બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી નહીં, આ ખેલાડી હશે RCBનો નવો કેપ્ટન, IPL પહેલા મોટી જાહેરાત

IPL 2025 / કોહલી નહીં, આ ખેલાડી હશે RCBનો નવો કેપ્ટન, IPL પહેલા મોટી જાહેરાત

Last Updated: 01:06 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુરુવારે બેંગ્લોર,આ આઇપીએલ 2025 ને લઈને નવા કેપ્ટનની જાહેરાત કરી છે. આવતી સિઝનમાં બેંગ્લોર ટીમની સુકાની સ્ટાર ક્રિકેટર રજત પાટીદારને આવામાં આવી છે.

IPL 2025ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક મોટો ફેરફાર કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL ના નવા કેપ્ટનના નામની જાહેરાત કરી છે. વિરાટ કોહલીએ વર્ષ 2013 થી 2021 સુધી આ ફ્રેન્ચાઇઝનું નેતૃત્વ કર્યું હતું અને હેવ આ સિઝન 2025 માટે ટીમના નવા કેપ્ટન તરીકે રજત પાટીદારનું નામ સામે આવ્યું છે.

રજત પાટીદાર 2021 થી RCB સાથે છે અને નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા તેમના ત્રણ રિટેન ખેલાડીઓમાંના એક હતા. 31 વર્ષીય પાટીદારે 2024-25 ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીની સીઝનમાં તેમની રાજ્ય ટીમ મધ્યપ્રદેશનું નેતૃત્વ કર્યું હતું.

કોહલી બાદ ડુપ્લેસિસે સાંભળી હતી કમાન

વિરાટ કોહલી 2013 થી 2021 દરમિયાન RCB ટીમનો કેપ્ટન હતો ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી. પરંતુ RCB એ ગયા વર્ષના મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો. 40 વર્ષીય ડુ પ્લેસિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. આ સાથે રજત પાટીદાર RCBનો 8મા કેપ્ટન બનશે. આ પહેલા રાહુલ દ્રવિડ , કેવિન પીટરસન, નિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.

RCB દ્વારા રિટેન કરાયો હતો રજત

ઓક્શન પહેલા RCB દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓમાં પાટીદારનો સમાવેશ થાય છે. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMT) અને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશનું નેતૃત્વ કરવાનો અનુભવ છે. પાટીદારે મધ્યપ્રદેશને SMT 2024/25 ફાઇનલમાં પહોંચાડ્યું જ્યાં ટીમ મુંબઈ સામે 5 વિકેટથી હારી ગઈ. તે અજિંક્ય રહાણે પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 10 મેચમાં 61.14 ની સરેરાશ અને 186.08 ના સ્ટ્રાઇક રેટથી 428 રન બનાવ્યા હતા. રજત પાટીદારે અત્યાર સુધીમાં 27 IPL મેચોમાં 34.74 ની સરેરાશથી 799 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો તેણે 3 ટેસ્ટ અને 1 ODI માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

કોહલીએ RCBની 143 મેચમાં સાંભળી સુકાની

કોહલીએ IPLમાં 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું છે જે એમએસ ધોની પછી બીજા ક્રમે સૌથી વધુ કેપ્ટન છે. તેનો રેકોર્ડ 68 જીત અને 71 હારનો છે. જ્યારે RCB હજુ સુધી IPL જીતી શક્યું નથી. કોહલીએ 2016માં ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.

આ ટીમો પણ કેપ્ટનની શોધ હજુ ચાલુ

આરસીબી ઉપરાંત કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ એવી અન્ય ટીમો છે જેમણે આગામી સીઝન માટે તેમના કેપ્ટનની જાહેરાત કરી નથી. ગયા વર્ષના KKR કેપ્ટન શ્રેયસ ઐયર આ વર્ષે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે જ્યારે દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન ઋષભ પંત હવે લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરશે.

વધુ વાંચો: 'હમારા સસુર કૈસા હો, સચિન તેંડુલકર...', અલ્યા આ શું કહી દીધું? ભારત-ઇંગ્લેન્ડની મેચનો Video વાયરલ

RCB IPL 2025ની ટીમ

વિરાટ કોહલી , જોશ હેઝલવુડ, ફિલ સોલ્ટ, રજત પાટીદાર, જીતેશ શર્મા, ભુવનેશ્વર કુમાર, લિયામ લિવિંગસ્ટોન, રસિક સલામ, કૃણાલ પંડ્યા, યશ દયાલ, ટિમ ડેવિડ, સુયશ શર્મા, જેકબ બેથેલ, દેવદત્ત પડિકલ, નુવાન તુષારા, રોમારિયો શેફર્ડ, લુંગી ન્ગીડી, સ્વપ્નિલ સિંહ, અભિનંદન સિંહ, સ્વસ્તિક ચિકારા. મોહિત રાઠી, મનોજ ભંડાગે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Virat Kohli RCB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ