તમાકુની જાહેરાત કરવા બદલ સોશિયલ મીડિયા પર બોલિવૂડ સ્ટાર્સ થઇ રહ્યા છે ટ્રોલ, અજય દેવગણના સામે આવ્યા તીખા તેવર
તમાકુની જાહેરાતને લઇને બોલિવૂડ સ્ટાર્સ થયા ટ્રોલ
અક્ષય કુમારે માફી માગતી પોસ્ટ કરી શેર
તો અજય દેવગણના જોવા મળ્યા અલગ જ તેવર
અજય દેવગણ છેલ્લા ઘણા સમયથી ઇલાયચી માટે જાહેરાત કરતા જોવા મળી રહ્યા છે. આ જાહેરાતમાં હવે શાહરુખ ખાન પણ જોવા મળે છે. તો અક્ષય કુમારે હમણા જ ઇલાયચીની જાહેરાત માટે જોડાયા હોવાનું સામે આવ્યુ છે. જેને લઇને આ ત્રણેય અભિનેતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જો કે આ બાબતે અક્ષય કુમારે તો એક પોસ્ટ શેર કરીને ફેન્સની માફી માંગી લીધી. અને કહ્યું કે ઇલાયચીની જાહેરાત કરવાના નિર્ણયને પરત લઉં છું . તો આ મામલે અજય દેવગણે કંઇક અલગ જ રિએક્શન આપ્યું.
'તો તેને વેચવી જ ન જોઇએ'
અક્ષય કુમારે આ મામલે માફી માંગ્યા બાદ સોશિયલ મીડિયામાં ચગેલો આ મામલો શાંત થઇ ગયો છે પરંતુ આ મામલે જ્યારે અજય દેવગણને અક્ષયની જેમ સમર્થન આપવા અંગે જણાવ્યું તો અજયે આકરો પ્રહાર કર્યો. તેણેકહ્યું કે જો કોઇ વસ્તુ એટલી જ ખરાબ છે તો તેને વેચવી જ ન જોઇએ.
મળતી માહિતી અનુસાર પોતાની ફિલ્મ 34નું પ્રમોશન કરી રહેલા અજય દેવગણે કહ્યું કે આ એક વ્યક્તિગત પસંદ છે. જ્યારે તમે કંઇ કરો છો તો ત્યારે તમે એ પણ જુઓ છો કે તે કેટલુ હાનિકારક હશે. હાનિકારક હોય પણ ખરા અને ન પણ હોય. હું ઇલાયચીનું પ્રમોશન કરી રહ્યો હતો. મને જે લાગે છે તે જાહેરાતો કરતા પણ વધારે છે. જો કોઇ વસ્તુ આટલી જ ખરાબ હોય તો તેને વેચવી ન જોઇએ.
તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક
મહત્વનું છે કે ઇલાયચી વેચતી આ કંપની એક પાન મસાલા વેચતી કંપની છે. આ કંપનીના હાનિકારક ગુટાખા લાખો ભારતીય સુધી પહોંચે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુટખાને કારણે દર વર્ષે એક લાખ કેન્સરના મામલા સામે આવે છે. જો કોઇ જાણીતો ચહેરો આ પ્રોડક્ટની જાહેરાત કરે તો તેનુ વેચાણ વધે છે અને કંપનીને ફાયદો મળે છે. જો કે આ પ્રકારની પ્રોડક્ટ હાનિકારક સાબિત થઇ શકે છે.