS LOST IN BIG WORDS SIGNIFYING NOTHING - A PEGASUS SPIN BUDGET
માયાવતીએ કહ્યું કે, સંસદમાં આજે રજૂ થયેલું કેન્દ્રીય બજેટ નવા વાયદાની સાથે જનતાને લલચાવવા માટે લાવવામાં આવ્યું છે. જ્યારે ગયા વર્ષે કરેલી જાહેરાતોને અમલ કરવાનું ભૂલી ગયા. આ કેટલુ યોગ્ય છે. કેન્દ્ર વધતી મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની આત્મહત્યા જેવા ગંભીર મુદ્દાઓથી ચિંતામુક્ત કેમ છે ? કેન્દ્ર સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે. પણ દેશની વાત કરતા નથી. ટેક્સની મારે લોકોનું જીવવાનુ હરામ કરી નાખ્યું છે. એટલા માટે કેન્દ્ર્નો પ્રયાસ ખાસ કરીને બેરોજગારી અને અસુરક્ષા જેવા કારણોને લીધે લોકોમાં છવાયેલી તંગી, માયૂસી અને હતાશાને ઓછી કરવામાં કર્યું હોત તો વધારે સારૂ રહેતું.
1. संसद में आज पेश केन्द्रीय बजट नए वादों के साथ जनता को लुभाने के लिए लाया गया है, जबकि गतवर्षों के वादों व पुरानी घोषणाओं आदि के अमल को भुला दिया गया है, यह कितना उचित। केन्द्र बढ़ती गरीबी, बेरोजगारी, महंगाई व किसानों की आत्महत्या जैसी गंभीर चिन्ताओं से मुक्त क्यों? 1/2