અદાણી ગ્રુપના શેરમાં મોટી ઉથલપાથલ વચ્ચે પહેલી વખત નાણામંત્રી અને LIC ની પ્રતિક્રિયા સામે આવી છે.
હિંડનબર્ગના રીપોર્ટ બાદ અદાણી કંપનીના શેરમાં દિન પ્રતિદિન ઘટાડો
નાણામંત્રી નીર્મલા સિતારામન અને એલઆઈસીની પ્રતિક્રિયા
US સ્થિત હિંડનબર્ગના રીપોર્ટ બાદ અદાણી કંપનીના શેરમાં દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ અદાણી બહાર પાડેલા ૨૦૦૦૦ કરોડના એફપીઓ પણ રદ કરી દેવામાં આવ્યા છે. આ બધી સ્થિતિ વચ્ચે પહેલી વાર દેશના નાણામંત્રી નીર્મલા સિતારામન અને એલઆઈસીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નાણામંત્રીએ કહ્યુ હતુ કે તેમનું અદાણી જૂથના શેર્સમાં એક્સપોઝર લીમીટેડ છે. અને વેલ્યુએશનમાં ઘટાડો થવા છતાં તેઓ પ્રોફિટમાં છે.
નાણામંત્રી નિર્મલા સિતારમનની પ્રતિક્રિયા
સમગ્ર મામલે વાત કરીએ તો યુએસમાં આવેલ હિંડનબર્ગના રીપોર્ટ બાદ શેર બજારમાં અદાણી ગ્રુપના તમામ શેરની કિંમતમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે હિંડનબર્ગ અને ભારતના બિઝનેસ મેન ગૌતમ અદાણી વચ્ચે ચાલી રહ્લા વિવાદને લઈને નાણામંત્રી નિર્મલા સિતારમને પહેલી વાર પ્રતિક્રિયા આપી હતી તેમાં તેમણે જણાવ્યું હતુ કે બેંકિંગ સિસ્ટમ વિશે વાત કરી હતી. અને કહ્યુ હતુ કે તમામ સિસ્ટમ સારી સ્થિતિમાં છે. હાલ કોઈપણ પ્રકારનું જોખમ છે નહીં.
નિર્મલા સિતારમને કહ્યું
નાણામંત્રી નિર્મલા સિતારમને એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુની વાત કરીએ તો તો તેમણે કહ્યુ હતુ કે એલઆઈસી અને એસબીઆઈ ઓવર એક્સપોઝ નથી. ફાઈનાન્સ મીનીસ્ટરે ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે અદાણી ગ્રુપના શેરમાં તેમનું એક્સપોઝર મર્યાદિત છે અને મૃલ્ય ઘટવા છતાં પણ તેઓ પ્રોફિટમાં છે. તેમણે ઉમેર્યુ હતુ કે, બે પ્રકારની બેલેન્સ શીટની સમસ્યામાંથી ભારતીય બેંકિંગ સિસ્ટમમાંથી પસાર થઈ ચુકી છે અને આજે એનપીએના લોઅર લેવલ, વસુલી અને રિકવરી સાથે સારી સ્થિતિમાં છે. તેમજ દેશની સૌથી મોટી ધિરાણકર્તા એસબીઆઈએ જણાવ્યું હતુ કે, અદાણી ગ્રુપ સાથે તેનું એક્સ્પોઝર સંપૂર્ણપણે રોકડ ઉભી કરતી અસ્કાયમતો સાથે આવરી લેવામા આવ્યું છે. જ્યારે બીજી તરફ જાહેર ક્ષેત્રની બેંક એવી બેંક ઓફ બરોડાની વાત કરીએ તો તેમણે કહ્યુ હતુ કે અદાણી ગ્રુપમાં તેમનું રોકાણ સાત હજાર કરોડ છે, અને તે પણ સંપૂર્ણ પણે સલામત છે.
બીજી તરફ આપણે એલઆઈસીની વાત કરીએ તો એલઆઈસીએ અદાણી ગ્રુપમાં લોન અને ઈક્વીટીમાં રૂ. 36,474.78 કરોડનું રોકાણ કર્યાનો ખુલાસો કર્યો છે અને કહ્યુ હતુ કે આ રોકણ પણ તેમના કુલ રોકાણના એક ટકાથી પણ ઓછુ છે. ઉલ્લેખનીય છે કે હિડનબર્ગના અહેવાલ બાદ અદાણી ગ્રુપની સાત લીસ્ટેડ કંપનીઓએ તેમની અડધાથી પણ વધુ માર્કેટ કેપ ખોઈ (ગુમાવી) દિધી છે. માર્કેટ કેપની વાત કરીએ તો તે ઘટીને 100 બિલિયન ડોલરથઈ પણ ઓછી થઈ ચૂકી છે.