કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી બંધ ધોરણ-1થી 5નું શિક્ષણ ફરી સ્કૂલમાં શરૂ થશે. રાજ્ય સરકારે આવતીકાલથી ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને સ્કૂલમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે કહ્યું કે કોરોનામાં દોઢ વર્ષ બાદ ધોરણ-1થી 5નું શિક્ષણ સ્કૂલમાં શરૂ થશે. આવતીકાલથી ધોરણ-1થી 5નું શિક્ષણ શાળામાં શરૂ થશે. અને કોરોના SOPનું સ્કૂલમાં પાલન કરવું પડશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જીતુ વાઘાણીએ કહ્યું કે વાલીઓની પણ માંગ હતી તેને લઇ નિર્ણય કરાયો છે. અને હાલ મોટા ભાગના લોકોએ પણ વેક્સિનના બે ડોઝ લઇ લીધા છે.
રાજ્ય સરકારનો નિર્ણય નાના બાળકો માટે જોખમી: વાલી મંડળ
ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે ઓલ ગુજરાત વાલી મંડળ પ્રમુખ નરેશ શાહે કહ્યું કે રાજ્ય સરકારનો નિર્ણય જોખમી પગલું છે. કોઇ બાળક સંક્રમિત થશે તો તેની જવાબદારી શિક્ષણમંત્રીની હશે. સરકાર સ્કૂલો શરૂ કરે તે પહેલા ગુજરાત બોર્ડ કોર્સ નક્કી કરે. સરકારે સ્કૂલોના દબાણથી આ નિર્ણય કર્યો છે.
અમે બાળકોની બને તેટલી કાળજી રાખીશું: શાળા સંચાલક મહામંડળ
ત્યારે શાળા સંચાલક મહામંડળ પ્રમુખ ભાસ્કર પટેલે નિર્ણયને આવકાર્યો છે. ભાસ્કર પટેલે કહ્યું કે રાજ્ય સરકારના નિર્ણયને આવકારીએ છીએ. લાંબા સમયથી વિદ્યાર્થીઓએ સ્કૂલ જોઈ નથી. અમે ધોરણ 6થી 12ના વર્ગો ચાલે છે તેમ જ 1થી 5ના વર્ગો ચલાવીશું. અને બાળકોની પણ કાળજી રાખીશું.
ઓનલાઇન શિક્ષણમાં નાના બાળકો ભણી શકતા નથી: શિક્ષક મંડળ
રાજ્ય સરકારે આવતીકાલથી ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે AMC શિક્ષક મંડળે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે. શિક્ષક મંડળે કહ્યું કે, તમામ શિક્ષકોએ વેક્સિનના બે ડોઝ લીધેલા છે. વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી.અમે રાજ્ય સરકારના નિર્ણયને આવકારીએ છીએ. ઓનલાઇન શિક્ષણમાં નાના બાળકો ભણી શકતા નહતા. વાલીઓની પણ ઇચ્છા હતી કે સ્કૂલો શરૂ થાય. અમે તમામ રીતે બાળકોને ભણાવવા સજ્જ છીએ.
તૈયારી માટે 2 દિવસનો સમય આપ્યો હોત તો સારું રહેત: શાળા સંચાલક
તો લાંબા સમયથી આ વર્ગો ચાલુ થવાની રાહ જોઈ રહેલા શાળા સંચાલકોએ રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો છે. સંચાલક બંકિમ શાહના કહ્યા પ્રમાણે સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે. તૈયારી માટે 2 દિવસનો સમય આપવો જોઇતો હતો. ઘણી શાળાઓ માત્ર ધો.1થી 5ની જ છે જમાં સાફસફાઇ કરવી પડશે
અમુક વાલીઓએ સરકારના નિર્ણયને વધાવ્યો
આ નિર્ણય ને રાજકોટના વાલીઓ અને વિધાર્થીઓએ આવકાર્યો છે વાલીઓ પણ રાહ જોઈ રહ્યા હતા કે લાંબા સમયના વિરામ બાદ બાળકો ની શાળા શરૂ થાય સાથેજ બાળકો પણ શાળાએ જવા માટે તત્પર જોવા મળ્યા હતા , બાળકો ઓનલાઈન શિક્ષણ થી કંટાળી ગયા હોવાથી તેમજ અભ્યાસ પર ખૂબ જ અસર પડી હોવાથી વાલી હવે પરાણે પણ સરકારના આ નિર્ણયણએ આવકારી રહ્યા છે.
બાળકોને વેક્સિન મળી નથી ત્યારે બાળકોની જવાબદારી કોણ લેશે?: ઘણાખરા વાલીઓ
તો બીજી તરફ વડોદરાવાસીઓમથી એવા કેટલાય વાલીઓ છે જે કહી રહ્યા છે કે 1 થી 5 ના વર્ગો સરુ કરવાનો સરકારનો નિર્ણય ઉતાવાળીયો છે. શિક્ષણમંત્રી એ કેમ આટલી ઉતાવળ કરી તે એક મોટો સવાલ છે. બાળકોને વેક્સિન મળી નથી ત્યારે બાળકોની જવાબદારી કોણ લેશે? ઘણા વાલીઓ કહી રહ્યા છે કે આવતીકાલથી બાળકોને શાળામાં મોકલાવ અશક્ય છે.