પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની જાહેરાત બાદ કુંવરજી બાવળીયાનો વળતો પ્રહાર તાકાત હોઈ તો રાજકોટમાં 15000 લોકો એકઠા કરી બતાવે
પૂર્વ સાસંદ દેવજી ફતેપરા- પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા આમને સામને
દેવજી ફતેપરાની જાહેરાત બાદ બાવળીયાનો વળતો પ્રહાર
દેવજીભાઈમાં તાકાત હોય તો રાજકોટમાં 15 હજાર લોકો એકઠા કરી બતાવેઃબાવળીયા
દેવજી ફતેપરાની જાહેરાત બાદ બાવળીયાનો વળતો પ્રહાર
ગુજરાતમાં ચૂંટણી પુર્વ પાટીદાર કોળી સમાજમાં સર્જાઈ રહેલા નવા સમીકરણો વચ્ચે એક તરફ ખોડલધામ અગ્રણી નરેશ પટેલ કયાં પક્ષમાં જશે તેની ચર્ચા ચાલુ જ છે તે વચ્ચે કોળી-ઠાકોર સમાજમાં એક બાદ એક મળી રહેલા સંમેલનો અને સમાજના રાજનેતાઓ વચ્ચેની લડાઈમાં હવે પુર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દેવજી ફતેપરા દ્વારા આગામી સમયમાં મળનાર કોળી સમાજના સંમેલનમાં મને નહી બોલાવ્યા તેવા કરેલા વિધાનોનો વળતો આકરો જવાબ આપ્યો છે.
દેવજીભાઈમાં તાકાત હોય તો રાજકોટમાં 15 હજાર લોકો એકઠા કરી બતાવે - બાવળીયા
બાવળીયાએ કહ્યું હતું કે ફતેપરા સાથે મારે લાગે વળગે નહી તે કોળી સમાજને ખીસ્સામાં લઈને ફરતા હોય તેવું માનતા હો તો લોકસભા ચૂંટણી બીજી વખત જીતી ગયા હોત. બાવળીયાએ કહ્યું કે ફતેપરાને વ્યક્તિગત વાંધો હોય તો તેને કોળી સમાજમાં ભાગલા ગણી શકાય નહી.કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, દેવજીભાઈમાં તાકાત હોય તો રાજકોટમાં 15 હજાર લોકોને એકઠા કરીને બતાવે તો સાચા કહેવાય બાકી બોલવું અને કરવું બન્ને જુદુ છે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોળી સમાજના બે અગ્રણીઓનું વાકયુદ્ધ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા આવ્યા મીડિયા સામે આવ્યાં હતાં. બાદમાં તેઓ જાહેરાત કરી હતી કે, આગામી ટૂંક સમયમાં સૌરાષ્ટ્રના કોળી સમાજનું એક સંમેલન બોલાવશે. જેમાં કુંવરજી બાવળિયા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને હળવદના ધારાસભ્યની બાદ બાકી કરવામાં છે. તેમ જણાવવામાં આવ્યું હતું.