પ્રાઈવેટ સેક્ટરની મોટી બેંક આરબીએલ (RBL Bank)એ પોતાના ગ્રાહકોને રાહત આપતાં વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકે દરેક સમયની લોન પર વ્યાજ દરમાં 0.10 ટકા ઘટાડો કર્યો છે. નવા નિયમો 22 જુલાઈથી જ લાગૂ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 22 મેના રોજ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો અને તેને 4 ટકા કરી દીધો હતો. આ પછી પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને યૂકો બેંક રેપો અને એમસીએલઆર સાથે જોડાયેલા પોતાના રેટ પહેલાંથી ઘટાડી ચૂકી છે.
RBLએ હાલમાં સેવિંગ ખાતા પર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવા નિયમો 1 ઓગસ્ટથી લાગૂ કરાશે. હવે સેવિંગ્સ ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરવા માટે 4.75 ટકા વાર્ષિક વ્યાજ મળશે. જ્યારે 1-10 લાખ રૂપિયા જમા કરવાથી 6 ટકા અને 1- લાખથી 5 કરોડ રૂપિયા સુધી જમા કરાવવા માટે 6.75 ટકા વ્યાજ મળશે.
RBL બેંકે અન્ય ચાર્જમાં પણ કર્યા છે ફેરફાર
બેંકે અન્ય કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે અને તેમાં કહેવાયું છે કે જો ડેબિટ કાર્ડ ખોવાઈ જાય કે ડેમેજ થઈ જાય તો 200 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. હવે ટાઈટેનિયમ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક 250 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે ગ્રાહક એક મહિના સુધી એટીએમથી 5 વખત ફ્રીમાં રૂપિયા કાઢી શકશે.
દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એટલે કે ભારતીય સ્ટેટ બેંકે પણ લોનના વ્યાજ દર એમસીએલઆરને ઘટાડ્યા છે. ત્યાર બાદ હોમ લોન સસ્તી થઈ છે.