ખેતીની યોજનાઓ અને ખેડૂતોને સહાય તેમજ મદદ વિશે આર સી ફળદુએ નિવેદન આપ્યું હતુ. જો કે ખેડૂતોની હાલત આમ સામાન્ય રીતે જોઈએ તો જરાય સારી નથી. ડુંગળીના ભાવ ગગડતા ખેડૂત રડી રહ્યો છે. વળી વરસાદના અનિયમિત પણાને પગલે ઉભો પાક ડહોળાઈ ગયો, તીડ ત્રાટક્યાને પાક ભેરાઈ ગયો. કેસર કેરી બે મહિના મોડી આવતા ચોમાસું બેસી જશે ને તૈયાર કેરીનો પાક સડી જશે આવી તમામ વાતો વચ્ચે ગુજરાતના કૃષિમંત્રી સબસલામતની વાતો કરીને ખેડૂતોને સહાય મળી રહી હોવાની વાત દોહરાવી રહ્યાં છે.
''કિસાન કાર્ડની કામગીરી પૂરજોશમાં''
''28 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા''
''25 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઇ''
કૃષિ મંત્રી આર.સી.ફળદુએ ખેડૂતોની યોજનાઓને લઇ વિવિધ માહિતી આપી. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે કિસાન કાર્ડની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધી 28 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ અપાયા છે. અને 25 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઇ છે.
કમોસમી વરસાદથી નુકસાનની 32 લાખથી વધુ અરજીઓ મળી. ત્યારે સહાય ચૂકવણીમાં એકપણ પરિયાદ નથી મળી. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કોઇ ફરિયાદ નથી મળી. કુલ 47.70 લાખ ખેડૂતોના કુલ 3132 કરોડ રૂપિયા જમા થયા છે.
શું કહ્યું R. C. ફળદુએ?
આર.સી.ફળદુએ કહ્યું કે છેલ્લા દોઢ મહિનામાં 6700 કરોડની રકમ જમા થઈ છે. પાર્દર્શિતાથી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થયા છે. કુલ 2.41 લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઇ છે. અને જેને ભૂલ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમે હંમેશા ખેડૂતોની મદદ કરતા રહીશું.