શ્રીનગરઃ અમરનાથ યાત્રા પહેલા ગુપ્ત માહિતી મળી છે કે આતંકવાદીઓ અમરનાથ યાત્રાના રૂટ પર હુમલો કરી શકે છે. આતંકવાદીઓને કોઇ પણ સંકટને પહોંચી વળવા માટે શ્રીનગરમાં NSGના બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.
આ કમાન્ડો કોઇ પણ સ્થિતિ પહોંચી વળવા માટે સમગ્ર રીતે તૈયાર છે. સાથે જ એરપોર્ટની સુરક્ષા પણ આ કમાન્ડોની જવાબદારીમાં જ છે. જણાવી દઇએ કે હાલ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ યથાવત છે. જેને લઇને આતંકવાદીઓ અમરનાથ યાત્રને નિશાન બનાવી શકે છે.
ગુપ્ત રિપોર્ટ અનુસાર શ્રીનગરમાં હાજર કરવામાં આવેલ NSG કમાન્ડોને કોઇ પણ ગંભીર સ્થિતિ સાથે પહોંચી વળવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. NSGની ટીમમાં દૂરથી મારનારા સ્નાઇપર સિવાય ક્લોઝ કોમ્બૈટ ટીમના જવાનો પણ સામેલ છે. આ દરેક જવાન અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. જણાવી દઇએ કે અમરનાથ યાત્ર 29 જૂનથી શરૂ થશે.
આ સિવાય અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ મહત્વનો નિર્ણય લીધો છો કે છેલ્લા વર્ષના મુકાબલે આ વર્ષ 17 ટકા વધુ સેનાની સંખ્યા વધારવામાં આવી રહી છે. છેલ્લા સાલ 204 કંપનીઓ સુરક્ષા દળની હતી તેમને 2018માં વધારીને 238 કંપનીઓ કરી દેવામાં આવી છે.
આ વર્ષે એસપી સ્તરના અધિકારીઓ દ્વારા અર્ધસૈનિક દળોની કંપનીઓ આગેવાની કરવામાં આવશે. અમરનાથ યાત્રા સંવેદનશીલ જગ્યાઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
જણાવી દઇએ કે ખીણમાં આ સમયે કુલ અંદાજિત 205 આતંકવાદી હાજર છે. અમરનાથ યાત્રા સાઉથ કાશ્મીરના તે વિસ્તારમાંથી નિકળે છે જ્યાં આ સમયે સૌથી વધુ આતંકવાદીની સંખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ખીણમાં આતંકવાદીઓ વિરૂદ્દ ઓપરેશન ઝડપી થવાના ડરમાં લશ્કર અને જૈશના આતંકવાદીઓ સાથે મળીને અમરનાથ યાત્રીઓ પર હુમલો કરવાની ફિરાકમાં છે.
ખીણમાં આ સમયે 102 હિબઝૂલ મુઝાહિદ્દીનના લોકલ આતંકવાદીઓની સાથે 47 લશ્કર અને 11 જૈશના લોકલ આતંકવાદી હાજર છે. જે કાશ્મીરના જંગલોમાં ટ્રેનિંગ લઇને યાત્રા પર હુમલો કરવાના ષડયંત્ર કરી શકે છે.