નરેશ પટેલના રાજકારણમાં જોડાવા પહેલા પ્રતિક્રિયાનો દોર ચાલુ, સમાજના આગેવાનોના ધીમે ધીમે બે ફાંટા પડ્યા કોઈએ કહ્યું રાજકારણમાં જાઓ, કોઈ કહ્યું ન જાઓ તો કોઈનો અંગત નિર્ણયનો મત
નરેશ પટેલનો ઝોંક કઈ તરફ રહેશે?
સી કે પટેલે આપી પ્રતિક્રિયા
નરેશ પટેલે રાજકરણમાં આવવું જોઇએ
ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અને ગુજરાતના રાજકીય વાતાવરણમાં તેની જોરશોરથી તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલમાં ચર્ચા પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને લઈને ખુબ ચાલી રહી છે. કે નરેશ પટેલ કોના? ભાજપના.કોંગ્રેસના.કે આમ આદમી પાર્ટીના.તેવામાં નરેશ પટેલ ક્યા રાજકીય પક્ષની નૈયા પાર લગાડશે તેને લઈને પણ સંકેતો મળવા લાગ્યા છે. પણ ન તો નરેશ પટેલ આ મુદ્દે કોઈ કોઈ ફોળ પાડી રહ્યા છે ન કોઈ પક્ષની તરફેણ કરી રહ્યા છે બસ સમાજનું નામ આગળ ધરી પોતાની રાજકીય હિત સાધવા હાલ તો સોગઠા ગોઠવી રહ્યા છે એમ લાગી રહ્યું છે.
નરેશ પટેલે રાજકરણમાં આવવું જોઇએ: સીકે પટેલ
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા પહેલા પ્રતિક્રિયાનો દોર ચાલુ થયો છે ત્યારે પાટીદાર અગ્રણી સી કે પટેલે નિવેદન આપતા કહ્યું છે કે નરેશ પટેલનો રાજકરણમાં જોડાવા માટે અંગત મત હોઇ શકે છે. તેમાં પણ કોંગ્રેસમાં જોડાવું કે ભાજપમાં તેમની ઈચ્છા પર નિર્ભર કરે છે. નરેશ પટેલ રાજકરણ જોડાવા અંગે કોઇ વાંધો ન હોય તેમણે રાજનીતિમાં પગ મૂકી દેવો જોઈએ. તેમણે દાવા સાથે એ પણ કહ્યું હતું કે નરેશ પટેલ જે પક્ષમાં જાય તે પક્ષને ચોક્કસ ફાયદો થાય તેમાં બે મત નથી. ભાજપના નેતાએ (દિલીપ સંધાણી)એ કરેલી કોમેન્ટ અંગે મારે કાંઇ કહેવું નથી.
દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યું-કથીરીયા
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશવા મામલે વાતાવરણ ગરમાયું ચૂક્યું છે ત્યારે દિલીપ સંઘાણીના નિવેદન સામે અલ્પેશ કથીરીયા સામે વળતો જવાબ આપતા કહ્યું છે કે દિલીપભાઈએ હાઈલાઈટમાં આવવા નિવેદન આપ્યું છે પોતે ચૂંટણી હારી રહ્યા છે એના પર ધ્યાન આપે નહી કે હાર્દિક પટેલ અને નરેશ પટેલ પર..
નરેશ પટેલ પર દિલીપ સંઘાણીએ આપેલા નિવેદન પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા
ભાજપના નેતા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે.તેઓ માત્ર પાટીદાર સમાજના નહી સમગ્ર સમુદાયના નેતા છે. રાજનીતિમાં કોને આવવું કોને ન આવવું કઈ પાર્ટીમાં જવુ કે કઈ પાર્ટીમાં ન જવું તેઓનો વ્યક્તિગત નિર્ણય છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જણાવ્યું હતું કે, દિલીપભાઈ સાંઘણી જે નિવેદન આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક સમાજને દ્રોહ કરતું નિવેદન છે. નરેશભાઈને કઈ પાર્ટીમાં જોડાવવું તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. તેમણે દિલીપ સંઘાણી જણાવ્યું હતું કે, સમાજના નામે રાજકારણ બંધ કરવું જોઈએ
નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? : સંઘાણી
નરેશ પટેલ રાજકરણમાં જોડાવા અંગે ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તેઓ વારંવાર સમાજ કહેશે તો રાજકરણમાં આવશે એવી વાતો કરી રહ્યા છે. આ વાતોને લઇને આજે ઇફ્કોના વાઇસચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિલીપ સંઘાણીએ નરેશ પટેલને કેટલાંક સવાલો કર્યા હતાં જેમાં મુખ્ય સવાલ એ હતો કે સમાજ કહેશે, તો સમાજની વ્યાખ્યા શું ? નરેશ પટેલે પણ 2 દિવસ પહેલાં પોતાનું નિવેદન આપ્યું હતું, જેમાં તેઓ હજુ પણ સમાજ કહેશે તો રાજકરણમાં આવીશ એવી વાતો કરી રહ્યા છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજકરણ કરવા માટે સમાજ હાથો કેમ?
ભૂપેન્દ્ર પટેલ પટેલ સાથે કરશે બેઠક
અનેકવાર નરેશ પટેલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. નરેશ પટેલ રાજકારણની શરૂઆત કરશે કે કેમ તે અંગે અટકળો તેજ થઇ છે. મહત્વના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નરેશ પટેલ બેઠક કરશે. કેસ પાછા ખેંચવામાં આવશે કે કેમ તેને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે, અને નરેશ પટેલ તેમનું રાજકારણનું સ્ટેન્ડ લઈ શકે છે.
ક્ષત્રિય આગેવાન દિગ્વિજયસિંહ પરમારે નરેશ પટેલનું કરી મુલાકાત
તો આ તરફ અખિલ ગુજરાત રાજપૂત ફેડરેશનના પ્રમુખે પણ નરેશ પટેલની મુલાકાત લીધી હતી. આથી મુદ્દો ચર્ચાયો હતો. અને નરેશ પટેલના રાજકીય પ્રવેશ પૂર્વે મુલાકાત અનેક અટકળો સર્જાઇ હતી. પરંતુ દિગ્વિજયસિંહ પરમારે આ મુલાકાતને રાજકીય રંગ ન અપાવા જણાવ્યુ હતું. તેમજ નરેશ પટેલે કઇ પાર્ટીમાં જોડાવવું તે તેમનો નિર્ણય છે તેમ જણાવ્યુ હતું.
કોંગ્રેસ સીએમ ચહેરા તરીકે કરી શકે પ્રમોટ?
તો આ બાજૂ મહત્વના સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે હોળી બાદ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરા તરીકે નરેશ પટેલને પ્રમોટ કરી શકે છે. કોંગ્રેસ જીતે તો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો આપી શકે છે. અગાઉ રાહુલ ગાંધી સાથે નરેશ પટેલની બે વાર બેઠક થઇ છે.
AAP પાર્ટીએ આપ્યું છે ખુલ્લુ આમંત્રણ
આ પર AAP પાર્ટી તરફથી પણ નરેશ પટેલને આમંત્રણ મળ્યાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. અગાઉ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. નરેશ પટેલ તરફથી હજુ સુધી કઈ પાર્ટીમાં જોડાવાના છે તેની કોઈ સ્પષ્ટ જાહેરાત થઈ નથી.